Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે.

Rajkot: રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યા, દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ થાય છે પસાર
File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 08, 2021 | 11:07 PM

રાજકોટના રાજમાર્ગો એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી રહ્યા છે. દર 5 મિનિટે એક એમ્બ્યુલન્સ શહેરમાંથી નીકળી રહી છે. કોરોનાના કેસો વધતા 108 અને ખાનગી એમ્બ્યુલન્સના કોલમાં વધારો થયો છે. 108ના અધિકારીના કહેવા પ્રમાણે શહેરમાં 27 જેટલી 108 છે, જેમાં 300થી વધારે કોલ આવી રહ્યા છે. જ્યારે ખાનગી એમ્બ્યુલન્સમાં 200થી વધારે કોલ મળી રહ્યા છે. સામાન્ય રીતે 108માં એક દિવસમાં 50થી 100 કેસ આવતા હતા. જે સંખ્યા ખૂબ જ વધી ગઈ છે અને જે કોલ આવી રહ્યા છે, તેમાં 50 ટકાથી વધારે માત્ર કોરોનાના છે. જે આંકડો ખૂબ જ ચિંતાજનક છે. શહેરમાં કોરોનાનો અજગરી ભરડો છે અને તેની સામે તંત્ર પાંગળું સાબિત થતું હોય તેવો ઘાટ ઘડાયો છે.

રાજ્યભરમાં ઉત્તરોતર થઈ રહ્યો છે કેસમાં વધારો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 27 માર્ચે 2,276, 28 માર્ચે 2,270, 29 માર્ચે 2,252, 30 માર્ચે 2,220, 31 માર્ચે 2,360 અને 1 એપ્રિલે 2,410 કેસ 2જી એપ્રિલે 2,640 અને 3જી એપ્રિલે 2,815 અને 4 એપ્રિલે 2,875, અને 5 એપ્રિલે 3,160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3,280, 7 એપ્રિલે 3,575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે.

4,021 કેસ, 35 દર્દીઓના મૃત્યુ રાજ્યમાં આજે 8 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 4,021 કેસ નોંધાયા છે, જ્યારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 35 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ 14, અમદાવાદમાં 9, રાજકોટમાં 4, વડોદરા 3 અને અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર અને મહેસાણામાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે.

અમદાવાદમાં 951 અને સુરતમાં 723 કેસ રાજ્યમાં આજે 8 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 951, સુરતમાં 723, રાજકોટમાં 427, વડોદરામાં 379, જામનગરમાં 104, ભાવનગરમાં 61 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે.

2,197 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 8 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2,197 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,07,346 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 92.44 ટકા થયો છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર પર તૂટશે મહાકહેર, 30 એપ્રિલ સુધી 11 લાખથી વધુ થઈ શકે છે કોરોનાના એક્ટિવ કેસ

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">