AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KUTCH: અહો આશ્ચર્યમ્, ભુજમાં વગર વરસાદે પડી રહ્યા છે ભૂવા, શહેરના અનેક વિસ્તારમાં સમસ્યા!

સામાન્ય રીતે ચૌમાસામાં રસ્તા બેસી જાય તેવી ઘટના તો રાજ્યમાં અનેક જગ્યાએ બને છે. પરંતુ ભુજમાં લાંબા સમયથી ડ્રેનેજના યોગ્ય આયોજનના અભાવે આવી સમસ્યા થઇ રહી છે.

KUTCH: અહો આશ્ચર્યમ્, ભુજમાં વગર વરસાદે પડી રહ્યા છે ભૂવા, શહેરના અનેક વિસ્તારમાં સમસ્યા!
Roads in Bhuj were broken without rain
Jay Dave
| Edited By: | Updated on: Jan 17, 2022 | 5:18 PM
Share

ગટરના પાણીના યોગ્ય નિકાલના અભાવે ચોમાસા (Monsoon) દરમ્યાન ભુજના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા સાથે રસ્તાઓ બેસી જવાની ધટના બને છે. પરંતુ હાલમાં વગર ચૌમાસે ભુજ શહેરના અનેક વિસ્તારોમાં ભુવા પડી રહ્યા છે.

તાજેતરમાં જ ભુજ (Bhuj) ના સ્ટેશન રોડ વિસ્તારમાં ગટરની લાઇન  (Drainage line) બેસી જતા મોટો ભુવો પડ્યો હતો. જેમાં પડી જવાથી અનેક વાહનચાલકો (Drivers) ખાડામાં પડી મુશ્કેલીમાં મુકાયા હતા. તો ભુજના લાલટેકરી વિસ્તારમાં પણ ગટરના મોટા ખાડાઓ પડી જતા ગટર વ્યવસ્થા પુર્વવત કરતા માટે ભારે મહેનત પડી હતી તો વિપક્ષ કોગ્રેસના વિરોધનો પણ પાલિકાને સામનો કરવા પડ્યો હતો ત્યારે વધુ બે વિસ્તારમાં ભુવા પડવાની ધટના બની છે.

ભુજના સ્વામીનારાયણ મંદિર રોડ પર બે દિવસ પહેલા આજ રીતે રોડ અચાનક બેસી ગયો હતો અને તેનુ કામ પુર્ણ થયા બાદ રસ્તા પર વાહન વ્યવહાર પુર્વવત થયો હતો. ત્યારે આજે ભુજના ખેંગારબાગ નજીક રસ્તા પર મોટુ ગાબળુ પડી જતા વાહનવ્યવહાર બંધ કરી પાલિકાએ કામગીરી શરૂ કરી છે.

મોટી દુર્ઘટના સર્જાશે ત્યારે જવાબદાર કોણઃ કોંગ્રેસ

કોગ્રેસે આક્ષેપ કર્યો છે. કે ગટર નિયોજનની નબળી કામગીરીને લીધે આ સમસ્યા ઉભી થઇ છે. અને ક્યારેક મોટી દુર્ધટના સર્જાશે ત્યારે કોણ જવાબદાર રહેશે. નગર પાલિકાએ યોગ્ય આયોજન સાથે મજબુત કામ કરવું જોીએ જેથી આવી સમસ્યાઓ ન થાય

નવી ગટર યોજનાની દરખાસ્ત મુકાઈ છેઃ પાલિકા પ્રમુખ

આ અંગે ભુજ પાલિકાના પ્રમુખ ધનશ્યામ ઠક્કરે જુની લાઇન અને ક્યાક નબળી ગટર લાઇન બેસી ગઇ છે. જેનુ કામ ચાલુ છે. અને નવી ગટર યોજના માટેની દરખાસ્ત મંજુર થયે આ સમસ્યાના કાયમી ઉકેલ માટેની વાત કરી ખેંગારબાગ નજીક સ્વામીનારાયણ મંદિરની પાણીની લાઇન બેસી જતા ભુવો પડ્યો છે. જે અંગે કામગીરી ચાલુ હોવાનુ કહ્યુ હતુ.

વારંવાર પડતાં ગાબડાંથી ભ્રષ્ટાચારની ગંધ

કરોડો રૂપીયાના ડ્રેનેજ કામો દર વર્ષે પાલિકા દ્રારા થાય છે પરંતુ યોગ્ય આયોજન વગર થતા કામોના ગાબળા ક્યાક ભષ્ટ્રાચારની ચાળી ખાય છે ત્યારે જોવુ રહ્યુ કે શહેરીજનોને આ કાયમી સમસ્યાથી ક્યારે છુટકારો મળે છે. ભુવાઓને કારણે મોટી દુર્ધટના સર્જાય તે પહેલા પાલિકા યોગ્ય કામગીરી કરે તેવી શહેરીજનોની માંગ છે.

આ પણ વાંચોઃ Gandhinagar : જાણીતા ગાયક વિજય સુવાળા ભાજપમાં જોડાયા, કમલમ ખાતે કેસરિયો ખેસ ધારણ કર્યો

આ પણ વાંચોઃ કચ્છમાં 21- 22 જાન્યુઆરીએ વરસાદ પડશે, ઠંડીનું જોર ઘટશે : હવામાન વિભાગ

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">