Rajkot : સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધ્યા, ડબ્બે રૂપિયા 40નો વધારો

ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. ત્યારે સિંગતેલમા ભાવમાં વધારો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 5:16 PM

Rajkot : છેલ્લા કેટલાય સમયથી સિંગતેલ સહિતનાં તેલનાં ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જ્યારે આજે સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો નોંધાયો છે. એકધારા વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવ અને વૈશ્વિક બજારના ઉતાર-ચઢાવ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવને પણ અસર કરે તે સ્વભાવિક છે. ત્યારે રાજકોટમાં ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો નોંધાયો છે.

સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ, ડબ્બે રૂપિયા 40 વધ્યા છે. ત્યારે જો કપાસિયા તેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો 40 રૂપિયાના વધારા સાથે હાલનો ભાવ 2300 થયો છે. જ્યારે સિંગતેલના ડબ્બાના નવા ભાવની વાત કરવામાં આવે તો, 40 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 2440 રૂપિયા થયો છે.

નોંધનીય છે કે, ગુજરાતમાં દર વર્ષે 12 લાખ ટન ખાદ્યતેલની માંગ રહે છે. દેશમાં સિંગતેલની સૌથી વધુ માંગ રહે છે. રાજ્યમાં અંદાજે 4.5 થી 54 ટન લાખ સિંગતેલનું ઉત્પાદન થાય છે. વેપારીઓનું માનવું છે કે, વૈશ્વિક બજારના કારણે ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે રાજ્યમાં મગફળીનું સરેરાશ 25થી 30 લાખ ટનનું ઉત્પાદન થાય છે. છતાં ગરીબો તેલથી વંચિત રહે છે. વચેટિયાની નફાખોરીમાં ખેડૂતો અને ગ્રાહક બંને લૂંટાઇ રહ્યાં છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">