AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે.

Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું
Rajkot: After Hardik Patel, Paresh Dhanani invited Naresh Patel to join the Congress
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 11, 2022 | 3:41 PM
Share

Rajkot: ખોડલધામના પ્રણેતા અને લેઉવા પાટીદાર સમાજના (Leuva Patidar Samaj) અગ્રણી નરેશ પટેલે (NARESH PATEL) સમયોચિત રાજકારણમાં આવવાની વાત કર્યા બાદ રાજકીય પાર્ટીઓ તેને પોતાની તરફ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં (CONGRESS) આવવાનું આમંત્રણ પાઠવ્યા બાદ વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ (PARESH DHANANI) પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. જેને લઇને ફરી રાજકારણ ગરમાયું છે.

આધુનિક અંગ્રેજોનું ગુલામ બનેલા ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલ જોડાશે-પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે. અને ગુજરાતને આસુરી શક્તિમાંથી મુક્ત કરશે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરીને તેને જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

અગાઉ હાર્દિક પટેલે લખ્યો હતો પત્ર

વિશ્વ મહિલા દિવસે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (HARDIK PATEL) પણ નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો. જેમાં તેઓને રાજકારણમાં પ્રવેશ કરવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે નરેશ પટેલ જેવા સર્વ સ્વિકૃત વ્યક્તિએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ અને આ સમય ખુબ જ ઉચિત હોવાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો અને કોંગ્રેસમાં જોડાવાની વિનંતી કરી હતી.

નરેશ પટેલે સમયે પત્તા ખોલવાની કરી હતી વાત

હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલે સમય આવીએ રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેની જાહેરાત કરશે તેવું કહ્યું હતું. નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામને હું રાજકીય પ્લેટફોર્મ નહિ બનાવું.હાર્દિક પટેલના પત્ર અંગે કહ્યું હતું કે દરેક રાજકીય પાર્ટીઓ તેને આમંત્રણ આપી રહી છે પરંતુ તેઓ તેનો નિર્ણય સમય આવીએ જણાવશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, મોદી રાજભવન જવા રવાના, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

આ પણ વાંચો : Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">