AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલકો દ્વારા ઉચાપત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આત્મીય યુનિવર્સીટીને રાજ્ય સરકાર હસ્તગત કરવા કરી માગ

કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાનને પત્ર લખીને આત્મીય સંકુલના સંચાલકો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને આત્મીય સંકુલનો વહીવટ સરકાર હસ્તગત લેવા માગ કરી છે.

Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલકો દ્વારા ઉચાપત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આત્મીય યુનિવર્સીટીને રાજ્ય સરકાર હસ્તગત કરવા કરી માગ
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:45 PM
Share

Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ દ્વારા આત્મીય યુનિવર્સિટી સાથે 33 કરોડની છેતરપિંડીના આરોપ અંગે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાનને પત્ર લખીને આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર હસ્તગત લેવા માગ કરી છે.

“નોન પ્રોફીટેબલ હેતુ આપેલી જગ્યામાં ખાનગી યુનિવર્સીટી ખડકી દેવાઈ” – રોહિત રાજપૂત

મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સર્વોદય કેળવણી મંડળને નોન પ્રોફીટેબલ હેતુ માટે જમીન આપી હતી.આ પ્રકારના શૈક્ષણિક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી લેવાની હોય છે જેની સામે આત્મીય યુનિવર્સિટીમાં 20-20 હજાર જેટલી મસમોટી વાર્ષિક ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાય છે.

congress later

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડા ડૉ સમીર વૈદ્ય સામે પણ આરોપ છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કોંગ્રેસે સરકાર પાસે માગ કરી છે કે આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર પોતાના હસ્તગત કરી લે અને સંસ્થામાં વહીવટ હેતુસર સિનિયર અધિકારીની નિમણુંક કરવા પણ માગ કરી છે.

ત્યાગવલ્લભ સ્વામી અને ડૉ સમીરે કરી આગોતરા જમીન અરજી, આવતીકાલે ચુકાદો

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં ૩૩ કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો છે. હાઇપ્રોફાઇલ કેસમાં કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">