Porbandar : મહાત્મા ગાંધીજીની જન્મજંયતિએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા કિર્તી મંદિર, રાષ્ટ્રપિતાને આપી વિશેષ સ્મરણાંજલિ
આ અવસરે આયોજિત સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કૃષિપ્રધાન રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો પણ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા. સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ સંદેશ દ્વારા મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.
પૂજ્ય મહાત્મા ગાંધીજીની (mahatrma Gandhiji) 153મી જન્મજયંતીના અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પોરબંદર ખાતે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળે પહોંચ્યા હતા અને કિર્તી મંદિર (Kirti mandir) ખાતે તેમણે મહાત્મા ગાંધીજીની તેમજ કસ્તૂરબાની ચિત્રપ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને નમન કર્યું હતું તેમજ શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. સાથે જ તેઓ પ્રાર્થના સભામાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંબોધન કર્યું હતું. આ અવસરે આયોજિત સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે સાથે કૃષિપ્રધાન રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો પણ સર્વધર્મ પ્રાર્થના સભામાં હાજર રહ્યા હતા.
સાથે જ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ સંદેશ દ્વારા મહાત્મા ગાંધીજી તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી
જેમના સત્યાગ્રહ સામે બળવાન શાસકો સાવ પાંગળા લાગે અને જેમની સાદગી આગળ મોટા વૈભવ પણ વામણાં લાગે એવા મહાત્મા.. માત્ર ભારતીયો જ નહિં, સમગ્ર માનવજાતના પથપ્રદર્શક પૂજ્ય ગાંધી બાપુને તેમની જન્મજયંતીએ અંત:કરણપૂર્વક વંદન. pic.twitter.com/6rI7HYteoi
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 2, 2022
સાદગી, વિનમ્રતા અને મક્કમતાના પર્યાય, દેશને હરિત ક્રાંતિ માટે પ્રેરિત કરનાર ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીને તેમની જન્મજયંતીએ સ્મરણાંજલિ. pic.twitter.com/mqrvjEONIm
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 2, 2022
આજે દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની (Mahatma Gandhi)153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી.