AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો

Rajkot: રાજકોટમાં વધુ એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેનાથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની જાણીતી SNK સ્કૂલ દ્વારા સીધો 27 ટકાનો ફી વધારો કરાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Gujarati Video: રાજકોટમાં ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની, SNK સ્કૂલ સંચાલકોએ ઝીંક્યો 27 ટકાથી વધુ ફી વધારો
TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 11:46 PM
Share

રાજકોટમાં ફરી એકવાર ખાનગી સ્કૂલ સંચાલકોની મનમાની સામે આવી છે. જેમાં સ્કૂલની દાદાગીરી સામે વાલીઓએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. વાલીઓનું માનીએ તો SNK સ્કૂલ સંચાલકોએ 27 ટકાથી વધુનો ફી વધારો ઝીંક્યો છે. અલગ અલગ વર્ગમાં કુલ 40થી 50 હજારના અસહ્ય ફી વધારા સામે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો છે.

FRCના આદેશથી શાળાએ ફી વધારો કર્યો હોવાનો વાલીઓનો આરોપ

મહત્વપૂર્ણ છે કે FRCના આદેશથી SNK સ્કૂલે આ વધારો ઝીંક્યો હોવાનો વાલીઓનો આરોપ છે. જેને લઇને છેલ્લા 2 દિવસથી વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓનો એ પણ આરોપ છે કે સ્કૂલ સંચાલકોએ ખોટા ખર્ચ દર્શાવીને હાઇકોર્ટમાંથી ફી વધારો મંજૂર કરાવ્યો છે અને FRCના માધ્યમથી વાલીઓ પર ફી વધારાનું ભારણ ઝીંકાયું છે.

FRCએ વાલીઓના આરોપ ફગાવ્યા

તો બીજી તરફ FRCએ વાલીઓના આરોપો ફગાવ્યા છે અને હાઈકોર્ટના આદેશથી સ્કૂલ સંચાલકોએ ફી વધારો કર્યાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો : Rajkot: ધીરેન્દ્ર શાસ્ત્રી મુદ્દે કોંગ્રેસમાં જ વિરોધાભાસ,હેમાંગ વસાવડા કાર્યાલયના ઉદ્ઘાટનમાં ગયા તો મહેશ રાજપૂતે કહ્યું ‘બીજેપી બાબા’

રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સપાટી પર આવ્યો

આ તરફ રાજકોટમાં લોધિકા ખરીદ વેચાણ સંઘનો વિવાદ સામે આવ્યો છે. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં બે આગેવાનો વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ પ્રથમવાર સપાટી પર આવ્યું છે. વર્તમાન ચેરમેન વર્સેસ પૂર્વ ચેરમેન વચ્ચોનો જૂથવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. 15 કરોડના નફા બાદ પણ ભ્રષ્ટાચારનો આરોપ લાગતા નીતિન ઢાંકેચાએ જેતે સમયે ચેરમેન પદે રાજીનામુ આપ્યું હતું. જોકે ચાલુ વર્ષે મળેલી બેઠકમાં 12 કરોડના નફાના આંકડા જાહેર કરાતા, ઢાંકેચાએ નફા-નુકસાનનો હિસાબ માગ્યો હતો. અને નફો કેમ 15 કરોડથી ઘટીને 12 કરોડ થયો તેવો ચેરમેન નરેન્દ્રસિંહને સવાલ પૂછ્યો હતો.

ઢાંકેચાનો દાવો છે કે હિસાબ અંગે ઝઘડો થતા વાઇસ ચેરમેન અરજણ રૈયાણીને આઘાત લાગ્યો હતો અને ચેરમેનના ઉડાઉ જવાબને પગલે આઘાત લાગતા અરજણ રૈયાણીએ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. તો નીતિન ઢાંકેચાના આરોપો બાદ ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા સામે આવ્યા. ચેરમેન નરેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી કે લોધિકા સંઘનો નફો નથી ઘટ્યો, માત્ર આવક ઘટી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">