AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ

મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

Rajkot : બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદ મુદ્દે બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ રજૂ કર્યો જવાબ, હવે કોર્ટમાં રજૂ કરાશે રિપોર્ટ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2023 | 9:03 AM
Share

રાજકોટ (Rajkot) બાલાજી મંદિર ટ્રસ્ટ વિવાદમાં બંને પક્ષોએ કલેક્ટર સમક્ષ જવાબો રજૂ કર્યા છે. બાલાજી મંદિર ટ્રસ્ટે (Balaji Mandir Trust) પુરાવા સાથે જવાબ રજૂ કર્યો છે. કલેક્ટર પ્રભવ જોષીએ બંને પક્ષકારોને સાંભળ્યા છે. હવે કલેક્ટરે પુરાવા સાથે પોતાનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરે કહ્યું કે તેમણે કોઈ ગેરકાયદે બાંધકામ નથી કર્યું. જેના પુરાવા સાથે કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કરવામાં આવ્યો છે. જરૂરી દસ્તાવેજો સાથે રાજકોટ મહાનગરપાલિકામાં પણ મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો-  Ahmedabad : ચાંદખેડાની શિબાની રોય મિસીસ અર્થ ક્વીન બની, અમદાવાદના મેયરે શુભેચ્છા પાઠવી

તો બીજીતરફ ગજાનંદધામ કરણસિંહજી હાઈસ્કૂલ બચાવો સમિતિના સભ્યોએ પણ કલેક્ટર સમક્ષ જવાબ રજૂ કર્યો છે. કરણસિંહજી હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે-સરકારે મૂકેલી શરતોનો ભંગ કરવામાં આવ્યો છે. પહેલેથી જ કીધુ હતુ કે શાળાનું રિનોવેશન કરવા નથી માગતા પણ શાળા પાડી નાખવા માંગે છે. આ મામલે જિલ્લા કલેક્ટરને પુરાવા આપ્યા છે. સિદ્ધરાજસિંહ ઝાલાએ કહ્યું કે- કલેક્ટરે અન્યાય નહીં થાય તેવી ખાતરી આપી છે.

શું છે આખો વિવાદ?

રાજ્ય સરકાર દ્રારા ભુપેન્દ્ર રોડ પર આવેલી કરણસિંહજી હાઇસ્કૂલ જે જર્જરિત થઈ ગઈ છે. તેના રિનોવેશન માટે અને શૈક્ષણિક હેતુ માટે બાજુમાં આવેલા બાલાજી મંદિર ટ્રસ્ટને સોંપી હતી. મંદિર ટ્રસ્ટ દ્રારા આ જગ્યાને તેની મૂળ સ્થિતિમાં ફેરફાર કર્યા વગર જ તેનુ રિનોવેશન કરીને ત્યાં સંસ્કૃત પાઠશાળા બનાવવાનો હુક્મ કરવામાં આવ્યો હતો.

જો કે મંદિર ટ્રસ્ટ દ્રારા અહીં 20 ચોમી જગ્યામાં આવેલા મંદિરને વિશાળ બનાવવામાં આવ્યું હતું અને મહાનગરપાલિકા કે જિલ્લા કલેક્ટરની પરવાનગી મેળવ્યા વગર જ આ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. એટલું જ નહિ મંદિર પરિસરમાં આવેલો ચબુતરો તોડી પાડવામાં આવ્યો હતો. જ્યારે બાજુમાં આવેલા અન્નક્ષેત્ર પણ ચાલુ ન થાય તે રીતે તેમાં આજુબાજુ પથ્થરો પતરા સહિતની ચીજવસ્તુઓ રાખી દેવામાં આવી હતી. જેને લઇને વિવાદ સર્જાયો હતો.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">