AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી

અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી
પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 3:29 PM
Share

જાન્યુઆરી મહિનામા અમેરિકા જવા નિકળેલા 9 ગુજરાતી લોકોનો છેલ્લા પાંચ માસથી સંપર્ક થઈ રહ્યો નથી. હવે આ મામલામાં રાજ્યના ગૃહ વિભાગ મારફતે કેન્દ્ર સરકાર દ્વારા સંપર્ક કડીઓ મેળવવા માટે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ તપાસમાં ખોલ્યા છે અને તે બંને આરોપીઓ એનઆરઆઈ હોઈ હાલમાં અમેરિકા છે. જેમને લઈ લૂક આઉટ સર્ક્યુલર નિકાળવાની કાર્યવાહી કરવામાં આવી છે.

9 ગુજરાતીઓ ગત જાન્યુઆરી માસમાં અમેરિકા જવા માટે નિકળ્યા હતા. ત્યારબાદ આ તમામ લોકો ગત 4 ફેબ્રુઆરીથી સંપર્ક વિહોણા બન્યા છે. જેને લઈ તેમના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. પ્રાંતિજ પોલીસે આ મામલામાં તપાસનો ધમધમાટ શરુ કરતા એક બાદ એક બે આરોપીઓને ઝડપી લીધા છે, હવે મહેન્દ્ર પટેલને ઝડપી લેવા માટે ટીમો રચીને શોધખોળ શરુ કરી છે.

રિસીવર મારફતે પહોંચવાનો પ્રયાસ

આ દરમિયાન પોલીસે વધુ એક રસ્તો અપનાવ્યો છે મિસીંગ લોકો સુધી પહોંચવા માટે. આ મુજબ પોલીસે હવે અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા વિજય પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. તેના પહોંચવા માટે લૂકઆઉટ સર્ક્યુલર નિકાળવામાં આવ્યા છે. એનઆરઆઈ વિજય પટેલ આણંદના પેટલાદનો વતની છે અને તે અમેરિકા પહોંચતા જ આ નવ લોકોને રિસીવ કરનાર હતો. વિજય પટેલ ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોના રિસિવર તરીકેની ભૂમિકા નિભાવે છે. પોલીસે તેને આરોપી તરીકે આ ગુનામાં સામેલ કર્યો છે.

પોલીસને આશા છે કે, વિજય પટેલ પાસેથી સેન્ટ માર્ટીનમાં આ તમામ નવ લોકો હકીકતમાં અટવાયા છે કે, કેવી સ્થિતીમાં છે, તેની વિગતો મળી શકે છે. પ્રાંતિજ પોલીસે વધુ એક આરોપી ધવલ પટેલનુ પણ નામ ફરિયાદમાં ઉમેર્યુ છે.  ધવલ પટેલ ગાંધીનગરના કલોલ પાસેના નારદીપુર ગામનો છે. જે હાલમાં અમેરિકા જ સ્થાયી થયેલો છે અને તે એક મહિના પહેલા જ ગુજરાત આવીને પરત ફર્યો છે. ધવલ પટેલે ચાર વ્યક્તિઓને અમેરિકા મોકલવાના વચેટીયા તરીકે ભૂમિકા નિભાવી હતી. તેણે પ્રતિક, અવનિબેન, અંકિત અને ઘ્રુવરાજસિંહના એજન્ટ તરીકે ભૂમિકા નિભાવી હતી. પોલીસે ઘવલ પટેલના માટે પણ લૂક આઉટ સર્ક્યૂલરની કાર્યવાહી કરી છે.

9 ગુજરાતીઓ કેવી સ્થિતી હશે એ ચિંતા

અગાઉ આરોપી દિવ્યેશ પટેલે બતાવ્યુ હતુ કે, તમામ 9 લોકોને સેન્ટ થોમસ પહોંચવાનુ હતુ. પરંતુ તેઓ ડોમિનિકાથી નિકળીને સેન્ટ માર્ટિનમાં જ ઝડપાયા છે. પરંતુ જે પ્રકારે પોલીસે હાલમાં કાર્યવાહી શરુ કરી છે, તેમાં કોઈ એજન્સીને આ પ્રકારની કડીઓ મળી રહી નથી. આમ હવે સવાલ એ છે કે, તમામ લોકો કેવી સ્થિતીમાં હાલમાં દિવસો ગુજારતા હશે અને તેઓ હાલમાં ગોંધી રાખવામાં આવ્યા હશે કે પછી ખરેખર જ ઝડપાઈ ગયેલા હશે એ કોઈ જ સ્પષ્ટતા થઈ રહી નથી.

આ પણ વાંચો : BCA માં ડખો! ઈરફાન પઠાણે ફોડ્યો લેટર બોમ્બ, કિરણ મોરેને લઈ મૂક્યો મોટો આરોપ, કોચ નિયૂક્તિને લઈ વિવાદ વકર્યો-Video

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">