AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!

ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે.

Rajkot : ડુંગળી વેચવાનો નફો તો ના મળ્યો, પરંતુ ખેડૂતે સામા 131 રૂપિયા ચૂકવ્યા, મજૂરો પણ રોતા રોતા વતનમાં ગયા, ખેડૂતે વર્ણવી વ્યથા!
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 02, 2023 | 3:19 PM
Share

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાં ડુંગળીના ભાવ તળિયે છે ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવી રહ્યો છે. ડુંગળી વેચતા ખેડૂતોને ઉપજના રૂપિયા તો ઠીક સામા મજૂરી ખર્ચ ચૂકવવો પડી રહ્યો છે આવું જ એક ખેડૂતનું વેપારીએ બનાવેલું બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જેમાં કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂતે 472 કિલો ડુંગળીનું વેચાણ કર્યું તો ઉપજ એક રૂપિયો મળ્યો નહીં, પરંતુ ઉલટાના વેપારીને સામે 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા.

ભાવ મળ્યો મણે 21 રૂપિયા, ખર્ચે થયો મણે 25 રૂપિયા

રાજકોટના જૂના માર્કટીંગ યાર્ડમાં ડુંગળી વેચવા આવેલા કાલાવડ તાલુકાના ધુતારપુર ગામના ખેડૂત જમનભાઇ કુંરજીભાઇ માઘાણીએ જણાવ્યું હતું કે ‘મારે 10 વીઘા જમીન હતી. જેમાંથી મેં કુલ 472 કિલો ડુંગળી રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં મોકલી હતી. યાર્ડમાં ડુંગળી મોકલવાનો ખર્ચ પ્રતિ મણ 25 રૂપિયા આવ્યો હતો.જે ની સામે યાર્ડમાં ડુંગળીના માત્ર 21 રૂપિયા મણના ઉપજ્યા હતા. ડુંગળી લઈ જવાના તમામ ખર્ચ બાદ કરતા કોઈ નફો તો મળ્યો નહીં , પરંતુ 131 રૂપિયા મારે વેપારીને ચૂકવવા પડ્યા હતા. ખેડૂત જમનભાઇએ કહ્યું હતું કે ડુંગળીના નફાકારક ભાવ મળ્યા નથી . તેમજ મારી સાથે સાડા ચાર મહિના જે મજૂરોએ કામ કર્યું હતું તેઓ રોતાં રોતાં ઉપજ વગર પોતાના વતન ગયા છે.   આ  ડુંગળીનો ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો અને ટ્રક ભાડું રૂ. 590  ચૂકવાવનું થયું હતું.  ડુંગળી વેચતા નફો કે મૂળ રકમ તો ન મળી પરંતુ  સામે પૈસા ચૂકવવાના થતા દશા કફોડી થઈ  ગઈ હતી.

ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતોના વ્યવહાર અટકી ગયા છે:દિલીપ સખિયા

આ અંગે કિસાન સંઘના આગેવાન દિલીપ સખિયાએ કહ્યું હતું કે જ્યારે ચાર મહિના પછી ખેડૂત ડુંગળી લઇને માર્કેટીંગ યાર્ડ આવે છે ચાર મહિના સુધી જંતુનાશક દવા, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન વગેરેના ખર્ચ થાય છે ત્યારે તેની ઉપજ પણ મળતી નથી. આ ભાવ રહે તો ખેડૂતો પોતાનું ગુજરાન કઇ રીતે ચલાવશે તે સવાલ છે. કિસાન સંઘે દાવો કર્યો હતો કે આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથે વાત થઇ છે તેઓ આ અંગે પણ ચિતિંત હોવાનો દાવો કર્યો છે. ખેડૂત આગેવાન તરીકે સરકાર આ દિશામાં નક્કર આયોજન કરે તેવી માંગ કરી છે.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">