AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSME ઉદ્યોગોને લગતી મુશ્કેલીઓ અને યોજનાઓ માટે રાજકોટમાં યોજાયો ખાસ સેમિનાર

પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમના ટેક્નિકલ સેશનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મોરીએ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ-2022 અંતર્ગત એમ.એસ.વી. ઉદ્યોગો માટેની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી પુરી પાડી હતી.

MSME ઉદ્યોગોને લગતી મુશ્કેલીઓ અને યોજનાઓ માટે રાજકોટમાં યોજાયો ખાસ સેમિનાર
special seminar was held in Rajkot for difficulties and schemes related to MSME industries
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:03 AM
Share

રાજકોટ (Rajkot) માં 22 માર્ચ – ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંસ્થાન – અમદાવાદના ઉપક્રમે રાજકોટ ચેપ્ટર દ્વારા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે રાજકોટ ખાતે પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમ (Publicity and Awareness Program) યોજાયો હતો. આ કાર્યક્રમમાં એમ.એસ.એમ.ઈ. સેક્ટર સંલગ્ન યોજનાકીય માહિતી, નવી ઔદ્યોગિક નીતિ, રોકાયેલા પેમેન્ટ, વેન્ડર ડેવલોપમેન્ટ સહીતની બાબતોનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

રાજ્ય સરકારની યોજનાકીય માહિતી અપાઇ

રાજકોટમાં યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમના ઇનોગ્રેશન સેશનમાં એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદના જોઈન્ટ ડાયરેક્ટર વિકાસ ગુપ્તા, ડેપ્યુટી ડાયરેક્ટર પી.એન.સોલંકી, ડી.જી.સી.એફ.ટી.ના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ અભિષેક શર્માએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાકીય માહિતી અને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગના વિકાસમાં ભારત સરકારની નીતિની માહિતી પુરી પાડી હતી.

યોજનાઓ અને લાભોની માહિતી અપાઇ

‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત યોજાયેલા પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમના ટેક્નિકલ સેશનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મોરીએ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ-2022 અંતર્ગત એમ.એસ.વી. ઉદ્યોગો માટેની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી પુરી પાડી હતી. એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગના અટવાયેલા કે રોકાયેલા પેમેન્ટ માટે સરકારની એમ.એસ.ઈ.એફ.સી.ની રચના અને કામગીરી અંગેની માહિતી ચાર્મી જાની અને અમિત કારોલિયાએ પુરી પાડી હતી. જયારે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોમાં થતી ખરીદીની પ્રક્રિયા માટે સપ્લાયર બનવા માટેનું માર્ગદર્શન હાર્દિક કાતરીયા તેમજ વેસ્ટર્ન રેલવેના નંદલાલ મીના દ્વારા આપવામાં આવ્યું હતું.

અનેક પ્રશ્નોનું નિરાકરણ લવાયુ

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર પ્રેઝન્ટેશન દ્વારા જી.એસ.ટી.ના એડિશનલ કમિશનર ભારત પ્રકાશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ઉદ્યમ રજીસ્ટ્રેશન, ડીલેઈડ પેમેન્ટ અને જી.એસ.ટી.ને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

રાજકોટમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત યોજાયેલા આ સેમિનારમાં એમ.એસ.એમ.ઈ. રાજકોટના સહાયક નિયામક સ્વાતિ આરવડા, રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશ વસાણી, યોગીન છનિયારા, મહેશ સાવલિયા તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો-

Surat : ગ્રીષ્મા હત્યા કેસને લઇને સુરતના નાટ્ય કલાકારોએ સમાજને સંદેશો આપવા વિશેષ નાટક તૈયાર કર્યું

આ પણ  વાંચો-

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચે આવશે ગુજરાત, દ્વારકા અને જામનગરમાં વિવિધ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">