AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ગણેશોત્સવમાં પણ કોરોના નડયો, સસ્તી POPની પ્રતિમા ખરીદી તરફ વળ્યા લોકો

ગણેશજીની પ્રતિમાની માંગ બે વર્ષ પહેલાથી ખૂબ જ ઓછી છે.વળી લોકો ઓછા રૂપિયા ખર્ચાય તે માટે પીઓપીની મૂર્તી લેવાનું પસંદ કરી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે.

Rajkot: ગણેશોત્સવમાં પણ કોરોના નડયો, સસ્તી POPની પ્રતિમા ખરીદી તરફ વળ્યા લોકો
Rajkot Corona effect In Ganeshotsav people turned to buying cheap POP Idol Of Ganesha
Mohit Bhatt
| Edited By: | Updated on: Sep 07, 2021 | 5:27 PM
Share

દુંદાળા દેવ ગણેશજીના આગમનના એંધાણ થઇ રહ્યા છે.લોકો ગણેશોત્સવને આવકારવા માટે આતુર છે પરંતુ આ વખતના ગણેશોત્સવમાં કોરોનાનો કપરો કાળ નડતર બન્યો છે.બજારમાં ગણેશજીની પ્રતિમાની માંગ બે વર્ષ પહેલાથી ખૂબ જ ઓછી છે.વળી લોકો ઓછા રૂપિયા ખર્ચાય તે માટે પીઓપીની મૂર્તી લેવાનું પસંદ કરી રહ્યા છે જે પર્યાવરણ માટે ખૂબ હાનિકારક છે.

ઇકોફ્રેન્ડલી-માટીની મૂર્તીનું વેચાણ માત્ર ૧૦ ટકા

રાજકોટના રેસકોર્ષ બાલભવન ખાતે પ્રતિમાનું કામ કરતા મૂર્તીકાર પાટીલ બહેનનું કહેવું છે કે ઇકોફ્રેન્ડલી માટીની પ્રતિમા પ્રમાણમાં ખૂબ ખર્ચાળ હોય છે જેથી લોકો જ્યારે ખરીદી કરવા માટે આવે છે ત્યારે ૫૦ ટકા કિંમતે પ્રતિમાની માંગ કરે છે વળી પહેલાથી જ માટીના ગણેશજીની ખરીદી કુલ મૂર્તિના ૩૦ ટકા વેચાણ થતું હતું જેના બદલે આ વર્ષે માત્ર ૧૦ ટકા જ વેચાણ થઇ રહ્યું છે.

લોકો ઘરે બનાવી રહ્યા છે માટીની મૂર્તી

કોરાના કાળને કારણે વેપાર ધંધા પર અસર પડી રહી છે ત્યારે લોકોને ખર્ચ કરવો પોષાય તેમ નથી ત્યારે લોકો પોતાના ઘરે માટીના ગણેશ તૈયાર કરીને તેની સ્થાપના કરી રહ્યા છે જે ખૂબ જ સરાહનીય છે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ સાનુકૂળ છે.

ગાયના ગોબરમાંથી તૈયાર કરાઇ ગણેશની પ્રતિમા

ગૌ સેવા આયોગ દ્રારા છેલ્લા બે વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા ગાયના છાણમાંથી તૈયાર કરવામાં આવી છે.છેલ્લા બે વર્ષથી આ પ્રકારની મૂર્તી તૈયાર કરવામાં આવી છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા આ પ્રકારની પ્રતિમાનું સ્થાપન કરીને પર્યાવરણનું જતન કરવાની અપીલ કરી છે.

કોરોના ગાઈડ લાઇન સાથે ઉજવણી 

જો કે ગુજરાતમાં આ વર્ષે રાજય સરકારે ગણેશ ઉત્સવ માટે પણ કોરોના ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સરકારે ગણેશ ઉત્સવ માટે માત્ર ચાર ફૂટની પ્રતિમાંને જ મંજૂરી આપી છે. તેમજ ઉત્સવ દરમ્યાન મોટી સંખ્યામાં રોક લગાવવામાં આવી છે. તેમજ બને ત્યાં સુધી ગણેશ વિસર્જન પણ ઘરે જ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમજ કોઇપણ મોટો ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ પણ  વાંચો : Navsari શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર પાણી ભરાતા લોકો પરેશાન

આ  પણ વાંચો : Gandhinagar : ગુજરાતની FDIમાં અનન્ય સિદ્ધિ, મૂડીરોકાણ ક્ષેત્રે હવે વિકસિત દેશો સાથે તુલના થવી જોઈએ : નીતિ આયોગના વાઇસ ચેરમેન

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">