AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે.

Rajkot: હાર્દિક પટેલ બાદ પરેશ ધાનાણીએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું
Rajkot: After Hardik Patel, Paresh Dhanani invited Naresh Patel to join the Congress
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 11, 2022 | 3:41 PM
Share

Rajkot: ખોડલધામના પ્રણેતા અને લેઉવા પાટીદાર સમાજના (Leuva Patidar Samaj) અગ્રણી નરેશ પટેલે (NARESH PATEL) સમયોચિત રાજકારણમાં આવવાની વાત કર્યા બાદ રાજકીય પાર્ટીઓ તેને પોતાની તરફ લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં (CONGRESS) આવવાનું આમંત્રણ પાઠવ્યા બાદ વિરોધ પક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ (PARESH DHANANI) પણ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું છે. જેને લઇને ફરી રાજકારણ ગરમાયું છે.

આધુનિક અંગ્રેજોનું ગુલામ બનેલા ગુજરાતને મુક્ત કરવા નરેશ પટેલ જોડાશે-પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ કહ્યું હતું કે સવા સો વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી આઝાદીનો પર્યાય છે. ગુજરાત આધુનિક અંગ્રેજોનું ગુલામ બની ગયું છે. અને આ ગુલામીમાંથી ગુજરાતને મુક્ત કરવા માટે નરેશ પટેલ સહિતના સામાજિક અગ્રણી,ધાર્મિક અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાશે. અને ગુજરાતને આસુરી શક્તિમાંથી મુક્ત કરશે. નરેશ પટેલનું કોંગ્રેસમાં સ્વાગત કરીને તેને જોડાવા માટે આમંત્રણ પાઠવ્યું છે.

અગાઉ હાર્દિક પટેલે લખ્યો હતો પત્ર

વિશ્વ મહિલા દિવસે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે (HARDIK PATEL) પણ નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો. જેમાં તેઓને રાજકારણમાં પ્રવેશ કરવાની વિનંતી કરી હતી. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે નરેશ પટેલ જેવા સર્વ સ્વિકૃત વ્યક્તિએ રાજકારણમાં પ્રવેશ કરવો જોઇએ અને આ સમય ખુબ જ ઉચિત હોવાનો હાર્દિક પટેલે દાવો કર્યો હતો અને કોંગ્રેસમાં જોડાવાની વિનંતી કરી હતી.

નરેશ પટેલે સમયે પત્તા ખોલવાની કરી હતી વાત

હાર્દિક પટેલના પત્ર બાદ નરેશ પટેલે સમય આવીએ રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેની જાહેરાત કરશે તેવું કહ્યું હતું. નરેશ પટેલે કહ્યું હતું કે ખોડલધામને હું રાજકીય પ્લેટફોર્મ નહિ બનાવું.હાર્દિક પટેલના પત્ર અંગે કહ્યું હતું કે દરેક રાજકીય પાર્ટીઓ તેને આમંત્રણ આપી રહી છે પરંતુ તેઓ તેનો નિર્ણય સમય આવીએ જણાવશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : Gandhinagar: કમલમમાં PM MODIની ધારાસભ્યો, સાંસદો અને પક્ષના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ, મોદી રાજભવન જવા રવાના, સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠક

આ પણ વાંચો : Photos : રોડ શોમાં જોવા મળ્યા દેશભક્તિના રંગ, પાટીદાર સમાજ અને ઉંઝા ઉમિયાધામ દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">