AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ચૂંટણી પંચની જાહેરાત પહેલા ભાજપનાં ચૂંટણી કમિશનર ભરત બોઘરાની ભવિષ્યવાણી, કહ્યુ ’15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે’

ગુજરાતમાં (Gujarat) આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.

Gujarat Election 2022: ચૂંટણી પંચની જાહેરાત પહેલા ભાજપનાં ચૂંટણી કમિશનર ભરત બોઘરાની ભવિષ્યવાણી, કહ્યુ '15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે'
BJP leader Bharat Boghra's big statement
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 12:16 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જુદા જુદા પક્ષ પોતાની વોટબેંક મજબુત કરવા એક પછી એક કાર્યક્રમ યોજી રહ્યા છે. જો કે આ વચ્ચે રાજકોટ (Rajkot) કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) એક મોટુ નિવેદન આપ્યુ છે. ભરત બોઘરાએ 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થવાનું નિવેદન આપ્યુ છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણી અંગે કોઇ જ જાહેરાત ન કરી હોવા છતા ભરત બોઘરાએ આ નિવેદન આપતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.

ચૂંટણીની તારીખ જાહેર ?

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી મળી હતી. જેમાં રાજકોટ કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ કહ્યું કે 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે. તો ચૂંટણીને માત્ર સો-સવા સો જ દિવસ બાકી હોવાનો દાવો કરતા અનેક સવાલો ઉભા થયા છે.

ભરત બોઘરાએ કરી સ્પષ્ટતા

જો કે ભરત બોઘરાના નિવેદન બાદ વિવાદ એટલો બધો વકર્યો કે ભરત બોઘરાએ સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે મેં તો કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે એક અંદાજ લગાવીને નિવેદન આપ્યું હતું.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ખુણે ખુણે મતદારો સુધી પહોંચવા માટે કાર્યક્રમો શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">