AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: લોકમેળામાં લોકોને રાઇડ્સના વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે, રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાઇ

રાજકોટમાં (Rajkot) આ વર્ષે પણ ધામધૂમથી લોકમેળો યોજવા જઇ રહ્યો છે. જો કે મેળા પહેલા છેલ્લા કેટલાક દિવસથી યાંત્રિક રાઇડ્સના સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે રાઇડ્સના ભાવવધારાની માગ કરવામાં આવી હતી.

Rajkot: લોકમેળામાં લોકોને રાઇડ્સના વધુ રૂપિયા નહીં ચૂકવવા પડે, રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચેની મડાગાંઠ ઉકેલાઇ
રાજકોટનો લોકમેળો (ફાઇલ તસવીર)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 12:49 PM
Share

રાજકોટવાસીઓને (Rajkot) રેસકોર્સમાં યોજાતા લોકમેળામાં હવે રાઇડ્સના વધુ ભાવ નહીં ચૂકવવા પડે, કારણકે લોકમેળામાં (Fair) રાઇડ્સના (rides) ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. લોકોમેળમાં રાઇડ્સના ભાવ વધારાને લઇ રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે મડાગાંઠ ચાલી રહી હતી જેનો ઉકેલ આવી ગયો છે. એટલે કે હવે મેળામાં રાઇડ્સના ભાવમાં કોઇ વધારો કરવામાં નહીં આવે. તો બીજી તરફ વહીવટી તંત્રએ 28 પ્લોટની હરાજી પૂર્ણ કરી છે. જ્યારે અન્ય બાકીના 16 પ્લોટની આજે હરાજી થશે.

રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે સમાધાન

રાજકોટમાં દર વર્ષે સાતમ-આઠમનો લોકમેળો યોજાતો હોય છે. ત્યારે આ વર્ષે પણ ધામધૂમથી લોકમેળો યોજવા જઇ રહ્યો છે. જો કે મેળા પહેલા છેલ્લા કેટલાક દિવસથી યાંત્રિક રાઇડ્સના સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે રાઇડ્સના ભાવવધારાની માગ કરવામાં આવી હતી. રાઇડ્સ સંચાલકો અને જિલ્લા તંત્ર વચ્ચે મડાગાંઠના કારણે પ્લોટની હરાજી અટકી પડી હતી. વહીવટી તંત્રએ ભાવવધારાને અયોગ્ય ગણાવ્યો હતો. જો કે યાંત્રિક રાઇડ્સના સંચાલકો ભાવવધારાની માગ સાથે મક્કમ હતા. જો કે હવે રાઇડ્સ સંચાલકો અને તંત્ર વચ્ચે સમાધાન થઇ ગયુ છે. જેના પગલે હવે મેળામાં રાઇડ્સના ભાવમાં વધારો કરવામાં નહીં આવે. આ સાથે જ અન્ય બાકીના 16 પ્લોટની હરાજી આજથી શરુ થઇ જશે.

રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાશે

આ મેળો રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. તૈયારીઓના ભાગરૂપે આગામી સમયમાં હજુ વધુ બેઠકો યોજાવાની છે. આગામી સમયમાં સ્ટોલ માટેના ફોર્મ વિતરણ પણ કરવામાં આવશે. દર વર્ષે મેળાને એક અલગ નામ આપવામાં આવતું હોય છે. જેના માટે સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. તેમજ ફાયર સેફ્ટી, પાર્કિંગ નિયમન વગેરે માટે વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેને લઈને આગામી બેઠકોમાં નિર્ણય લેવાશે.

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે આ મેળો

રંગીલા રાજકોટની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે. પરંતુ રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લાખો લોકોની મેદની આ લોકોમેળામાં આવે છે. લાખો લોકોને રોજગારી મળે છે. લોકોમેળો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.

મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર એલર્ટ
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
g clip-path="url(#clip0_868_265)">