વડોદરાના ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ચૂંટણી લડવાની મનાઇ કર્યા બાદ હવે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ લખીને ચૂંટણી લડવા મનાઈ કરી છે.
ભાજપે બીજી યાદી પસંદ કરતા રાજ્યની 7 બેઠકોના ઉમેદવારોને પસંદ કર્યા હતા. જેમાં સાબરકાંઠાના વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડની ટિકિટ કાપી હતી. દિપસિંહ રાઠોડને કાપીને ભાજપે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભીખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા.ભીખાજી દુધાજી ઠાકોર હાલમાં અરવલ્લી જિલ્લા ભાજપના મહામંત્રી પદ ધરાવે છે અને સાથે જ સાબરકાંઠા કો ઓપરેટિવ બેંકના વાઇસ ચેરમેન પદ પણ ધરાવે છે.
ભીખાજી ઠાકોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા હોવાની પોસ્ટ મુકી છે. ભાજપે ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તેમણે પ્રચાર પણ શરુ કરી દીધો હતો.તેમણે અરવલ્લી અને સાબરકાંઠામાં બેઠકો પણ શરુ કરી હતી. તેમને ક્યાંક અણસાર આવી ગયો હતો કે તેમણે તેમની સરનેમ અંગે એફિડેવિટ કરાવી હતી.તેમણે તેમની સરનેમ ડામોરમાંથી ઠાકોર કરાવી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં વિવાદો શરુ થયા હતા.
આ વિવાદોને લઇને તેમણે સ્પષ્ટતાઓ પણ કરી હતી.આ વિવાદોના પગલે જ તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હોવાની શક્યતા છે. હવે શક્યતા છે કે નવા ઉમેદવારની જાહેરાત થઇ શકે છે.
વર્તમાન સાંસદને ટિકિટ કાપીને ભીખાજી ઠાકોરને ભાજપે ઉમેદવાર પસંદ કર્યા હતા. વર્તમાન સાંસદ દિપસિંહ રાઠોડ 2 ટર્મથી ભાજપના સાંસદ તરીકે રહ્યા છે. તેઓ વર્ષ 2014માં પ્રથમ વાર ઠાકોર સમીકરણ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે 2019માં તેઓને રિપિટ કરવામાં આવ્યા હતા. જો કે તેમને પડતા મુકીને ભાજપે આ વખતે નવા ચહેરા એટલે કે ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી.
Published On - 11:35 am, Sat, 23 March 24