Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો

Rajkot: રાજકોટમાં વધુ એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેનાથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની જાણીતી SNK સ્કૂલ દ્વારા સીધો 27 ટકાનો ફી વધારો કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 11:46 PM

રાજકોટમાં ફરી એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેમાં સ્કૂલની દાદાગીરી સામે વાલીઓએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. વાલીઓનું માનીએ તો SNK સ્કૂલ સંચાલકોએ 27 ટકાથી વધુનો ફી વધારો ઝીંક્યો છે. અલગ અલગ વર્ગમાં કુલ 40થી 50 હજારના અસહ્ય ફી વધારા સામે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

FRCના આદેશથી શાળાએ ફી વધારો કર્યો હોવાનો વાલીઓનો આરોપ

મહત્વપૂર્ણ છે કે FRCના આદેશથી SNK સ્કૂલે આ વધારો ઝીંક્યો હોવાનો વાલીઓનો આરોપ છે. જેને લઇને છેલ્લા 2 દિવસથી વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓનો એ પણ આરોપ છે કે સ્કૂલ સંચાલકોએ ખોટા ખર્ચ દર્શાવીને હાઇકોર્ટમાંથી ફી વધારો મંજૂર કરાવ્યો છે અને FRCના માધ્યમથી વાલીઓ પર ફી વધારાનું ભારણ ઝીંકાયું છે.

FRCએ વાલીઓના આરોપ ફગાવ્યા

તો બીજી તરફ FRCએ વાલીઓના આરોપો ફગાવ્યા છે અને હાઈકોર્ટના આદેશથી સ્કૂલ સંચાલકોએ ફી વધારો કર્યાનો દાવો કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

આ પણ વાંચો : Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ વિરોધાભાસ,હેમાંગ વસાવડા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા તો મહેશ રાજપૂતે કહ્યું ‘બીજેપી બાબા’

રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સપાટી પર આવ્યો

આ તરફ રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 15 કરોડના નફા બાદ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા નીતિન ઢાંકેચાએ જેતે સમયે ચેરમેન પદે રાજીનામુ આપ્યું હતું. જોકે ચાલુ વર્ષે મળેલી બેઠકમાં 12 કરોડના નફાના આંકડા જાહેર કરાતા, ઢાંકેચાએ નફા-નુકસાનનો હિસાબ માગ્યો હતો. અને નફો કેમ 15 કરોડથી ઘટીને 12 કરોડ થયો તેવો ચેરમેન નરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો હતો.

ઢાંકેચાનો દાવો છે કે હિસાબ અંગે ઝઘડો થતા વાઇસ ચેરમેન અરજણ રૈયાણીને આઘાત લાગ્યો હતો અને ચેરમેનના ઉડાઉ જવાબને પગલે આઘાત લાગતા અરજણ રૈયાણીએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તો નીતિન ઢાંકેચાના આરોપો બાદ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સામે આવ્યા. ચેરમેન નરેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી કે લોધિકા સંઘનો નફો નથી ઘટ્યો, માત્ર આવક ઘટી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">