“લતાદીદી સંગીતના દેવી છે” રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત

વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લત્તાજી સાથે સંપર્કમાં આવ્યા હતા.તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લત્તાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા.

લતાદીદી સંગીતના દેવી છે રાજકોટના ગાયકે સ્મૃતિ મંદિર બનાવવાની કરી જાહેરાત
Announcement to build a memorial temple of Lata Mangeshkar, an artist living in Rajkot
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 06, 2022 | 10:13 PM

રાજકોટના કલાકાર ભુપેન્દ્ર વસાવડાએ લતા મંગેશકર સાથેની સ્મૃતિ વાગોળી

સુર સમ્રાજ્ઞની લતા મંગેશકરે આજે આ દુનિયાને અલવિદા કરી લીઘી છે. તેમના નિધનથી દેશ અને દુનિયાના તેમના ચાહક વર્ગમાં દુખની લાગણી જોવા મળી છે. લતા મંગેશકરે (Lata Mangeshkar)લોકો અલગ અલગ રીતે આજે યાદ કરે છે અને તેની સાથેના પોતાના સંસ્મરણો વાગોળે છે. રાજકોટના આવા જ એક કલાકાર જેમનું નામ ભુપેન્દ્રભાઇ વસાવડા (Bhupendra Vasavada) છે તેઓનો પણ લત્તાજી સાથેનો નાતો વિશેષ છે.ભારે હ્રદય સાથે તેઓ આજે લત્તાદીદીને યાદ કરે છે. ભુપેન્દ્રભાઇ લત્તાદીદીને સંગીતના દેવી માની રહ્યા છે અને એટલા માટે જ તેઓએ રાજકોટ (Rajkot) ખાતે લત્તાદીદીનું એક સ્મૃતિ મંદિર (Smriti Mandir)બનાવવાની લાગણી વ્યક્ત કરી છે.આ મંદિર કેવું અને કઇ રીતનું બનાવવું તે અંગે આગામી દિવસોમાં તેઓ આયોજન ઘડશે.

વર્ષ નવેમ્બર 1954 સુગમ સંગીત હરીફાઇમાં લત્તા મંગેશકર સાથે મુલાકાત થઇ હતી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

રાજકોટના ભુપેન્દ્રભાઇ વસાવડાની લત્તા મંગેશકર સાથે વર્ષ 1954માં મુલાકાત થઇ હતી.અમદાવાદ ખાતેની એક સુગમ સંગીતની હરિફાઇમાં ભુપેન્દ્રભાઇએ ભાગ લીધો હતો અને તેના જજ તરીકે લતા મંગેશકરજી ઉપસ્થિત રહ્યા હતા. દરેક પ્રતિસ્પર્ધીએ એક ગીત ગાવાનું હોય છે જ્યારે ભુપેન્દ્રભાઇએ ગીત ગાયું ત્યારે સૌ કોઇ મંત્રમુગ્ઘ થઇ ગયા હતા.લત્તાદીદીને પણ ભુપેન્દ્રભાઇનું ગીત ખૂબ ગમ્યું હતુ. તેથી લત્તાદીદીએ ભુપેન્દ્રભાઇને તેની નજીક બોલાવ્યા હતા અને બીજું ગીત ગાવા માટે કહ્યું હતુ. લત્તાજી ભુપેન્દ્રભાઇના ગીતથી ખુબ ખુશ થયા હતા અને સુગમ સંગીતની એ સ્પર્ધામાં ભુપેન્દ્રભાઇને ગોલ્ડ મેડલ મળ્યું હતું.

ગણેશ મહોત્સવમાં ભુપેન્દ્રભાઇ અચૂક લત્તાજીને મળતા

વર્ષ 1954થી ભુપેન્દ્રભાઇ લત્તાજી સાથે સંપર્કમાં આવ્યા હતા.તેઓના સંગીતે લતાદીદીને પણ મંત્રમુગ્ધ કરી દીધા હતા જે બાદ ભુપેન્દ્રભાઇ દર વર્ષે લત્તાદીદીએ સ્થાપના કરેલા ગણેશ મહોત્સવના દર્શન માટે જતા હતા.ભુપેન્દ્રભાઇ રાજકોટના પેંડા અને ચુરમાના લાડું ગણેશજીના પ્રસાદ માટે લઇ જતા હતા.દર વર્ષે તેઓ ગણેશજીની સાથે લત્તાજીના દર્શન પણ કરતા હતા અને તેની તબિયતના ખબર અંતર પુછતા હતાં.

લત્તાદીદી બિમાર હતા ત્યારે નિયમીત ખબર પુછતા

ભુપેન્દ્રભાઇના લત્તાદીદી સાથેના સબંધો ખુબ જ લાગણીસભર હતા. દીદીની તબિયત નાજુક થઇ ત્યારથી તેઓ તેના પીએના સંપર્કમાં હતા અને તેની તબિયત વિશે માહિતી મેળવતા રહેતા હતા.લતાજીના નિધનના બે દિવસ પહેલા પણ તેઓએ ખબર અંતર પૂછ્યા હતા.આજે જ્યારે તેઓનું નિધન થયું ત્યારે તેઓએ દુખની લાગણી વ્યક્ત કરી છે.તેઓ લતાદીદીના અંતિમ સંસ્કારમાં પ્રત્યક્ષ તો જઇ શક્યા નથી પરંતુ તેઓએ ટીવીના માધ્યમથી તેઓના અંતિમ દર્શન કરીને ભાવભીનિ શ્રધ્ધાંજલિ આપી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં આજે કોરોનાના 3,897 કેસ નોંધાયા, 19ના મોત

આ પણ વાંચો : રાજપીપલા : જિલ્લા પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે રૂ.2.67 કરોડના ખર્ચે નવનિર્મિત પામનાર રેન બસેરાનું ખાતમૂહુર્ત કરાયું

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">