AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ

મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:03 AM
Share

રાજકોટ (Rajkot) બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ જવાબો રજૂ કર્યા છે. બાલાજી મંદિર ટ્રસ્ટે (Balaji Mandir Trust) પુરાવા સાથે જવાબ રજૂ કર્યો છે. કલેક્ટર પ્રભવ જોષીએ બંને પક્ષકારોને સાંભળ્યા છે. હવે કલેક્ટરે પુરાવા સાથે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો-  Ahmedabad : ચાંદખેડાની શિબાની રોય મિસીસ અર્થ ક્વીન બની, અમદાવાદના મેયરે શુભેચ્છા પાઠવી

તો બીજીતરફ ગજાનંદધામ કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિના સભ્યોએ પણ કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કર્યો છે. કરણસિંહજી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે-સરકારે મૂકેલી શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. પહેલેથી જ કીધુ હતુ કે શાળાનું રિનોવેશન કરવા નથી માગતા પણ શાળા પાડી નાખવા માંગે છે. આ મામલે જિલ્લા કલેક્ટરને પુરાવા આપ્યા છે. સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે- કલેક્ટરે અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી છે.

શું છે આખો વિવાદ?

રાજ્ય સરકાર દ્રારા ભુપેન્દ્ર રોડ પર આવેલી કરણસિંહજી હાઇસ્કૂલ જે જર્જરિત થઈ ગઈ છે. તેના રિનોવેશન માટે અને શૈક્ષણિક હેતુ માટે બાજુમાં આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટને સોંપી હતી. મંદિર ટ્રસ્ટ દ્રારા આ જગ્યાને તેની મૂળ સ્થિતિમાં ફેરફાર કર્યા વગર જ તેનુ રિનોવેશન કરીને ત્યાં સંસ્કૃત પાઠશાળા બનાવવાનો હુક્મ કરવામાં આવ્યો હતો.

જો કે મંદિર ટ્રસ્ટ દ્રારા અહીં 20 ચોમી જગ્યામાં આવેલા મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા કે જિલ્લા કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર જ આ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહિ મંદિર પરિસરમાં આવેલો ચબુતરો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાજુમાં આવેલા અન્નક્ષેત્ર પણ ચાલુ ન થાય તે રીતે તેમાં આજુબાજુ પથ્થરો પતરા સહિતની ચીજવસ્તુઓ રાખી દેવામાં આવી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">