Knowledge: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નથી પાકા મકાનો, જાણો લોકો ઘરની છત પાકી બનાવતા કેમ ડરે છે?

ભારતમાં અનેક વિસ્તારો ભૂકંપ સંભવિત વિસ્તારમાં આવે છે, તે વિસ્તારમાં ગમે ત્યારે ભૂકંપ આવે છે, અને ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત અને ભુજમાં સૌથી વધારે ભૂકંપ આવે છે. ગુજરાતની સાથે દેશમાં દિલ્હી સહીતના અને વિસ્તારો છે, જ્યા ભૂકંપ આવતો જ રહે છે. જ્યારે જાપાનમાં પણ વધારે ભૂકંપ આવતો રહે છે અને જાપાનના લોકો પણ પાકા મકાન બનાવતા નથી.

Knowledge: ગુજરાતનું એક એવું ગામ જ્યાં નથી પાકા મકાનો, જાણો લોકો ઘરની છત પાકી બનાવતા કેમ ડરે છે?
Follow Us:
| Updated on: May 04, 2024 | 5:41 PM

ભારતના ગુજરાતના કચ્છમાં એક એવું ગામ છે, જ્યાં આજે પણ અહીં રહેતા માલધારી લોકો પોતાના ઘર પર પાકી છત નથી બનાવતા, જ્યારે તેઓ નળીયાના બનાવેલા મકાનોમાં રહે છે. તમને કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ યાદ હશે, જેમાં હજારો મકાનો ધરાશાયી થયા હતા. હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા.

એવું માનવામાં આવે છે કે, સિસ્મિક ઝોનમાં હોવાને કારણે સણોસરા ગામના લોકો તેમના મકાનો પર કોંક્રીટની છત બાંધતા ડરે છે. લાંબા સમયથી લોકો અહીં નળીયાના મકાનો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તે પછી કચ્છમાં વિકાસના કામો ઝડપથી થવા લાગ્યા અને લોકોમાં ભૂકંપનો ભય સમાપ્ત થયો ત્યારે લોકોએ બે માળના ઈંટના મકાનો બનાવવાનું શરૂ કર્યું. જો કે, સણોસરા ગામ હજુ પણ એવું છે કે જ્યાં લોકો તેમના ઘરની કોંક્રીટની છત નથી બનાવતા.

સિસ્મિક ઝોન એટલે શું ?

સિસ્મિક ઝોનનો અર્થ એ થાય છે કે સિસ્મિક ઝોન જ્યાં ભૂકંપ આવવાની સૌથી વધુ સંભાવના હોય છે. ભૂકંપની સંવેદનશીલતા મુજબ, ભારત 2થી 5 ઝોનમાં વહેંચાયેલું છે. વિસ્તારની રચના અનુસાર, આ વિસ્તારને ભૂકંપ સંબંધિત ઓછા જોખમથી સૌથી વધારે જોખમી ઝોનમાં વહેંચવામાં આવ્યો છે

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

ગુજરાતનું આ ગામ છે અનોખું

તમને જણાવી દઈએ કે ચારેબાજુ પહાડોની વચ્ચે આવેલા સણોસરા ગામમાં લગભગ 500 ઘર છે. આ ગામમાં મોટાભાગે માલધારી સમાજના લોકો રહે છે. એવું કહેવાય છે કે, જ્યારે માલધારીઓ પ્રથમ વખત વસવાટ કરવા આવ્યા ત્યારે તેઓ બાજુમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરમાં પૂજા કરતા હતા.

વડીલો કહે છે કે ત્યારે જ તેઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે ગામમાં કોઈ પરિવાર તેમના ઘર પર પાકી છત બાંધશે નહીં. તેથી જ કહેવાય છે કે, ગામની સ્થાપના થઈ ત્યારથી અહીં કોઈએ પોતાના ઘર પર કાયમી છત બાંધી નથી. આ માન્યતાઓ અનુસાર, માત્ર આ ગામમાં જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાં રહેતા ઘણા લોકો તેમના ઘર પર પાકી છત નથી બનાવતા.

