Porbandar: લમ્પી ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાણાવાવમાં દેખાયો મગર, જાણો પોરબંદર શહેરના મહત્વના સમાચારો

કેન્દ્રીય પશુપાલન મંત્રી પરુષોતમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ આઈસોલેશનની ખાસ મુલાકાત લીધી હતી તેમજ પોરબંદરમાં (Porbandar) અન્ય સરકારી કાર્યોની સમીક્ષા કરી હતી. પોરબંદર આવેલા રૂપાલાએ લમ્પી ગ્રસ્ત ગાયોના આઈસોલેશન વોર્ડ ખાતે મુલાકાત કરી હતી.

Porbandar: લમ્પી ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, રાણાવાવમાં દેખાયો મગર, જાણો પોરબંદર શહેરના મહત્વના સમાચારો
Porbandar: Union Minister Parshottam Rupala visiting Lumpy affected area, crocodile spotted in Ranavav
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2022 | 7:29 PM

ગુજરાતમાં હાલમાં જે રીત ઢોર ઉપર લમ્પી (Lumpy Virous) વાયરસે ભરડો લીધો છે, ત્યારે પોરબંદરની મુલાકાતે આવેલા કેન્દ્રીય પશુપાલન મંત્રી પરુષોતમ રૂપાલાએ (Parshottam Rupala) પોરબંદરમાં લમ્પી સ્કીન રોગ આઈસોલેશનની ખાસ મુલાકાત લીધી હતી તેમજ પોરબંદરમાં (Porbandar) અન્ય સરકારી કાર્યોની સમીક્ષા કરી હતી. પોરબંદર આવેલા રૂપાલાએ લમ્પી ગ્રસ્ત ગાયોના આઈસોલેશન વોર્ડ ખાતે મુલાકાત કરી હતી.

ગાત્રાળ ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા ઉદય કારાવદરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સંચાલિત લમ્પી સ્કીન રોગ આઈસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી તેમજ અહીં કરાતી સારવાર અંગે માહિતી મેળવી તેની સમીક્ષા કરી હતી. તે ઉપરાંત તેમણે પોરબંદરના વોર્ડ નંબર 13માં વણકરવાસ છાયા ખાતે મન કી બાતમાં પણ સામેલ થયા હતા અને સર્કિટ હાઉસ ખાતે ગીર ગાયના સંવર્ધન માટે સંવાદ- મીટીંગ યોજી હતી. જયશ્રી ગૌશાળાની મુલાકાત બાદ જિલ્લામા લમ્પી વાઈરસથી પશુઓને બચાવવા અને નિયંત્રણ માટે જરૂરી પગલા વિષયક સમીક્ષા કરવાની સાથે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ઘેડવાસીઓ ગંદકીથી પરેશાન

પોરબંદરના માધવુપર ઘેડમાં લોકો ગંદકીથી પરેશાન છે. ઘેડ ગ્રામ પંચાયત દ્વારા સમયસર સ્વચ્છ થતી ન હોવાથી લોકોના આરોગ્ય પર જોખમ વધ્યું છે અને તેના ઉપર લગાડવામાં આવેલા પેવર બ્લોક પણ ઉખાડી લેવામાં આવેલા છે. ગામના સરપંચ ભનુભાઈ ભુવા આ વિસ્તારની મુલાકાત લે તેવી આ વિસ્તારના રહેવાસીઓની માંગ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જિલ્લામાં વધ્યા સર્પદંશના બનાવ

પોરબંદર જિલ્લામાં ચોમાસા બાદથી સર્પદંશના બનાવ વધ્યા છે. પોરબંદરમાં માત્ર એક જ અઠવાડીયામાં 11 વ્યક્તિને સાપ કરડતા તેઓને સારવાર હેઠળ ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ચોમાસા પછી સતત જિલ્લામાં લોકોને સાપે દંશ દીધા હોય તેવી ઘટનાઓ વધી છે, હોસ્પિટલમાં નોંધાયેલી વિગતો અનુસાર માત્ર એક જ અઠવાડિયામાં જ એટલે કે તારીખ 23થી 30 જુલાઈ સુધીમાં ભાવસિંહજી સરકારી હોસ્પીટલ ખાતે 11 વ્યક્તિને સાપ અને ઝેરી જનાવર કરડી જતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

રાણાવાવમાં જોવા મળ્યો મગર

પોરબંદર જિલ્લાના રાણાવાવ નગરપાલિકાના પાણીના ટાંકાની બાજુમાં વાડી ધરાવતા લખમણભાઈ પરબતભાઈ ઓડેદરાની વાડીએ વિશાળ કાય મગર ઘુસી આવ્યો હતો. તેમના પાલતુ કૂતરાઓ મગરને જોઈ ભસવા લાગ્યા હતા, ખેડૂતોએ આજુબાજુમાં લાઈટ વડે જોતા બેટરીના પ્રકાશમાં આશરે 8 ફૂટ લાંબો મગર નજરે ચડ્યો હતો. મગરને નિહાળી વાડી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ભયભીત બન્યા હતા. અંતે ભય લાગતાં હિંમત હાર્યા વગર નાના મોટા દોરડાનો ગાળિયો બનાવી મહામહેનતે દોરડા વડે બાજુમાં આવેલા મોટા વડના જાડ સાથે મગરને રાત્રીના સમયે બાંધી દેવામાં આવ્યો હતો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">