AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: ચૂંટણી પંચની જાહેરાત પહેલા ભાજપનાં ચૂંટણી કમિશનર ભરત બોઘરાની ભવિષ્યવાણી, કહ્યુ ’15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે’

ગુજરાતમાં (Gujarat) આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી (Assembly elections) યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે.

Gujarat Election 2022: ચૂંટણી પંચની જાહેરાત પહેલા ભાજપનાં ચૂંટણી કમિશનર ભરત બોઘરાની ભવિષ્યવાણી, કહ્યુ '15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે'
BJP leader Bharat Boghra's big statement
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2022 | 12:16 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જુદા જુદા પક્ષ પોતાની વોટબેંક મજબુત કરવા એક પછી એક કાર્યક્રમ યોજી રહ્યા છે. જો કે આ વચ્ચે રાજકોટ (Rajkot) કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ (Bharat Boghra) એક મોટુ નિવેદન આપ્યુ છે. ભરત બોઘરાએ 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થવાનું નિવેદન આપ્યુ છે. ચૂંટણી પંચે હજુ ચૂંટણી અંગે કોઇ જ જાહેરાત ન કરી હોવા છતા ભરત બોઘરાએ આ નિવેદન આપતા વિવાદનો મધપુડો છંછેડાયો છે.

ચૂંટણીની તારીખ જાહેર ?

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જો કે ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીની જાહેરાત કરવામાં આવે તે પહેલા તો ભાજપના નેતાએ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. રાજકોટ જિલ્લા ભાજપની કારોબારી મળી મળી હતી. જેમાં રાજકોટ કારોબારીમાં ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોધરાએ કહ્યું કે 15 ઓક્ટોબરથી ચૂંટણીની આચાસંહિતા લાગુ થશે. તો ચૂંટણીને માત્ર સો-સવા સો જ દિવસ બાકી હોવાનો દાવો કરતા અનેક સવાલો ઉભા થયા છે.

ભરત બોઘરાએ કરી સ્પષ્ટતા

જો કે ભરત બોઘરાના નિવેદન બાદ વિવાદ એટલો બધો વકર્યો કે ભરત બોઘરાએ સ્પષ્ટતા કરવી પડી. તેમણે કહ્યું કે મેં તો કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે એક અંદાજ લગાવીને નિવેદન આપ્યું હતું.

મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાવાની છે. ત્યારે ભાજપે ગુજરાતમાં ખુણે ખુણે મતદારો સુધી પહોંચવા માટે કાર્યક્રમો શરુ કરી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ સહિત અનેક નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">