Rajkot: સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુઝ મશીનનું દાતાએ કર્યુ દાન, અનેક રોગના ઉપચાર માટે કારગત સાબિત થશે

Rajkot: સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુઝ મશીનનુ દાતાએ દાન કર્યુ છે. આ મશીનની કિંમત 38 લાખ રૂપિયા છે. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ ન હતુ આખરે દાતા દ્વારા આ મશીન સિવિલ હોસ્પિટલનું મળ્યુ છે.

Rajkot: સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુઝ મશીનનું દાતાએ કર્યુ દાન, અનેક રોગના ઉપચાર માટે કારગત સાબિત થશે
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Apr 01, 2023 | 3:00 PM

રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય માટે આધુનિક સુવિધાઓ આપવાના દાવાઓ કરવામાં આવે છે અને હજારો કરોડ રૂપિયાનું બજેટ પણ ફાળવવામાં આવે છે. વર્ષ 2023-24 ના બજેટમાં રાજ્ય સરકારે 15 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. પરંતુ અનેક સરકારી હોસ્પિટલોમાં અત્યાધુનિક મશીનોનો કાં તો અભાવ જોવા મળે છે અને જે હોય છે તે ઉપયોગમાં લઈ શકાય તેવા નથી હોતા.

જ્યારે બીજી તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકને દાતા દ્વરા અત્યાધુનિક મશીનનું દાન મળ્યુ છે.  અત્યાધુનીક ક્રાયોફયુજ મશીનનું દાતા દ્વારા દાન કરવામાં આવ્યું છે.આ મશીનની કિંમત 38 લાખ રૂપિયા છે.આ કિંમત આરોગ્ય વિભાગના બજેટની સામે ખૂબ જ નાની છે.છતાં અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ નહોતું અને આખરે કોઈ દાતા દ્વારા આ મશીન સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવ્યું છે.

થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને ચડાવવામાં આવતા લોહી માટે ખૂબ જ જરૂરી આ મશીન

આ મશીન થેલેસેમિયા, હિમોફીલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસુતા મહિલાઓ સહિતના દર્દીઓને ખૂબ જ ઉપયોગી છે. થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ચડાવવાનું હોય છે.જે આ અત્યાધુનિક મશીન દ્વારા થાય છે. થેલેસેમિયાગ્રસ્ત લોકોને LR લોહી ન ચડાવવામાં આવે તો રીએકશન પણ આવી શકે છે. પરંતુ અત્યારસુધી સિવિલમાં આ જરૂરી મશીન હતું જ નહિ.જે આખરે દાતા દ્વારા દાન કરવામાં આવ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સાંસદ રામભાઈએ દાતાનો માન્યો આભાર

લોકાર્પણ પ્રસંગે રામભાઈ મોકરીયાએ દાતા હાઈકોન ટેકરો કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડના કિરણભાઈ વાછાણીનો આભાર માની જણાવ્યું હતું કે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે આધુનિક મશીન આવતા જરૂરતમંદ દર્દીઓની સુવિધામાં અચૂક વધારો થશે તેમજ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે મશીન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ક્રાયોફયુજ સેન્ટ્રીફ્યુઝ મશીન એક સાથે 16 બોટલ રક્તને અલગ અલગ ત્રણ ઘટકોમાં વિભાજિત કરી શકે છે.

જે થેલેસેમિયા ,હિમોફીલિયા, ડેન્ગ્યુ, ન્યુરો, પ્રસ્તુતા મહિલાઓ સહિતના દર્દીઓને ખૂબ જ મદદરૂપ પુરવાર થશે. વધુમાં આ મશીન ઇકો ફ્રેન્ડલી છે તેમજ મેનપાવરની પણ બચત થશે. મશીનની ઉપયોગીતા વિશે સમજાવતા ડો. દર્શિતા શાહે જણાવ્યું હતું કે જર્મન બનાવટનું થર્મોફિશર સાયન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે.

આ પણ વાંચો: Rajkot: 45 વર્ષની ઉંમરે ગુનો કર્યો અને 66 વર્ષે પોલીસના હાથે ઝડપાયો, જાણો પોલીસે 20 વર્ષે કેવી રીતે ઝડપ્યો આરોપી

સિંગલ ફેઝ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોય અત્યાધુનિક હોસ્પિટલસ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે. રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી 2200 જેટલી રક્ત બોટલ જરૂરિયાતમંદોને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂરિયાતને પહોંચી શકાશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">