AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન

Porbandar: પોરબંદરમાં પાલિકા આકરા પાણીએ જોવા મળી છે. અનેક નોટિસ આપવા છતા મિલકત વેરો નહીં ભરનારા લોકો સામે હવે પાલિકા પગલા લેશે અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની તૈયારીમાં છે.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
પોરબંદર નગરપાલિકા ( ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 11:22 PM
Share

પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી છે કે લોકોનું પાણીનું કનેક્શન જ કાપી નાખશે. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી, પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા છે. લોકોનું કહેવું છે કે વેરા ઉઘરાવવામાં ઉસ્તાદ પાલિકા શહેરની સફાઈના કામો કરવામાં પહેલાં ધ્યાન આપે.

પાલિકાએ વેરો નહીં ભરનાર 7 મિલકત કરી સીલ

એક તરફ શહેરમાં ગંદકી છે, ઠેર ઠેર તૂટેલા ફૂટપાથ અને ડિવાઈડર છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જોકે પાલિકા એ વાત કાને ધરવાને બદલે પોતાની પહેલ પર મકકમ છે. હાલમાં જ શહેરીજનો વેરો તાત્કાલિક ભરે તેના માટે 82 મિલકત માલિકોને વેરા બિલ આપ્યા હતા, જેમાંથી અનેક લોકોએ તો તરત જ વેરા ભરી દીધા છે તો કેટલાક ઉદાસીન લોકોએ વેરો નહિ ભરતાં પાલિકાએ 24000થી વધુ મિલકત માલિકોને નોટિસો ફટકારી અને 7થી વધુ મિલકતો સિલ પણ મારી દીધી છે. પાલિકાનું કહેવું છે કે આ કામગીરી ચાલુ રહેશે.

એક તરફ પાલિકા લાઈટ, પાણી, ગટર, સફાઈ, એજ્યુકેશન અને હાઉસ ટેક્સના વેરાની ઉઘરાણી કરે છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જરૂરી સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી છે અને ઢોલનગારા વગાડવાને બદલે સામાન્ય લોકોની મજબૂરી સમજી કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ.

આ પણ વાંચો: Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

હાલ તો પાલિકા આકરા પાણીએ વેરા વસુલાતમાં જોતરાઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો પૈસાદાર લોકો અને સરકારી મિલ્કતો ક્યારેય વેરા ભરતી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આંખ આડા કાન કરે છે. જો સરકારી મિલ્કતો અને બંધ પડેલા ઉદ્યોગોનો વેરો પાલિકા સમયસર વસુલ કરે તો લોકોને વધુ સુવિધા અને સુખાકારી મળી રહે.

ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર

Follow Us
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
અમરેલીના રાજુલા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટું
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
આજનું રાશિફળ : કોને મળશે ધનલાભ અને કોને કરિયરનો ફાયદો?
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
g clip-path="url(#clip0_868_265)">