Sabarkantha: ધાણધામાં આગની ઘટના, પ્રવાસન પ્રધાન ઇડરીયા ગઢની મુલાકાતે, ઇડરથી SOG એ ગાંજો ઝડપ્યો

News Round Up ઇડરીયા ગઢ (Idariyo Gadh) ને વિકાસની અનેક આશા જિલ્લાને છે. પ્રવાસ પ્રધાનની મુલાકાત સાથે હવે ફરીએકવાર આશા બંધાઇ છે. SOG એ એક જ માસમાં બીજી વાર ગાંજાના જથ્થાને ઝડપી પાડ્યો છે.

Sabarkantha: ધાણધામાં આગની ઘટના, પ્રવાસન પ્રધાન ઇડરીયા ગઢની મુલાકાતે, ઇડરથી SOG એ ગાંજો ઝડપ્યો
Sabarkantha News Round Up
Follow Us:
| Updated on: Jul 06, 2021 | 10:33 AM

ધાણધા વિસ્તારની ફેક્ટરીમાં આગ

હિંમતનગર (Himmatnagar) ઇડર સ્ટેટ હાઇવે પર ધાણધા (Dhandha) વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. પૂંઠાના ખોખા બનાવતી ફેકટરીમાં આગ લાગ લાગવાને લઇને વિસ્તારમાં અપરાતફરીનો માહોલ સર્જાયો હતો હિંમતનગર નગર પાલીકા ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. જહેમત બાદ આગ પર ફાયર ટીમને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.

પૂંઠા ખોખા અને તેનુ રો મટીરીયલ હોવાને લઇ આગ વધુ વકરવાની ભીતી વર્તાઇ રહી હતી. પરંતુ ફાયર ટીમ ઝડપ થી પહોંચી આવતા આગ વધુ વિકરાળ બનતી અટકાવી શકાઇ હતી. આગ લાગવાનુ પ્રાથમિક અનુમાન શોટ સર્કિટ હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની સર્જાઇ નહોતી.

ઇડર ઘાંટી વિસ્તારમાં થી ગાંજો ઝડપાયો

ઇડર (Idar) શહેરના ગંભીરપુરા ઘાંટી વિસ્તારમાંથી ગાંજો ઝડપાઇ આવ્યો હતો. ગંભીરપુરા વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાએ ઓરડીમાં ગાંજો રાખ્યો હોવાની બાતમી સ્પેશીયલ ઓપરેશન ગૃપ (SOG) ને મળી હતી. જેને લઇ દરોડો પાડતા મહિલા પાસેથી ઓરડીમાં સંતાડી રાખેલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. 2 કિલો 121 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો SOG ટીમને મળ્યો હતો.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

SOG ટીમ વૃદ્ધ મહિલા ની ધરપકડ કરીને ઇડર પોલીસે મથકે લઇ ગઇ હતી. જ્યાં મહિલા વિરુદ્ધ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. SOG ટીમે એકાદ માસના અંતરમાં બીજી વાર ગાંજો ઝડપવામાં સફળ રહી છે. આ પહેલા હિંમતનગર નજીક થી ગાંજાનો જથ્થો ઝડપ્યો હતો.

પ્રવાસ પ્રધાનની ઇડરની મુલાકાત લીધી

ઇડર પ્રવાસન માટે જાણીતુ સ્થળ છે, પરંતુ પ્રવાસને લઇને વિસ્તારનો વિકાસ તેના નામ પ્રમાણે રુંધાઇ રહ્યો છે. પ્રસિદ્ધ ઇડરીયો ગઢ (Idariyo Gadh) ખનન ને લઇ ને હવે તેની સુંદરતા ગુમાવવા જઇ રહ્યો છે. રાણી તળાવ (Rani Lake) અને આસપાસના વિસ્તારને પણ પર્યટન વિકાસ હેઠળ આવરી લેવા માટે માંગ વર્તાઇ રહી છે. આ માટે આ પહેલા રાણી તળાવના બ્યુટી ફીકેશનને માટે ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.

આ દરમ્યાન હવે રાજ્યના પ્રવાસ પ્રધાન જવાહર ચાવડા (Jawahar Chavda) એ ઇડર ની મુલાકાત લીધી હતી. તેઓએ ઇડરીયો ગઢ અને રાણી તળાવ સહિતના વિસ્તારનુ નિરીક્ષણ કર્યુ હતુ. પ્રવાસ પ્રધાનની મુલાકાત અને નિરીક્ષણ ને લઇને હવે પ્રવાસને લઇને નવી યોજનાઓ સામે આવવાની અપેક્ષા સ્થાનિકોમાં વર્તાવા લાગી છે. તેઓએ સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડીયા (Hitu Kanodiya) અને આગેવાનોને પ્રવાસ વિકાસ માટે પ્રયાસો કરવાની ખાત્રી આપી છે.

આ પણ વાંચોઃ  Aravalli: શામળીયા ભગવાનને ચાંદીના વાસણની ભેટ, વરસાદ માટે કંટાળુ હનુમાનને અભિષેક કરાયો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">