એક પતરાના મકાનમાં રહે છે આ માલધારી સમાજના લોકો

ધંધા-રોજગાર માટે જિલ્લાના અન્ય શહેરો અને ગામડાઓમાં સ્થળાંતર કર્યા પછી પણ, મૂળ સણોસરા ગામના ઘણા મૂળ રહેવાસીઓ આજે પણ આ પરંપરા જાળવી રાખે છે અને પોતે આજે પણ કાચા મકાનમાં રહે છે. ગ્રામજનોનું કહેવું છે કે તેમના ઘરની કોંક્રીટની છત ન બનાવવા પાછળ બે કારણો છે, એક તો તેઓ તેમના પૂર્વજોની પરંપરા મુજબ આમ નથી કરતા. બીજું, આ ઝોન ભૂકંપમાં છે.

છેલ્લા 3-4 દાયકામાં અહીં ઘણી વખત ભૂકંપો આવ્યા છે. અહીં ભાગ્યે જ વરસાદ પડે છે, આથી સણોસરા ગામ ઉપરાંત અન્ય ઘણા ગામડાઓમાં રહેતા પરિવારોએ પણ આવા મકાનો બનાવ્યા છે, જેથી તે તૂટી પડે તો જાનમાલનું નુકસાન ન થાય.

હવે મકાન બાંધકામની નવી અને આકર્ષક પદ્ધતિઓ

છેલ્લા કેટલાંક વર્ષોમાં અહીં મકાન બનાવવાની નવી અને આકર્ષક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે છત વગરના મકાનો એવી રીતે બનાવવામાં આવ્યા છે કે દૂરથી જોતા લોકોને ઘર છે એવું ન લાગે. આજે પણ લોકો નળીયા કે પતરાનો ઉપયોગ કરીને ઘર બનાવે છે.

ઘણા લોકોએ દેવી સાથે જોડાયેલી પરંપરાની વિરુદ્ધ જઈને કાયમી ઘર બનાવ્યું હોવાની માન્યતા છે, પરંતુ પછીથી તેમને ઘર છોડી દીધું હતું. ગામના વડીલોમાં એવું વ્યાપકપણે માનવામાં આવે છે કે જેમણે પાકી છતના મકાનો બનાવ્યા હતા તેઓની હોશ ગુમાવી દીધો હતો અથવા તેમની આખોની દૃષ્ટિ ગુમાવી હતી.

જો કે વિદેશના અનેક દેશોમાં ભૂકંપનો કહેર જોવા મળે છે, તેમાં પણ જાપાનમાં અનેક ભૂકંપના આચકાઓ આવે છે, ત્યારે ભારતને પણ ભૂકંપને 5 ભાગમાં વહેચવામાં આવ્યું છે કુલ ટોટલ 5 ઝોન છે જેમાં 5મો ઝોન એટલે ખતરનાક અને સૌથી વધારે જ્યા ભૂકંપ આવતો હોય, જ્યારે 2માં સૌથી ઓછો ભૂકંપ આવતો હોય.

હવે જો ઝોન 2માં આંધ્રપ્રદેશના અનેક શહેરો જેવા કે વિશાખાપટ્ટનમ, નાગારજુનાસાગરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે છત્તીસગઢના શહેરો, ઝારખંડ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગણા અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

જ્યારે ભૂકંપના ઝોન 3માં આંધ્રપ્રદેશના અનેક શહેરો, બિહાર, ગોવા, ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનો ઝોન 3માં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે બીજા રાજ્યના અનેક શહેરોની વાત કરીએ તો ઝોન 3માં ઝારખંડ, કર્ણાટકા, કેરેલા, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, વેસ્ટબંગાલનો સમાવેશ ઝોન 3માં કરવામાં આવ્યો છે.

ઝોન 4માં બિહારના શહેરો, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, પંજાબ, સિક્કિમ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને વેસ્ટ બંગાલનો સમાવેશ ઝોન 4માં સમાવેશમાં થાય છે.

