AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોરબંદરથી સુદામા એક્સપ્રેસ, કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરુ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાન અશ્વિનીકુમારને કરી રજૂઆત

આ ઉપરાંત પોરબંદર થી હરિદ્વાર સુધીની 'સુદામા એક્ષપ્રેસ' નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી ઝંખના પણ કરી છે. જેથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવાની સારી સગવડતા મળી રહે.

પોરબંદરથી સુદામા એક્સપ્રેસ, કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરુ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાન અશ્વિનીકુમારને કરી રજૂઆત
Ramesh Dhaduk met Delhi Union Railway Minister Ashwinikumarji
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 2:09 PM
Share

આજ રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર સાથે પોરબંદર ના સંસદ રમેશ ધડુક એ રૂબરૂ મુલાકાત કરી હતી અને વિવિધ પ્રશ્નો અંગેની ચર્ચા કરી હતી. જેમાં પોરબંદર વિસ્તારના લોકોની મુસાફરીની સગવડતા માટે પોરબંદર થી અમદાવાદ (વાયા જેતલસર) ‘કસ્તુરબા ગાંધી એક્ષપ્રેસ’ નામની ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેમાં ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ સ્ટોપ પણ આવશે.

આ પણ વાંચો : Breaking News: સિહોર તાલુકાના વરલ ગામે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, ઘટનામાં 16 વર્ષીય સગીરાનું મોત

આ ઉપરાંત પોરબંદર થી હરિદ્વાર સુધીની ‘સુદામા એક્ષપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી ઝંખના પણ કરી હતી. જેથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવાની સારી સગવડતા મળી રહે તથા શાપુર, સરાડીયા લાઇન ની ૨૦૧૧ માં મંજૂરી મળેલ છે જેને વહેલી તકે કામગીરી શરૂ કરવાની રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ વેરાવળ વાંસઝાળિયા થી જેતલસર સાપુર સરાડીયા ફ્રીઝ કરેલ રેલ લાઈનને ફરીથી શરૂ કરવાની રૂબરૂ તેમજ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ વહેલી તકે રેલ મંત્રી અશ્વિનીકુમાર તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.

આ અગાઉ ભારતીય રેલવેના પશ્ચિમ રેલવે મંડળ દ્વારા મુસાફરો માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવી હતી અને મુસાફરોની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે, અમદાવાદ મંડળ થી દોડતી પસાર થતી 12 જોડી ટ્રેનોની વિવિધ શ્રેણીઓમાં કાયમી ધોરણે વધારાના કોચ રેલવે દ્વારા ઉમેરવામાં આવી હતી.

2030 સુધીમાં ‘ગ્રીન રેલ્વે’ નું સ્વપ્ન સાકાર થશે

વર્ષ 2030 સુધીમાં ભારતના રેલ્વે નેટવર્કને ‘ગ્રીન રેલ્વે’ માં રૂપાંતરિત કરવા ભારત સરકાર દ્વારા અનેક પહેલ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ભારતીય રેલ્વેએ અત્યાર સુધીમાં કુલ 400000 કિ.મી. (કુલ બ્રોડગેજ માર્ગોના 63 ટકા) રેલવેનું વીજળીકરણ પૂર્ણ કર્યું છે. તેમાંથી, 18,605 કિમી માર્ગના વીજળીકરણનું કામ વર્ષ 2014 – 20 વચ્ચે પૂર્ણ થયું હતું.

વીતેલા વર્ષોની વાત કરીએ તો, ભારતીય રેલ્વેએ વર્ષ 2021-22માં 6,000 આરકેએમના વીજળીકરણનું લક્ષ્યાંક નક્કી કર્યું હતું, જ્યારે વર્ષ 2020-21માં ભારતીય રેલ્વેએ 6,000 આરકેએમનું લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું. ભારત સરકારે વર્ષ 2023 ના અંત સુધીમાં 23,765 (આરકેએમ) પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વર્ષ 2020-21માં આ બધી પ્રક્રિયાઓ માટે 6,326 રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">