AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ધોરાજીના ફરેણી તાલુકા શાળા-2ના આચાર્યનું અનોખુ કાર્ય, ત્રણ બાળકના અભ્યાસની લીધી જવાબદારી

ધોરાજી ના ફરેણી રોડ પરના આર્થિક પછાત વિસ્તાર ઝૂપડપટ્ટી માં રહેતાં ચના વાઘેલાને પુત્ર પ્રવિણના પરિવારમાં બે દિકરી, એક પુત્ર તથા પત્ની છે. અકાળે પ્રવિણ વાઘેલાનું અવસાન થયુ છે. ત્યારબાદ આ વર્ષ દાદા પણ મૃત્યુ પામતા પરીવારમાં કોઈ કમાનાર રહ્યું નથી.

Rajkot: ધોરાજીના ફરેણી તાલુકા શાળા-2ના આચાર્યનું અનોખુ કાર્ય, ત્રણ બાળકના અભ્યાસની લીધી જવાબદારી
Rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:08 PM
Share

Rajkot : ધોરાજીના ફરેણી રોડ પરના આથીક પછાત વિસ્તાર ઝૂપડપટ્ટી મા રહેતાં ચના વાઘેલાને પુત્ર પ્રવિણના પરિવારમાં બે દિકરી, એક પુત્ર તથા પત્ની છે. અકાળે પ્રવિણ વાઘેલાનું અવસાન થયુ છે. ત્યારબાદ આ વર્ષે દાદા પણ મૃત્યુ પામતા પરીવારમાં કોઈ કમાનાર રહ્યું નથી. હવે પ્રવિણ વાઘેલાના બાળકો ભંગાર વીણવા જવા માટે મજબૂર બન્યા છે.

શહેરની તાલુકા શાળા નંબર 2માં બે દિકરી જેની,જાનકી અને પુત્ર મહેન્દ્રના ભરણ પોષણ તેમજ અભ્યાસની જવાબદારી વયોવૃધ્ધ બિમાર દાદી ના શિરે આવી ગયેલ છે. સંજોગોવસાત ગરીબ પરીવારના ભરણ પોષણ માટે નાના ભૂલકાઓને પ્લાસ્ટીક તેમજ કચરો વિણવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Devraj Patel Death : કોમેડિયન દેવરાજ પટેલનું થયું નિધન, છેલ્લો Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આ ત્રણેય બાળકો તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હતાં. જેમણે સ્કુલે આવવાંનુ બંધ કરી દેતા તાલુકા શાળાનાં આચાર્ય નિલેશ મકવાણા નું દિલ દ્રવી ઉઠ્યું હતુ. કે મારા વિસ્તારમાં કોઈ પરિવાર ઘરનાં ભરણ પોષણના અભાવે 8થી 10 વર્ષની દીકરીઓને અભ્યાસ છોડી મજૂરી કરવી પડે છે. ત્યારે આચાર્ય પ્રવિણ વાઘેલાના ઘરે પહોંચી ગયા અને વૃદ્ધ દાદીમાં ને કહ્યું માં શું કરું તો તમારી દીકરીઓને સ્કૂલે ભણવા મોકલો, માજી કહે ખાવાનું મળી જાય એટલે સાહેબ મારી દિકરીઓ સ્કૂલે આવશે.

શાળાના આચર્યે આખા વર્ષનું કરિયાણુ ભરી આપ્યુ

શાળાના આચાર્ય આખા વર્ષના ઘઉં અને અન્ય કરિયાણું તેમજ જરુરિયાતની તમામ વસ્તુઓ બીજા જ દિવસે માજીને પહોંચાડીને પૂછ્યુંકે મા હવે મોકલશો દીકરી ને શાળા એ માજી ગદગદિત થઈને કહ્યું સાહેબ હવે મારી દિકરી દરરોજ સ્કૂલે આવશે. આમ પણ અમારુ બીજે ક્યાંય સગા વહાલામાં જવાનું હોતું નથી. આમ મદદ કરીને ત્રણેય બાળકોને ફરી થી સ્કૂલે જવાનું શરૂ કરાવીને બાળકોનો અભ્યાસ શરૂ કરાવાની ઉમદા સેવાને સ્થાનિક લોકોએ બિરદાવી રહ્યા છે

આ અંગે ધોરાજી ફરેણી રોડ તાલુકા પ્રાથમીક શાળાના આચાર્ય નિલેશ મકવાણાએ જણાવ્યું હતું. આ મારી ફરજ છે જ્યાંથી હું આટલો પગાર મેળવું છુ. આ વિસ્તારનાં બાળકોમાં દસ ટકા પગાર વપરાય તો કાઈ વાંધો નથી. હું રેગ્યુલર 10 ટકા પગાર આમ બાળકો માટે વાપરું જ છુ કે મા બાપ વગર ના ત્રણ બાળકો મજૂરી કામ કરતા જાણ થતાં તેમનો અભ્યાસ ન બગડે અને ભાવી જીવન સુધરે તેમજ સારો અભ્યાસ કરી શકે તે માટે તેમને અનાજ પુરુ પાડ્યુ છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

( વીથ ઈનપુટ – હુસેન ખુરેશી )

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">