AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સિંગતેલના ભાવમાં ફરી વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ની નજીક પહોંચ્યો

ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે.

Rajkot: સિંગતેલના ભાવમાં ફરી વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ની નજીક  પહોંચ્યો
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 11:23 AM
Share

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ છેલ્લા પાંચ દિવસથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. જેથી મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. એક તરફ લગ્નનની સિઝન શરુ થઇ છે. ત્યારે આ સાથે ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં સિંગતેલના (groundnut oil) ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે.

મોંઘવારીની ચક્કી સામાન્ય માણસોનું તેલ કાઢી રહી છે. જીવન જરૂરી ખાવા-પીવાની ચીજવસ્તુઓમાં થતો બેફામ ભાવ વધારો જીવન કપરૂ બનાવી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાની નજીક પહોંચવા આવ્યો છે. સિંગતેલનો ભાવ 2775ની નવી ઉંચાઈ પર પહોંચ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડમાં એક તરફ 10.50 લાખ ગુણી મગફળીની મોટી આવક થઈ રહી છે. આમ છતાં તેલના ભાવમાં થતો સતત વધારો ચિંતાની બાબત છે. સિંગતેલમાં કૃત્રિમ તેજી સર્જીને કેટલાક લેભાગુ તત્વો સામાન્ય પ્રજાને લૂંટી રહ્યાં છે. રાજ્ય સરકારે આવા લોકો સામે કડક પગલા લેવાની જરૂર છે.

બીજી તરફ અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થતો જઇ રહ્યો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ અને વેજીટેબલ ઘીમાં પણ 20થી 30 રૂપિયા વધ્યા છે. ત્યારે હવે સામાન્ય વર્ગ માટે ઘર ચલાવવુ મુશ્કેલ બની ગયુ છે. બે વર્ષથી મગફળીનું વધુ ઉત્પાદન થવા છતા ભાવમાં વધારો યથાવત્ છે. લગ્નની સિઝન આવતા પહેલા આ ભાવ વધારો થયો છે. જેના કારણે સામાન્ય વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે.

બીજી તરફ ઇન્ડોનેસિયાની અસર ભારતમાં વર્તાતી હોવાનું મનાય છે. ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધ્યા છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે.

આ પણ વાંચો-Jamnagar: ગુજરાતમાં તૈયાર થશે WHOનુ GCTM, આ કેન્દ્રનુ શા માટે છે વિશેષ મહત્વ અને શુ થશે ફાયદા? જાણીએ

આ પણ વાંચો-Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">