રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે બની પ્રતિષ્ઠાની જંગ…કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યો કરી રહ્યા છે પ્રચાર
ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા કેબિનેટ પ્રધાનથી લઈ હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી ઉમેદવાર […]
ગુજરાતમાં પેટા ચૂંટણીને હવે ગણતરીની દિવસો બાકી છે. ત્યારે રાધનપુર બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. અને આ બેઠક જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ રાધનપુરમાં જ ધામા નાંખ્યા છે. રાધનપુરમાં જ્યાં એક તરફ ભાજપના ઉમેદવાર તરીકે અલ્પેશ ઠાકોરને જીતાડવા કેબિનેટ પ્રધાનથી લઈ હોદ્દેદારો મેદાને ઉતર્યા છે. ત્યાં જ કોંગ્રેસમાંથી ઉમેદવાર રઘુ દેસાઈને જીતાડવા માટે કોંગ્રેસના MLA બળદેવજી ઠાકોર તથા સી.જે.ચાવડા મેદાનમાં આવ્યા છે.
મહત્વનું છે કે રાધનપુરની બેઠક પરંપરાગત કોંગ્રેસની રહી છે. જો કે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ ધારણ કરતા આ બેઠક ખાલી પડી. હવે આ બેઠકને જીતવા માટે બંને પક્ષ એડીથી ચોટી સુધીનું જોર લગાવી રહ્યા છે. જેમાં એકબીજ પર આક્ષેપ પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે. જેમાં કોંગ્રેસી નેતા અલ્પેશ ઠાકોર પર પ્રહાર કરતા કહે છે કે રાધનપુરની જનતા ક્યારે માફ નહી કરે. તો બીજી બાજું ભાજપના નેતાઓ રાધનપુરમાં ભાજપ દ્વારા થયેલા વિકાસને ગણાવીને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે જોવું એ રહ્યું કે, આ આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે રાધનપુરની જનતા કોને પોતાના પ્રતિનિધી તરીકે ચૂંટે છે.