શ્રાવણમાં ઉપવાસ કરવા મોંઘા પડશે ! ફળો, ફરાળી ચીજ વસ્તુ મોંઘી થઇ, તૈયાર વાનગીઓના ભાવ પર પણ થઇ શકે છે અસર

આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. જંગી ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.

શ્રાવણમાં ઉપવાસ કરવા મોંઘા પડશે ! ફળો, ફરાળી ચીજ વસ્તુ મોંઘી થઇ, તૈયાર વાનગીઓના ભાવ પર પણ થઇ શકે છે અસર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2023 | 2:02 PM

Rajkot :  તહેવારમાં ફરી ગુજરાતની જનતાને મોંઘવારીનો (inflation) માર સહન કરવો પડશે. આ વખતનો શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો લોકોને મોંઘો પડી શકે છે. જંગી ભાવ વધારાના પગલે ફળો અને ફરાળી વાનગી આરોગવી મોંઘી પડશે. રાજકોટના બજારોમાં ખાદ્યતેલથી લઇને ફરાળી ચીજસ્તુઓ અને ફળોના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે. જેના પગલે ફરાળી વાનગીઓ પણ મોંઘી થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો-Gir Somnath Video: તસ્કરો તાળુ તોડી મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા, 70થી વધુ મોબાઈલની કરી ચોરી, જૂઓ CCTV

ફરાળી ચીજ વસ્તુઓના ભાવમાં વધારો

વાત કરીએ પહેલા સિંગતેલની તો શ્રાવણ માસમાં તેલનો વપરાશ સૌથી વધુ થતો હોય છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 3100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. ફરાળી ચીજ વસ્તુઓના કિલોના ભાવની વાત કરીએ તો સાબુદાણાના કિલોના ભાવ 85થી 90 રૂપિયા, રાજગરા લોટના 190થી 200 રૂપિયા, સિંગદાણા 150 રૂપિયા, સામો 110 રૂપિયા અને જીરૂના ભાવ 700 રૂપિયા છે. ફરાળી ચીજ વસ્તુ સાથે એલચી, વરિયાળી, મરી મસાલા અને તેજાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે.

આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો
Bigg Boss 18 : સલમાન ખાન છે સૌથી વધુ પગાર લેનાર હોસ્ટ, ફી જાણીને ચોંકી જશો
રેસ્ટોરેન્ટ કે હોટલમાં કેમ સફેદ પ્લેટમાં સર્વ થાય છે ફૂડ ?
દાડમ ખાઈ તેના છોતરા ફેંકી ના દેતા ! જાણો તેના ફાયદા વિશે
આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો

ફળોના ભાવમાં પણ વધારો

શ્રાવણ મહિનામાં ફળો ખાવા પણ મોંઘા પડશે. જે કેળા 50થી 60 રૂપિયામાં કિલો મળતા હતા, તે કેળાના ડઝનના ભાવ હાલ 90થી 100 રૂપિયા છે. તો સફરજનના કિલોના ભાવ 200 રૂપિયા છે. પેરૂ 100 રૂપિયે કિલો છે. જયારે રાસબરીના કિલોના ભાવ 150 રુપિયા છે. ફરાળી ચીજવસ્તુ અને ફળોના ભાવ બમણા થતા સામાન્ય માણસનું બજેટ ખોરવાઇ ગયું છે. વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે. ભાવ વધારાથી બજારમાં મંદી પણ જોવા મળી રહી છે.

લોકોને બજારમાં મળતી તૈયાર વાનગીઓ સસ્તી મળી શકશે. તૈયાર મળતી વાનગીઓમાં વેપારીઓએ ભાવ વધારો કર્યો નથી. વેફર્સ, ફરાળી, પેટીશ અને ફરાળી ચેવડાના રો મટીરીયલ્સમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. કિલોના ભાવની વાત કરીએ તો વેફર્સના 280 રૂપિયા, ફરાળી ચેવડો, 200 રૂપિયે કિલો, પેટીસના એક પ્લેટના 50 રૂપિયા છે. આગામી સમયમાં રો મટીરીયલ્સમાં ભાવ વધશે તો તૈયાર વાનગીઓમાં ભાવ વધારો થઈ શકશે. વેપારીઓનું કહેવું છે કે, નફામાં કાપ મુકીને વેપાર કરી રહ્યા છે. સિંગતેલ અને ટામેટા બાદ ફરાળી વાનગીઓની ચીજવસ્તુ અને ફળોના ભાવ આસમાને પહોંચતા ફરાળ કરવું કે ભૂખ્યા ઉપવાસ કરવો તે અહીં સવાલ ઉભો થયો છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓને લઈને HCએ વ્યક્ત કરી ચિંતા
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
ઈકો સેન્સિટિવ ઝોન અંગે ખેડૂતો ખોટી ભ્રમણાઓથી રહો દૂર઼- પૂર્વ DCF, ગીર
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
જસદણના વિરનગર ગામે ચોર વીજ ટ્રાન્સફોર્મર જ ચોરી ગયા
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
રાજકોટમાંથી 461 દારુની બોટલ ઝડપાઈ, પોલીસે 2 લોકોની કરી ધરપકડ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં વિનામુલ્યે ‘ચા પ્રસાદ'નું વિતરણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
નાસિકથી દિલ્હી ટ્રેન મારફતે મોકલવામાં આવી ડુંગળી, રાહત દરે કરાશે વેચાણ
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">