AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: મોબાઇલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, આરોપી અને ફરિયાદી બંનેની દુકાનના માલિક એક, માત્ર પાર્સલ મુકવા મહિલાનો ઉપયોગ થયો

Rajkot News : બોમ્બ બનાવનાર આરોપીઓએ પાર્સલ મુકનાર ડોલીને આ બોક્સમાં વોઇસ રેકોર્ડર હોવાનું જણાવ્યું હતું અને દુકાનમાં ધંધા હરીફાઈ અંગે ઓડિયો રેકોર્ડિંગ કરવાનું હોવાથી આ પાર્સલ ત્યાં મુકવા માટે આરોપીએ કહ્યું હતું.

Rajkot: મોબાઇલ બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો, આરોપી અને ફરિયાદી બંનેની દુકાનના માલિક એક, માત્ર પાર્સલ મુકવા મહિલાનો ઉપયોગ થયો
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 13, 2023 | 7:02 PM
Share

રાજકોટમાં ગુંદાવાડી વિસ્તારમાં આવેલી ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં ગત 7 તારીખે ગુરુવારે મોડી રાત્રે બ્લાસ્ટ થયો હતો. આ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટ કોઈ અકસ્માતથી નહિ પરંતુ જાણી જોઈને ષડયંત્ર કરીને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ધંધાકીય હરીફાઈમાં ષડયંત્ર રચીને બ્લાસ્ટ કર્યું હોવાનુ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ સિવાય પણ આ કેસમાં અનેક ખુલાસા થયા છે.

આ પણ વાંચો-Jamnagar જિલ્લા પંચાયતમાં સ્ટાફના અભાવે અનેક કામો અટવાયા, સ્ટાફ ભરતી માટે ચેરમેનની CMને રજુઆત

બ્લાસ્ટ કોઈ અકસ્માત નહિ, પરંતુ રચેલું ષડયંત્ર

ગુરુવારે સાંજે એક મહિલા ગ્રાહકના સ્વાંગમાં આવી હતી અને પોતાની સાથે લાવેલુંં પાર્સલ ભૂલી ગયાનું નાટક કર્યું હતું, રાત્રે દુકાન બંધ કરતી વખતે ફરિયાદી ભવારામે તે પાર્સલ દુકાનની અંદર રાખી દીધું હતું અને મધરાતે તે પાર્સલમાંથી ધડાકાબાદ આગ ભભૂકી ઊઠી હતી. શરૂઆતમાં તો આ એક અકસ્માત લાગી રહ્યો હતો. પરંતુ પોલીસ તપાસમાં સીસીટીવીના આધારે સામે આવ્યું કે આ કોઈ અકસ્માત નહિ પરંતુ એક ષડયંત્ર છે.

તપાસ દરમિયાન જે મહિલા દુકાનમાં પાર્સલ મૂકીને ગઈ છે તેની ધરપકડ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી કે એસટી બસપોર્ટ નજીક મોબાઇલ એસેસરીની દુકાન ચલાવતા કાલરામ ઉર્ફે કલ્પેશ ચૌધરી અને તેનો સાળા શ્રવણ દ્વારા ધંધાકીય અદાવત રાખી બ્લાસ્ટનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. બન્ને સાળા બનેવીની પૂછપરછમાં પાર્સલ મૂકી જનાર મહિલા ડોલી પઢેરિયા નામની 32 વર્ષની યુવતીનો ઉપયોગ કર્યો હતો.

આરોપી અને ફરિયાદી બંનેની દુકાનના માલિક એક

જે દુકાનમાં બ્લાસ્ટ થયો તે ગુજરાત મોબાઈલ નામની દુકાન ચલાવનાર ભવારામ અને આરોપી કલારામ બંને રાજસ્થાનના છે અને એક બીજાને ઓળખે છે અને બંને મોબાઈલ એસેસરીઝની ભાડાની અલગ અલગ દુકાન ચલાવે છે. બંનેની દુકાનનો માલિક એક જ છે. જ્યારે થોડા સમય પહેલા ફરિયાદી ભવારામે આરોપી કલારામ પાસેથી દુકાન ખાલી કરાવી પોતાને ભાડે આપવા કહ્યું હતું. જે વાતનો ખાર રાખી આરોપી કલારામે ભવારામની દુકાનમાં બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર રચ્યું.

કલારામ અને તેનો સાળા શ્રવણે સૂતળી બોમ્બનો દારૂ કાઢી તેને એક કોથળીમાં નાખ્યો હતો અને અને તેમાં મોબાઇલની બેટરી, ઇલેક્ટ્રિક વાયર અને ટાઈમરનો ઉપયોગ કરી તેમાં ટાઈમ સેટ કરી દેશી બનાવટનો બોમ્બ બનાવ્યો હતો. યુ ટ્યુબમાંથી જોઈને આ આરોપીઓએ દેશી ટાઈમ બોમ્બ બનાવ્યો હતો.

પાર્સલ મુકવા મહિલાનો કર્યો ઉપયોગ

બોમ્બ તૈયાર થઇ ગયા બાદ કલારામે પોતાની દુકાનેથી હોલસેલમાં મોબાઇલ એસેસરીઝ લઇ જઇને પોતાની રીતે ઓનલાઇન વેપાર કરતી ડોલી પઢેરીયાને પોતાના ષડયંત્રમાં સામેલ કરી અને બોમ્બનું પાર્સલ ગુજરાત મોબાઇલમાં મૂકી આવવાનું કામ તેને સોંપ્યું હતું. જેથી ડોલી ગુરુવારે સાંજે પાર્સલ મૂકીને જતી રહી હતી અને મધરાતે તે બોમ્બ 2.48 વાગ્યે બ્લાસ્ટ થયો હતો.

બૉમ્બ બનાવનાર આરોપીઓએ પાર્સલ મુકનાર ડોલીને આ બોક્સમાં વોઇસ રેકોર્ડર હોવાનું જણાવ્યું હતું અને દુકાનમાં ધંધા હરીફાઈ અંગે ઓડિયો રેકોર્ડિંગ કરવાનું હોવાથી આ પાર્સલ ત્યાં મુકવા માટે આરોપીએ કહ્યું હતું. આ પાર્સલમાં બૉમ્બ છે એ અંગે ડોલી અજાણ હતી. પોલીસે આઇપીસી કલમ 436, 286, 120 બી, તેમજ એક્સપ્લોઝિવ એકટ 1908 ની કલમ 3, 5, 6, મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">