AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો

Rajkot: રાજકોટમાં વધુ એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેનાથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની જાણીતી SNK સ્કૂલ દ્વારા સીધો 27 ટકાનો ફી વધારો કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 11:46 PM
Share

રાજકોટમાં ફરી એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેમાં સ્કૂલની દાદાગીરી સામે વાલીઓએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. વાલીઓનું માનીએ તો SNK સ્કૂલ સંચાલકોએ 27 ટકાથી વધુનો ફી વધારો ઝીંક્યો છે. અલગ અલગ વર્ગમાં કુલ 40થી 50 હજારના અસહ્ય ફી વધારા સામે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

FRCના આદેશથી શાળાએ ફી વધારો કર્યો હોવાનો વાલીઓનો આરોપ

મહત્વપૂર્ણ છે કે FRCના આદેશથી SNK સ્કૂલે આ વધારો ઝીંક્યો હોવાનો વાલીઓનો આરોપ છે. જેને લઇને છેલ્લા 2 દિવસથી વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓનો એ પણ આરોપ છે કે સ્કૂલ સંચાલકોએ ખોટા ખર્ચ દર્શાવીને હાઇકોર્ટમાંથી ફી વધારો મંજૂર કરાવ્યો છે અને FRCના માધ્યમથી વાલીઓ પર ફી વધારાનું ભારણ ઝીંકાયું છે.

FRCએ વાલીઓના આરોપ ફગાવ્યા

તો બીજી તરફ FRCએ વાલીઓના આરોપો ફગાવ્યા છે અને હાઈકોર્ટના આદેશથી સ્કૂલ સંચાલકોએ ફી વધારો કર્યાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ વિરોધાભાસ,હેમાંગ વસાવડા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા તો મહેશ રાજપૂતે કહ્યું ‘બીજેપી બાબા’

રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સપાટી પર આવ્યો

આ તરફ રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 15 કરોડના નફા બાદ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા નીતિન ઢાંકેચાએ જેતે સમયે ચેરમેન પદે રાજીનામુ આપ્યું હતું. જોકે ચાલુ વર્ષે મળેલી બેઠકમાં 12 કરોડના નફાના આંકડા જાહેર કરાતા, ઢાંકેચાએ નફા-નુકસાનનો હિસાબ માગ્યો હતો. અને નફો કેમ 15 કરોડથી ઘટીને 12 કરોડ થયો તેવો ચેરમેન નરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો હતો.

ઢાંકેચાનો દાવો છે કે હિસાબ અંગે ઝઘડો થતા વાઇસ ચેરમેન અરજણ રૈયાણીને આઘાત લાગ્યો હતો અને ચેરમેનના ઉડાઉ જવાબને પગલે આઘાત લાગતા અરજણ રૈયાણીએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તો નીતિન ઢાંકેચાના આરોપો બાદ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સામે આવ્યા. ચેરમેન નરેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી કે લોધિકા સંઘનો નફો નથી ઘટ્યો, માત્ર આવક ઘટી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">