AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદરના બખરલા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો, 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી

પોરબંદરના બખરલા ગામે 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા થઈ હતી. ત્યારે તેના પરિવારે દેશી ઉપચાર કર્યા પણ બાળકી સાજી ન થતાં તેમણે ભૂવાની મદદ લીધી હતી.

પોરબંદરના બખરલા ગામમાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો ખેલ ખેલાયો, 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી
In Bakharla village of Porbandar atrocity game was played under the guise of superstition 2 month old girl survived being pushed to the face of death
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 1:18 PM
Share

શું ગરમ લોખંડના સળીયાના ડામ આપવાથી કફ કે ઉધરસનો ઇલાજ થઇ શકે ? આ સવાલ આપને ચોક્કસ વિચિત્ર લાગશે પરંતુ આ વિચિત્ર સવાલ પાછળ છૂપાયેલી છે એક નરી વાસ્તવિકતા. અને આ વાસ્તવિકતા સભ્ય સમાજને શરમમાં મુકે છે. આવી જ એક ઘટના પોરબંદરના બખરલા ગામમાં સામે આવી છે. જ્યાં અંધશ્રદ્ધાની આડમાં અત્યાચારનો એવો તો ખેલ ખેલાયો કે 2 માસની બાળકી મોતના મુખમાં ધકેલાતા બચી છે.

આ પણ વાંચો : Gujarati Video : પોરબંદરના માછીમારોની પાકિસ્તાન કબજામાં રહેલી 1200 બોટ અને 550 માછીમારોને મુક્ત કરાવવા માંગ

પોરબંદરના બખરલા ગામે 2 માસની બાળકીને કફ અને ઉધરસની સમસ્યા થઈ હતી. ત્યારે તેના પરિવારે દેશી ઉપચાર કર્યા પણ બાળકી સાજી ન થતાં તેમને ભૂવાની મદદ લીધી હતી. તંત્ર-મંત્રના જાણકાર ભૂવાએ સારવારના નામે બાળકી પર અત્યાચાર ગૂજાર્યો હતો અને ગરમ લોખંડના સળીયાથી તેના શરીર પર ડામ આપ્યા હતા. બાળકી ચીસો પાડતી રહી પરંતુ ન તો ભૂવાને ભાન થયું કે ન તો પરિવારને દયા આવી. ભૂવાએ ડામ આપ્યા બાદ પણ બાળકી સાજી ન થતાં આખરે પરિજનો બાળકીને લઇને હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં તબીબોની પ્રાથમિક સારવારમાં બાળકીને ડામ અપાયા હોવાનો ખુલાસો કર્યો હતો.

તે સમયે બાળકીની સ્થિતિ એટલી નાજૂક હતી કે તેને ICUમાં રાખવાની ફરજ પડી, મળતી માહિતી અનુસાર હાલ બાળકીની તબિયત સ્થિર છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ થાય છે કે ક્યાં સુધી આપણો સભ્ય સમાજ અંધશ્રદ્ધાની આગમાં સળગતો રહેશે ? ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે બાળકો પર અત્યાચાર થતો રહેશે ? બાળકીના ઇલાજ માટે તબીબોના બદલે કેમ ભૂવાની મદદ લેવાઇ ?

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">