Rajkot : ગેસ ગળતરમાં શ્રમિકના મોત મામલે દસ લાખની સહાય જાહેર,પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

શ્રમિક મેહુલના પરિવારજનો અને વાલ્મિકી સમાજના અગ્રણીઓએ મહાનગરપાલિકા સામે ત્રણ ડિમાન્ડ મૂકી હતી.જો કે રાજકોટ મહાનગરપાલિકાએ 10 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

Rajkot : ગેસ ગળતરમાં શ્રમિકના મોત મામલે દસ લાખની સહાય જાહેર,પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 23, 2023 | 7:30 AM

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા સમ્રાટ મેઇન રોડ પર 21 માર્ચના રોજ ભુગર્ભ ગટરની સાફ સફાઇ સમયે શ્રમિક મેહુલ મેસડા અને અફઝલ નામના મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરનું મોત નીપજ્યુ હતુ. આ કેસમાં શ્રમિક મેહુલના પરિવારજનો અને વાલ્મિકી સમાજના અગ્રણીઓએ મહાનગરપાલિકા સામે ત્રણ ડિમાન્ડ મૂકી હતી.

જેમાં મૃતકના પરિવારને આર્થિક સહાય,પરિવારના એક સભ્યને મનપામાં નોકરી અને સરકારી આવાસમાં રહેવા માટે ક્વાર્ટર આપવાની માંગ કરી હતી.જો કે રાજકોટ મહાનગરપાલિકાએ 10 લાખ રૂપિયાની સહાય આપવાની માંગ સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.

 પરિવારજનોની માગ મહાનગરાપાલિકાએ સ્વીકારી

આ અંગે TV9 ન સાથે વાતચીત કરતા વાલ્મિકી સમાજના અગ્રણી બટુક વાધેલાએ કહ્યું હતું કે શ્રમિકના મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને તેઓ નિરાધાર થઇ ગયા છે ત્યારે અમે મહાનગરપાલિકા પાસે 10 લાખ રૂપિયાની આર્થિક સહાય,એક આવાસમાં ક્વાર્ટર અને નોકરીની માંગ કરી હતી. આ માંગ સાથે અમે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને શાસકો સાથે ચર્ચા કરતા અમારી બે માંગ સ્વીકારી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

જેમાં પરિવારને 10 લાખ રૂપિયા આપવામાં આવશે,સાથે સાથે એક સરકારી ક્વાર્ટર માટેની તમામ વહિવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને નિયમ પ્રમાણે આવાસની ફાળવણી કરવામાં આવશે. નોકરી આપવી વહીવટી રીતે શક્ય ન હોય તેથી તે માંગ સ્વીકારવામાં આવી ન હતી. મહાનગરપાલિકાએ બે માંગ સ્વીકારતા પરિવારજનોએ મૃતદેહ સ્વીકારીને તેના અંતિમ સંસ્કાર કર્યા હતા.

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ

તો આ તરફ ભુગર્ભ ગટરમાં ગેસ ગળતરથી થયેલા મોત મામલે હવે પોલીસે તપાસ શરૂ કરી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ભુગર્ભ ગટર સાફ સફાઇના કોન્ટ્રાક્ટર અફઝલ પુપર અને તપાસમાં જેમના પર નામ ખુલે તેની સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ભુગર્ભ ગટરની સાફ સફાઇ સમયે કોઇપણ પ્રકારની મશીનરીનો ઉપયોગ કર્યા વગર આ ભુગર્ભ સાફ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી છે જો કે આ કિસ્સામાં શ્રમિક મેહુલને બચાવવા જતા કોન્ટ્રાક્ટર અફઝલનું પણ મોત નીપજ્યું હતું.

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">