AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : માસ્કને મરજિયાત કરવા અંગે શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ

માંડવિયાએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુૂ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ ભારત બની રહ્યો છે.હજુ પણ નવી બે વેક્સિન આવે તેવી શક્યતા છે.વૈજ્ઞાનિકો આ અંગે કામ કરી રહ્યા છે.દેશની દરેક હોસ્પિટલ અને ડોક્ટરો પાસે વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવી છે.

Rajkot : માસ્કને મરજિયાત કરવા અંગે શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ
Rajkot: Union Health Minister Mansukh Mandvia issued a statement regarding the need for masks
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 13, 2022 | 7:12 PM
Share

કોરોનાને લઇને સારા સંકેત,ત્રીજી લહેર હવે અંત તરફ, જોકે માસ્ક મરજિયાત અંગે કોઇ નિર્ણય નહિ : મનસુખ માંડવિયા

Rajkot : દેશમાં ત્રીજી લહેર હવે હળવી પડી હોવાનો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Union Health Minister Mansukh Mandvia)દાવો કર્યો છે.મનસુખ માંડવિયાએ રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે દેશમાં ત્રીજી લહેરથી દેશ હવે બહાર આવી ગયો છે.બીજી લહેર કરતા ત્રીજી લહેર હળવી રહી છે તેનુૂં કારણ દેશમાં 96 ટકા લોકોએ લીધેલી વેક્સિન છે.વેક્સિન લેવાથી લોકોને ત્રીજી લહેરમાં ગંભીર અસર નથી થઇ અને હોસ્પિટલમાં સારવાર માટે પણ દાખલ થવું પડ્યું નથી.નિષ્ણાંતોના મતે કોઇપણ પેન્ડેમિક બે વર્ષમાં એન્ડેમિક થઇ જતું હોય છે ત્યારે આશા રાખીએ કે કોરોના પણ હવે ફરી ન આવે.

બીજી લહેરમાં 67 ટકા લોકોને એન્ટિબોડી

મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર ખુબ જ ધાતક સાબિત થઇ હતી.બીજી લહેરમાં બાળકોથી લઇને વૃધ્ધ સુધી તમામ લોકો સંક્રમિત થયા હતા.જો કે બાળકોમાં લક્ષણો જોવા મળ્યા ન હતા.કેન્દ્ર સરકાર દ્રારા બીજી લહેર બાદ લોકોમાં એન્ટિબોડી જાણવા માટે શીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં 67 ટકા લોકોને એન્ટિબોડી થઇ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

હજુ બે વેક્સિન આવે તેવી શક્યતા

માંડવિયાએ કહ્યું હતું કે વિશ્વમાં સૌથી વધુૂ વેક્સિનનું ઉત્પાદન કરતો દેશ ભારત બની રહ્યો છે.હજુ પણ નવી બે વેક્સિન આવે તેવી શક્યતા છે.વૈજ્ઞાનિકો આ અંગે કામ કરી રહ્યા છે.દેશની દરેક હોસ્પિટલ અને ડોક્ટરો પાસે વેક્સિન મળી રહે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકાર દ્રારા કરવામાં આવી છે.વેક્સિનને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા નહિવત થઇ રહી છે.

માસ્ક મરજિયાત અંગે કોઇ વિચાર નહિ

મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે.કેસોની સંખ્યા જે આવી રહી છે તે ખુબ જ ઓછી છે અને જે પોઝિટિવ કેસો આવી રહ્યા છે તે પણ એ સિમ્ટોમેટિક રહ્યા છે.જો કે હાલમાં માસ્ક મરજીયાત અંગે કોઇ વિચાર નથી.સામાન્ય સંજોગોમાં પણ માસ્ક આપણું રક્ષણ કરે છે અને માસ્ક પહેર્યું હોય તો ઇન્ફેકશન લાગવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે ત્યારે માસ્ક મરજિયાત અંગે હાલ કોઇ નિર્ણય નહિ.

આ પણ વાંચો : Ripal Patel, IPL 2022 Auction: રિપલ પટેલને દિલ્હી કેપિટલ્સે ફરી વાર પોતાની સાથે જોડ્યો, નડિયાદના સામાન્ય પરિવારમાંથી આવે છે આ યુવા ખેલાડી

આ પણ વાંચો : Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">