રાજકોટના ધોરાજીમાં ખેડૂતો ખુલ્લા બજારમાં વેચી રહ્યા છે મગફળી, આ છે કારણ

રાજકોટના ધોરાજીમાં ટેકાના ભાવના બદલે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળી વેચી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે, ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ બે મહિને નાણાં મળે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 5:36 PM

ગુજરાતમાં(Gujarat)દિવાળીના તહેવારો બાદ હવે માર્કેટ યાર્ડ(Market Yard)શરૂ થયા છે. જેમાં ખેડૂતો(Farmers) પોતાનો પાક વેચવા માટે અલગ અલગ બજારોમાં જઇ રહ્યા છે. તેમજ સરકારે ટેકાનાના ભાવે રાજ્યના 140 સ્થળોએ મગફળીની ખરીદી શરૂ કરી છે. જો કે આ દરમ્યાન રાજકોટના(Rajkot) ધોરાજીમાં(Dhoraji)ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નીરસતા જોવા મળી હતી.

જેમાં ધોરાજીમાં ટેકાના ભાવના બદલે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં મગફળી વેચી રહ્યા છે.. ખેડૂતોનો આરોપ છે કે, ટેકાના ભાવે મગફળી વેચ્યા બાદ બે મહિને નાણાં મળે છે. હાલ રવિ પાકના વાવેતર માટે નાણાંની જરૂર હોવાથી ખેડૂતોને મજબૂરીમાં ખુલ્લી બજારમાં મગફળી વેચવી પડી રહી છે.

આ અંગે ભારતીય કિસાન સંઘે પણ રાજય સરકારને ટેકાના ભાવે ખરીદી કરતાં પૂર્વે તેના ભાવમાં વધારો કરવા રજૂઆત કરી હતી. કિસાન સંઘે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં ટેકાના ભાવમાં માત્ર 110 રૂપિયાનો વધારો થયો છે. જયારે તેની સામે ખાતર, બિયારણ અને અન્ય ખર્ચા બમણા થયા છે. તેથી ખેડૂતોને પાકના ટેકાના ભાવમાં તાત્કાલિક વધારો કરવો જોઇએ.

કિસાન સંઘે કહ્યું હતું કે આ ભાવે પાક વેચવાનો ખેડૂતોને પોષાતું નથી. આ ઉપરાંત સરકાર દ્વારા ખુલ્લા બજાર કરતાં ઓછા ભાવે ખરીદી કરીને તેના નાણાં બે માસ બાદ ચુકવવામાં આવે છે. જો કે ખેડૂતને બીજા પાક માટે નાણાંની જરૂર હોય છે. તેથી સરકારે પોતાની નીતિમાં ફેરફાર કરીને ખેડૂતોના હિતમાં વિ ચાર કરવો જોઇએ.

આ પણ વાંચો :  ગુજરાતમાં 55 દિવસમાં રૂપિયા 245 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આપ્યું આ નિવેદન

આ પણ વાંચો :  Ahmedabad: મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, ટાઈફોઈડ, કમળાના દર્દીઓની લાઈન

 

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">