AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા.

ફરી એકવાર આંધળી શ્રદ્ધા! 10 મહિનાની બાળકીને શરદી થતા માતા-પિતા તાંત્રિક પાસે લઇ ગયા, બાળકીને અપાયા ડામ, જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 2:32 PM
Share

Rajkot : આપણે 21 મી સદીમાં જીવી રહ્યા છીએ. છતા હજુ પણ જુની પુરાણી અંધશ્રદ્ધાઓ (Superstition) હજુ પણ જાણે સદીઓ સુધી ન જવાની હોય તેવુ લાગી રહ્યુ છે. અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સામે આવી છે. ફરી એક વાર માતા-પિતાની અધશ્રદ્ધાનો ભોગ એક માસુમને બનવુ પડ્યુ છે. રાજકોટમાં ફરી એક માસુમને વગર વાંકે ડામ અપાયા છે. રાજકોટમાં 10 જ મહિનાની બાળકીના પેટ પર ડામ અપાયા હોવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો-અરે બાપ રે ! પત્નીને ઝેરી સાપ કરડ્યો તો પતિ સાપ સાથે જ પત્નીને લઇને હોસ્પિટલ દોડ્યો, જૂઓ Video

ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા

રાજકોટમાં અંધશ્રદ્ધામાં ઓળઘોળ પરિવારે પોતાના જ માસુમ સાથે અત્યાચાર કર્યો છે. અંધશ્રદ્ધાની ઘટના ફરી રાજકોટમાંથી સામે આવી છે. બાળકીને શરદી અને ઉધરસની તકલીફ હતી, પરંતુ માતા-પિતા તબીબ પાસે જવાને બદલે તાંત્રિક પાસે પહોંચી ગયા હતા. આ માસુમ બાળકી સુરેન્દ્રનગરના વડગામની છે. જ્યાં તેના માતા-પિતા દવા કરવાને બદલે સિકોતર માતાજીના મંદિરે લઈ ગયા હતા. અહીં તેને ગરમ સોય કરીને પેટના ભાગે ડામ અપાયા. બીમારી તો દૂર ન થઈ, પરંતુ બાળકીની સ્થિતિ બગડી ગઈ હતી. જો કે સૌથી પહેલા જ્યાં જવાનું હતું, તે હોસ્પિટલમાં પરિવાર અંતે પહોંચ્યો હતો. હાલ બાળકીને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઈ છે.

આર્થિક સંકડામણના કારણે ન કરી શક્યા દવા

જો કે વાત આટલેથી અટકતી નથી. માત્ર અંધશ્રદ્ધા નહીં, પણ આર્થિક સંકડામણ પણ પરિવારના અંધશ્રદ્ધા પાછળ દોડવાનું કારણભૂત છે. જે બાળકીને ડામ અપાયા તેના પિતાએ કહ્યું કે, તેને અમે શરદી-ઉધરસની દવા કરાવવા આવ્યા હતા, પરંતુ ખર્ચો પોસાય તેમ ન હતો. જેથી દસાડા તાલુકાના મંદિરે ગયા હતા. જ્યાં વૃદ્ધાએ બાળકી સાજી થશે તેમ કહીને ડામ આપ્યા હતા. માસુમની તબિયત હવે સ્થિર છે, પરંતુ આ ઘટનાને અનેક સવાલો ઉઠાવ્યા છે. સવાલ એ થાય છે કે હજુ પણ લોકો આવી માન્યતામાં જીવે છે ?

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">