ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા.

ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 2:32 PM

Rajkot : આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ. છતા હજુ પણ જુની પુરાણી અંધશ્રદ્ધાઓ (Superstition) હજુ પણ જાણે સદીઓ સુધી ન જવાની હોય તેવુ લાગી રહ્યુ છે. અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે. ફરી એક વાર માતા-પિતાની અધશ્રદ્ધાનો ભોગ એક માસુમને બનવુ પડ્યુ છે. રાજકોટમાં ફરી એક માસુમને વગર વાંકે ડામ અપાયા છે. રાજકોટમાં 10 જ મહિનાની બાળકીના પેટ પર ડામ અપાયા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો-અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા. આ માસુમ બાળકી સુરેન્દ્રનગરના વડગામની છે. જ્યાં તેના માતા-પિતા દવા કરવાને બદલે સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા. અહીં તેને ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા. બીમારી તો દૂર ન થઈ, પરંતુ બાળકીની સ્થિતિ બગડી ગઈ હતી. જો કે સૌથી પહેલા જ્યાં જવાનું હતું, તે હોસ્પિટલમાં પરિવાર અંતે પહોંચ્યો હતો. હાલ બાળકીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આર્થિક સંકડામણના કારણે ન કરી શક્યા દવા

જો કે વાત આટલેથી અટકતી નથી. માત્ર અંધશ્રદ્ધા નહીં, પણ આર્થિક સંકડામણ પણ પરિવારના અંધશ્રદ્ધા પાછળ દોડવાનું કારણભૂત છે. જે બાળકીને ડામ અપાયા તેના પિતાએ કહ્યું કે, તેને અમે શરદી-ઉધરસની દવા કરાવવા આવ્યા હતા, પરંતુ ખર્ચો પોસાય તેમ ન હતો. જેથી દસાડા તાલુકાના મંદિરે ગયા હતા. જ્યાં વૃદ્ધાએ બાળકી સાજી થશે તેમ કહીને ડામ આપ્યા હતા. માસુમની તબિયત હવે સ્થિર છે, પરંતુ આ ઘટનાને અનેક સવાલો ઉઠાવ્યા છે. સવાલ એ થાય છે કે હજુ પણ લોકો આવી માન્યતામાં જીવે છે ?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">