ઝોનમાં 5માં આસામ, બિહાર, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, મણીપુર, નાગાલેન્ડનો સમાવેશે ઝોન 5 શહેરમાં થાય છે.

મહત્વનું છે કે ભારતમાં જ્યા સૌથી વધારે ભૂકંપ આવે છે તે વિસ્તારોમાં પહેલા નંબર પર દેશની રાજધાની દિલ્હીનો સમાવેશ થાય છે. જ્યારે બીજા નંબર પર કોલકત્તા જે વેસ્ટ બંગાળમાં આવેલુ છે તેનો સમાવેશ થાય છે, જ્યારે ત્રીજા નંબર પર દેશમાં ગુજરાતના ભૂજનો સમાવેશ થાય છે. જ્યારે ચોથા નંબર પર મણીપુરના ઈમ્ફાલનો સમાવેશ થાય છે, જ્યારે પાંચમાં નંબર પર પંજાબના અમૃતસરનો સમાવેશ થાય છે.

જાપાનમાં લોકો પાકા મકાન બનાવતા નથી

જાપાનમાં દુનિયામાં સૌથી વધારે ભૂકંપ આવતો હોવાને કારણે જાપાનના લોકો પાકા મકાન બનાવતા નથી, જાપાન દુનિયાની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેમ છતા તે પાકા મકાન બનાવતા નથી, કારણ કે ભૂકંપના સમયે પાકા મકાનની દીવાલ માથે પડવાથી વ્યક્તિનું મોત થવાના ચાન્સીસ વધારે રહે છે, જ્યારે લાકડાના મકાનમાં રહેતા લોકોના મોત થવાના ચાન્સીસ ઓછા રહે છે, અને જાપાનમાં વારમવાર ભૂકંપ આવવાના કારણે લોકોને તેની આદત પણ પડી ગઈ છે.

જાપાનમાં દર બીજા દિવસે શા માટે ભૂકંપ આવે છે?

તાજેતરના દિવસોમાં, જાપાનમાંથી ભૂકંપના ઘણા અહેવાલો આવ્યા છે. 2024નું વર્ષ પણ જાપાનમાં ભૂકંપથી શરૂ થયું હતું. જાપાનની ધરતી ભૂકંપની દ્રષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ છે. તેનું એક મુખ્ય કારણ પૃથ્વી પર સૌથી વધુ અશાંત પહોંચેલી ટેકટોનિક પ્લેટો ત્યાં મળી આવી છે. આ પ્લેટો એક કેન્દ્રિત સીમા બનાવે છે. જેના કારણે અહીંની જમીન વિશ્વમાં સૌથી વધુ ભૂકંપનું કેન્દ્ર બની જાય છે.

મહત્વનું છે કે ગુજરાતમાં અનેકવાર ભૂકંપ આવે છે અને તે પણ વધારે મેગાસિટીમાં જ આવે છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાનો સમાવેશે થાય છે, ત્યારે ભૂજમાં સૌથી વધારે ભૂકંપ આવે છે.

આ પણ વાંચો: Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

Latest News Updates

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
બનાસકાંઠાઃ પાલનપુરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો, જુઓ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
ચૂંટણી આચારસંહિતા વચ્ચે દારૂની હેરાફેરી ઝડપાઈ
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
પ્રાંતિજના મજરા ગામે તસ્કરો ત્રાટક્યા, 2 મંદિરોમાં 4.56 લાખની ચોરી
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ખેતરમાં વીજપોલ ધરાશાયી થતા પાંચ દિવસથી વીજ પ્રવાહ ઠપ્પ, ખેડૂતો પરેશાન
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ઊંઝા APMCની સત્તા મેળવવા BJP ના બે જૂથ સામસામે, જુઓ
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
ભારે પવન અને વરસાદના પગલે અગરીયાઓને નુકસાન
g clip-path="url(#clip0_868_265)">