બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!

જેલનું નામ આવે તો સ્વાભાવિકપણે નજર સામે જે દ્રશ્ય ખડું થાય તેમાં જેમાં પ્લેઈન સફેદ દિવાલો પહેલા દેખાય. પરંતુ સરત જિલ્લાના 2 કેદીઓએ આ દ્રશ્ય બદલવાનું જાણે કે નક્કી કરી લીધું છે. સફેદ દિવાલોની જગ્યાએ આ દિવાલો પર રંગો જોવા મળે અને સાથે જ કંઈક એવું પણ જે કંઈ સંદેશો પણ આપતા હોય. અમે વાત […]

બદલાયું સુરત જેલનું દ્રશ્ય, સફેદ દિવાલો નહીં, જેલની દિવાલો પર પથરાયા રંગો, કેદીઓ બન્યા પેઈન્ટર!
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 04, 2019 | 5:05 AM

જેલનું નામ આવે તો સ્વાભાવિકપણે નજર સામે જે દ્રશ્ય ખડું થાય તેમાં જેમાં પ્લેઈન સફેદ દિવાલો પહેલા દેખાય. પરંતુ સરત જિલ્લાના 2 કેદીઓએ આ દ્રશ્ય બદલવાનું જાણે કે નક્કી કરી લીધું છે.

સફેદ દિવાલોની જગ્યાએ આ દિવાલો પર રંગો જોવા મળે અને સાથે જ કંઈક એવું પણ જે કંઈ સંદેશો પણ આપતા હોય.

અમે વાત કરી રહ્યાં છે હત્યાના કેસમાં સજા કાપી રહેલા બે કેદીઓ અજય ઉર્ફે જીતેન્દ્ર મેવાલાલ મોર્ય અને અનવર અલી મલિક. સુરત જિલ્લા લાજપોર જેલમાં સજા કાપી રહેલા આ 2 કેદીઓ હાલ ચર્ચાનો  વિષય બન્યા છે. હત્યાના કેસમાં આજીવન કેદની સજા કાપતા આ બન્ને કેદીઓએ ખૂબ સરસ ચિત્રો બનાવ્યા છે. ભગવાન રામનું ચિત્ર હોય કે પછી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારત, સુંદર ભારતના સ્વપ્નનું ચિત્ર. આ બન્ને કલાકારોએ ગણતરીના દિવસોમાં જેલની દીવાલો પર ચિત્રો તૈયાર કરીને સાથી કેદીઓમાં જ નહીં પણ તેમને મળવા આવતા સગા-સંબંધીઓ અને જેલ કર્મચારીઓમાં પણ આકર્ષણ ઉભું કર્યું છે. 100થી વધુ ચિત્રો બનાવનારા આ બન્ને કલાકારો હાલ જેલના 20થી વધુ કેદીઓને નેચરલ આર્ટના કલાસ પણ કરાવી રહ્યા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કેદી અજય ઉર્ફે જીતેન્દ્ર મેવાલાલ મોર્યએ જણાવ્યું હતું કે વર્ષ 2006માં હત્યા કેસમાં આજીવન કેદની સજા થયા બાદ 13 વર્ષથી જેલમાં ચિત્રકામ કરી આર્ટ અને કલાકારી સાથે જીવી રહ્યો છું. હત્યા કરવી એક મજબૂરી કહી શકાય, હું ના મારતે તો હું જીવતો ના હોત તેમ કહીને તેણે વધુમાં જણાવ્યું,

“બસ હવે ચિત્રકામને જ જીવન બનાવી દીધું છે. આજ દિન સુધીમાં લગભગ મારા જેવા જ એક કલાકાર સાથે મળીને 100થી વધુ ચિત્રો તૈયાર કર્યા છે. જે જેલના સભાખડમાં મૂકવામાં આવ્યા છે. એક જ ઈચ્છા છે કે આ તમામ ચિત્રો સાથે એક પ્રદર્શન પણ યોજું. પણ સરકાર પરવાનગી આપશે કે કેમ તેવું વિચારી દિલના અરમાનોને દિલમાં જ રાખ્યા છે.”

આર્ટ કલાકારી સાથે આ કેદીએ લગભગ 4 કવિતા અને 20થી વધુ ગઝલ લખીને જીવનને આર્ટ સાથે સંગીતમય પણ બનાવી દીધું છે.

અન્ય એક કલાકાર કેદી અનવર અલી મલિકે જણાવ્યું,

“19 વર્ષથી જેલમાં સજા કાપી રહ્યો છું. આર્ટ કલાકારી મારો શોખ હતો. પણ હત્યા કેસમાં સજા થયા બાદ જેલમાં આવ્યા પછી જે લગભગ છૂટી ગયો હતો. પરંતુ મારા જેવા જ કલાકાર જીતેન્દ્ર ભાઈને જેલમાં ચિત્રકામ કરતા જોયા બાદ મારો શોખ પણ પાછો જાગ્યો.”

ત્યારબાદ આ બન્ને કલાકારોએ માત્ર 3ડી પેઈન્ટિંગ જ નહીં પણ નેચરલ, ટ્રેડિશનલ, ભગવાન અને સ્કેચ પેઈન્ટિંગ બનાવી. જેલના કેદીઓ સાથે જેલ અધિકારીઓને પણ ચોંકાવી દીધા છે. 96 ઇંચની નાનામાં નાની પેઈન્ટિંગથી લઈ 84 ફૂટ ની મોટામાં મોટી પેઈન્ટિંગ હાલ જેલની દીવાલો પર આકર્ષણ જમાવી રહી છે.

જેલના ઇતિહાસમાં પહેલીવાર કેદીઓ પાસે જેલની દીવાલ પર પેઈન્ટિંગ કરાવાઈ હોય એમ કહી શકાય. એટલું જ નહીં, પણ 20થી વધુ કેદીઓને જેલમાં પેઈન્ટિંગના કલાસ કરાવાઈ રહ્યાં છે. એ પણ એક અનોખી વાત છે. આ બંને કેદીઓના પરિવાર પણ ખુશ છે કારણ કે જેલના અધિકારીઓ તેમને હત્યાના આરોપી કેદી તરીકે નહીં પણ કલાકાર તરીકે ઓળખે છે.

[yop_poll id=1058]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">