Rajkot : ચોમાસાની સીઝનમાં રાજકોટ રોગચાળામાં સપડાયું, સ્વાઇન ફ્લૂ અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો

રાજકોટ(Rajkot)શહેર ચોમાસાની સીઝનમાં(Monsoon 2022) રોગચાળામાં(Epidemic) સપડાયું છે.શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે સ્વાઇન ફલૂએ ફુંફાડો માર્યો છે

Rajkot : ચોમાસાની સીઝનમાં રાજકોટ રોગચાળામાં સપડાયું, સ્વાઇન ફ્લૂ અને મચ્છર જન્ય રોગચાળામાં વધારો
Rajkot Civil HospitalImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 5:46 PM

રાજકોટ(Rajkot)શહેર ચોમાસાની સીઝનમાં(Monsoon 2022) રોગચાળામાં(Epidemic) સપડાયું છે.શહેરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે સ્વાઇન ફલૂએ ફુંફાડો માર્યો છે. આ ઉપરાંત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દરેક વોર્ડમાં રોગચાળો નાથવા કામગીરી ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે, આ સિઝનમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે જેને નાથવા માટે તમામ વોર્ડમાં ફોગિંગ, દવાનો છંટકાવ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં સ્વાઇન ફલૂના 10 કેસ નોંધાયા છે. જેમાં બે દર્દીઓની હાલત નાજુક છે જો કે તંત્રના સત્તાવાર ચોપડે આની કોઇ જ નોંધ નથી. સૂત્રોના કહેવા પ્રમાણે તમામ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો છેલ્લા એક સપ્તાહમાં ડેગ્યૂના 10 કેસ અને મેલેરિયા તેમજ ચીકનગુનિયાના 1-1 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય શરદીના 359, તાવના 96 કેસ, ઝાડા ઉલટીના 101 કેસ નોંધાયા છે.

બીજી તરફ કોંગ્રેસે સરકાર આંકડાઓ છુપાવતી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ દાવો કર્યો છે કે, શહેરમાં ઘરે ઘરે માંદગીના ખાંટલા જોવા મળી રહ્યા છે. ભાગ્યે જ એવું કોઇ ઘર હશે જ્યાં રોગચાળો ન હોય પરંતુ તંત્ર સબ સલામત કહી રહ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ગુજરાતમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસો હજુ પણ યથાવત છે. જેમાં 08 ઓગસ્ટના રોજ કોરોનાના નવા 661 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 5862એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. કોરોનાથી આજે 692 લોકો સાજા થયા છે. ગઈકાલમાં હિસાબે આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે 7 ઓગસ્ટે રાજ્યમાં કોરોના કેસ 768 નોંધાયા હતા. આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 201, વડોદરામાં 57, ગાંધીનગરમાં 20, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 16, મહેસાણામાં 34,  વડોદરા ગ્રામ્યમાં 25 , સુરતમાં 39, સુરત ગ્રામ્યમાં 31, રાજકોટમાં 46, રાજકોટ ગ્રામ્યમાં 17, ગાંધીનગરમાં 20, ગાંધીનગર ગ્રામ્યમાં 16 અને મોરબીમાં 22 કેસ નોંધાયા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">