AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન

Porbandar: પોરબંદરમાં પાલિકા આકરા પાણીએ જોવા મળી છે. અનેક નોટિસ આપવા છતા મિલકત વેરો નહીં ભરનારા લોકો સામે હવે પાલિકા પગલા લેશે અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની તૈયારીમાં છે.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
પોરબંદર નગરપાલિકા ( ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 11:22 PM
Share

પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી છે કે લોકોનું પાણીનું કનેક્શન જ કાપી નાખશે. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી, પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા છે. લોકોનું કહેવું છે કે વેરા ઉઘરાવવામાં ઉસ્તાદ પાલિકા શહેરની સફાઈના કામો કરવામાં પહેલાં ધ્યાન આપે.

પાલિકાએ વેરો નહીં ભરનાર 7 મિલકત કરી સીલ

એક તરફ શહેરમાં ગંદકી છે, ઠેર ઠેર તૂટેલા ફૂટપાથ અને ડિવાઈડર છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જોકે પાલિકા એ વાત કાને ધરવાને બદલે પોતાની પહેલ પર મકકમ છે. હાલમાં જ શહેરીજનો વેરો તાત્કાલિક ભરે તેના માટે 82 મિલકત માલિકોને વેરા બિલ આપ્યા હતા, જેમાંથી અનેક લોકોએ તો તરત જ વેરા ભરી દીધા છે તો કેટલાક ઉદાસીન લોકોએ વેરો નહિ ભરતાં પાલિકાએ 24000થી વધુ મિલકત માલિકોને નોટિસો ફટકારી અને 7થી વધુ મિલકતો સિલ પણ મારી દીધી છે. પાલિકાનું કહેવું છે કે આ કામગીરી ચાલુ રહેશે.

એક તરફ પાલિકા લાઈટ, પાણી, ગટર, સફાઈ, એજ્યુકેશન અને હાઉસ ટેક્સના વેરાની ઉઘરાણી કરે છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જરૂરી સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી છે અને ઢોલનગારા વગાડવાને બદલે સામાન્ય લોકોની મજબૂરી સમજી કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ.

આ પણ વાંચો: Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

હાલ તો પાલિકા આકરા પાણીએ વેરા વસુલાતમાં જોતરાઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો પૈસાદાર લોકો અને સરકારી મિલ્કતો ક્યારેય વેરા ભરતી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આંખ આડા કાન કરે છે. જો સરકારી મિલ્કતો અને બંધ પડેલા ઉદ્યોગોનો વેરો પાલિકા સમયસર વસુલ કરે તો લોકોને વધુ સુવિધા અને સુખાકારી મળી રહે.

ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર

Follow Us
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
Breaking News : ચૂંટણીમાં કોના કોના નામ કપાઈ શકે છે! જુઓ લિસ્ટ
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
નવલકથા વાંચીને દિવસ પસાર કરશો, આરામ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
ગુજરાતમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
અમદાવાદ રેલવે સ્ટેશન પર ચમત્કાર: પોલીસ બની દેવદૂત
g clip-path="url(#clip0_868_265)">