AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarkantha: સીઆર પાટીલે હિંમતનગરમાં કહ્યુ- આ વખતે મોદી સરકાર 400 પ્લસ બેઠકો સાથે ફરી સત્તામાં આવશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારને કેન્દ્ર સરકારમાં 9 વર્ષનુ શાસન પૂર્ણ થયુ છે. શાસનને લઈ સરકારની સિદ્ધીઓને પ્રજા વચ્ચે લઈ જવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની સભા હિંમતનગરમાં યોજવામાં આવી હતી.

Sabarkantha: સીઆર પાટીલે હિંમતનગરમાં કહ્યુ- આ વખતે મોદી સરકાર 400 પ્લસ બેઠકો સાથે ફરી સત્તામાં આવશે
પાટીલે કહ્યુ હતુ કે, આ વખતે 400 ને પાર હોઈશું.
| Updated on: Jul 02, 2023 | 8:57 AM
Share

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સભા યોજી હતી. કેન્દ્ર સરકારમાં 9 વર્ષના નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકેના સાશનને લઈ સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ માટે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનની સિદ્ધીઓને વર્ણવી હતી. દેશમાં વિકાસથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સંબંધોને લઈ સિદ્ધીઓ યાદ કરવાવી હતી. આ દરમિયાન આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓને લઈ પાટીલે કહ્યુ હતુ કે, આ વખતે 400 ને પાર હોઈશું.

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીઓ દરમિયાન ભાજપે સુપડા સાફ હરીફોના કર્યા હતા. ભાજપે 156 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેને યાદ કરાવતા સીઆર પાટીલે કહ્યુ હતુ કે, ભાજપ લોકસભામાં 400 ની પાર બેઠકો મેળવશે. મોદી અને શાહની જોડીએ દેશમાં મજબૂતાઈ પૂર્વક કામ કર્યુ છે. નરેન્દ્ર મોદી સરકારે સુશાશનના 9 વર્ષ પુરા કર્યા હોવાનુ બતાવ્યુ હતુ. હિમતનગર ધારાસભ્ય વિડી ઝાલા અને સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મોદી સરકારની સિદ્ધીઓને લઈ વાત કરી હતી.

પાટીલે સભામાં કાર્યકરોનો વધાર્યો ઉત્સાહ

સભામાં ભાજપના કાર્યકો અને બંને જિલ્લાના પ્રબુદ્ધ નાગરીકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેઓને સભા રુપે સંબોધતા સીઆર પાટીલે કાર્યકરોને ઉત્સાહ વધારવા રુપ વાતો કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, મોદી અને શાહની જોડીએ મજબૂતાઈ પૂર્વક કાર્ય કર્યુ છે. તમારા બધાનો સહકાર હોવાને લઈ તેમને તાકાત મળી રહી છે. જેને લઈ તેઓ કાશ્મીરથી લઈને તમામ પ્રશ્નોને એક ઝાટકે ઉકેલી રહ્યા છે. પાકિસ્તાનની અવળચંડાઈને પણ તેઓએ ઠેકાણે લાવી રહ્યા હોવાની વાત કરતા 24 કલાકમાં પાયલટને ભારતને સોંપવાની વાત કહી હતી.

કાશ્મીરમાં જે પ્રકારે પરિવર્તન આવ્યુ છે તે વાતને પણ પાટીલે યાદ કરી હતી. કહ્યુ હતુ કે, મોદી અને શાહની જોડીએ એક ઝાટકે કાશ્મીરના મુદ્દાને ઉકેલી દીધો હતો. કાશ્મીરમાં મોટો બદલાવ આ જોડીએ લાવ્યા હોવાનુ બતાવ્યુ હતુ. કાશ્મીરમાં વિકાસને લઈ કહ્યુ હતુ કે, વિશ્વનો ઉંચો પુલ હવે ખુલ્લો મુકાવાનો છે. આ કામ મોદી સરકારે કર્યુ છે.

આ વખતે 400 પાર

પાટીલે સભાના અંતમાં કહ્યુ હતુ કે, આ વખતે ભાજપ કેન્દ્રમાં 400 થી વધારે સીટો સાથે ફરી સત્તા સંભાળશે. લોકસભાની સામાન્ય ચુંટણીઓમાં ભાજપ 400 પ્લસ બેઠકો હાંસલ કરવાનો મજબૂત ભરોસો બતાવીને સૂત્ર આપ્યુ હતુ કે અબકી બાર 400 કે પાર… આ સુત્ર તેઓએ ઉપસ્થિતોને નારાના રુપમાં ગુંજાવતા બોલાવ્યુ હતુ. પાટીલે કહ્યુ હતુ કે, વિકાસને આ પ્રજાએ ગુજરાતમાં ઐતિહાસિક બેઠકો અપાવી છે. જે નરેન્દ્ર મોદીને લઈ શક્ય બન્યુ છે. આ જ મોદી સરકારને પ્રજા કેન્દ્ર સરકારમાં ઐતિહાસિક બેઠકો અપાવશે.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">