Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!

ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે.

Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:19 PM

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ડુંગળીના ભાવ તળિયે છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. ડુંગળી વેચતા ખેડૂતોને ઉપજના રૂપિયા તો ઠીક સામા મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે આવું જ એક ખેડૂતનું વેપારીએ બનાવેલું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂતે 472 કિલો ડુંગળીનું વેચાણ કર્યું તો ઉપજ એક રૂપિયો મળ્યો નહીં, પરંતુ ઉલટાના વેપારીને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

ભાવ મળ્યો મણે 21 રૂપિયા, ખર્ચે થયો મણે 25 રૂપિયા

રાજકોટના જૂના માર્કટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઇ કુંરજીભાઇ માઘાણીએ જણાવ્યું હતું કે ‘મારે 10 વીઘા જમીન હતી. જેમાંથી મેં કુલ 472 કિલો ડુંગળી રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મોકલી હતી. યાર્ડમાં ડુંગળી મોકલવાનો ખર્ચ પ્રતિ મણ 25 રૂપિયા આવ્યો હતો.જે ની સામે યાર્ડમાં ડુંગળીના માત્ર 21 રૂપિયા મણના ઉપજ્યા હતા. ડુંગળી લઈ જવાના તમામ ખર્ચ બાદ કરતા કોઈ નફો તો મળ્યો નહીં , પરંતુ 131 રૂપિયા મારે વેપારીને ચૂકવવા પડ્યા હતા. ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે.   આ  ડુંગળીનો ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590  ચૂકવાવનું થયું હતું.  ડુંગળી વેચતા નફો કે મૂળ રકમ તો ન મળી પરંતુ  સામે પૈસા ચૂકવવાના થતા દશા કફોડી થઈ  ગઈ હતી.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોના વ્યવહાર અટકી ગયા છે:દિલીપ સખિયા

આ અંગે કિસાન સંઘના આગેવાન દિલીપ સખિયાએ કહ્યું હતું કે જ્યારે ચાર મહિના પછી ખેડૂત ડુંગળી લઇને માર્કેટીંગ યાર્ડ આવે છે ચાર મહિના સુધી જંતુનાશક દવા, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ખર્ચ થાય છે ત્યારે તેની ઉપજ પણ મળતી નથી. આ ભાવ રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવશે તે સવાલ છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આગેવાન તરીકે સરકાર આ દિશામાં નક્કર આયોજન કરે તેવી માંગ કરી છે.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">