Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી દૂધમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસવાની સરળ રીતો

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે જે પૈકી ઘર બેઠા ખાઘ સામગ્રીની ચકાસણી કરી શકાય છે.

Rajkot મનપાના ફૂડ અધિકારીએ જણાવી દૂધમાં ભેળસેળ છે કે નહિ તે ચકાસવાની સરળ રીતો
Rajkot Corporation Food Officer said easy ways to check if it is adulterated in milk (File Image)
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 26, 2021 | 8:24 PM

રાજકોટ(Rajkot) માં ભેળસેળ યુક્ત દુધ(Milk)નો કાળો કારોબાર ચાલી રહ્યો છે.તાજેતરમાં રાજકોટ પોલીસ દ્રારા 1 હજાર લીટર શંકાસ્પદ દુધનો જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ આજે મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં 228 લીટર જેટલો ભેળસેળ(Adultration)યુક્ત જથ્થાનો નાશ કર્યો હતો જ્યારે પાંચ સેમ્પલને વધુ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

જો કે આ બધાની વચ્ચે એક સવાલ એ થાય કે આપણે જે દુધનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તે ચોખ્ખું છે કે ભેળસેળયુક્ત.અમે આપને જણાવીએ છીએ કે કઇ રીતે આપ ઘરે બેઠા દુધની ચકાસણી કરી શકો.ટીવીનાઇન સાથેની વાતચીતમાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ અધિકારી અમિત પંચાલે કહ્યું હતુ કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાર્ડડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્રારા કેટલાક માપદંડ નક્કી કરાયા છે જે પૈકી ઘર બેઠા ખાઘ સામગ્રીની ચકાસણી કરી શકાય છે.

1.દુધમાં પાણી છે કે કેમ સામાન્ય રીતે દુધ ઉત્પાદકો વધારે નફો કમાવવા માટે દુધમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે આપના દુધમાં પાણી ચકાસણી કરવા માટે આટલું કરવું જોઇએ..જો દુધમાં પાણી હશે તો દુધનું ટીંપુ જમીનની લાદી પર નાખવાથી જો દુધ ચોખ્ખું હશે તો દુધ સફેદ લીસોટો છોડી જશે એટલે કે દુધનું ટીપું ગોળ જ રહેશે રેલાશે નહિ જો દુધ ભેળસેળયુક્ત હશે તો લીસોટો નહિ થાય પરંતુ સીધુ જ જમીન પર પડી જશે અને રેલાઇ જશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

2.દુધ પાવડરયુક્ત છે કે કેમ

કેટલીક વખત દૂધને ઘટ્ટ બનાવવા માટે તેમાં પાવડરનો ઉપયોગ થતો હોય છે તો ક્યારેક હલકી ગુણવત્તાના પાવડરથી પણ દુધ તૈયાર થતું હોય છે ત્યારે તેની ચકાસણી માટે એક ગ્લાસમાં 5 થી 10 એમએલ દુધ અને પાણી સરખું લેવું.બંન્ને એકરસ થઇ જાય તે રીતે ભેળવવું.જો દુધમાં પાવડર ઉમેરવામાં આવ્યો હશે તો ધાટા અને વધુ ફીણ થશે અને જો દુધ શુધ્ધ હશે તો આછા-પાતળા ફીણ જોવા મળશે..

3.સ્ટાર્ચનો ઉમેરો છે કે કેમ

દુધને ઘટ્ટ બનાવવા માટે તેમાં સ્ટાર્ચનો ઉપયોગ થાય છે ત્યારે દુધમાં સ્ટાર્ચની ભેળસેળ કરેલી છે કે કેમ તેની ચકાસણી કરવા માટે એક બાઉલમાં દુધ લેવું તેમાં બે ટીપાં આયોડીનના એડ કરવા જો સ્ટાર્ચની ભેળસેળ હોય તો દુધ બ્લુ કલરનું થઇ જશે.

4.દુઘ ગરમ કરતી વખતે આટલું ધ્યાન રાખવું

દુધ ગરમ કરતી વખતે જો તેમાં જે ઉપરનો ભાગ હોય તેમાં તેલ જેવો પ્રવાહી પદાર્થ વધારે પ્રમાણમાં જોવા મળે દુધમાં તેલની ભેળસેળ હોવાની શક્યતા છે જેથી દુધની ચકાસણી કરવી જરૂરી છે આ ઉપરાંત દુધ ગરમ થયા બાદ તપેલીના તળિયા પર લહેર જામે છે તે લહેર પાવડરને કારણે હોય તેવી શક્યતા છે.દુધમાંથી માખણ કાઢતી વખતે બે થી ત્રણ વખત માખણ નીકળે તો આ દુધ ભેળસેળ યુક્ત હોવાની શક્યતા રહેલી છે.

ફેટ વધારવા માટે દુધમાં કરાય છે ભેળસેળ

રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે દુધનો ભાવ તેના ફેટના આધારે નક્કી થતો હોય છે જેથી કેટલાક લેભાગુ તત્વો દ્રારા દુધમાં ફેટ વધારવા માટે પહેલા દુધને ગરમ કરીને તેમાંથી ફેટ કાઢી લે છે.સામાન્ય રીતે પશુઓનું દુધ 5 થી 6 ફેટનું હોય છે જેથી ઉત્પાદક દુધ ગરમ કરીને તેમાંથી મલાઇ કાઢી લે છે અને ત્યારબાદ ફેટ વધારવા માટે તેમાં વેજીટેબલ ઓઇલ અથવા તો સોયાબીન તેલનો ઉપયોગ કરે છે અને ફેટ વધારે છે જેથી આવા દુધમાંથી મલાઇ નીકળી શકતી નથી.

આ પણ વાંચો : Gomati Chakra Remedies : ગોમતી ચક્ર ઘરમાં રાખવાના છે ફાયદા, તમે પણ રાખવાનું શરૂ કરી દેશો 

આ  પણ વાંચો :  Maharashtra : કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">