AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન

Porbandar: પોરબંદરમાં પાલિકા આકરા પાણીએ જોવા મળી છે. અનેક નોટિસ આપવા છતા મિલકત વેરો નહીં ભરનારા લોકો સામે હવે પાલિકા પગલા લેશે અને તેમના પાણીના કનેક્શન કાપી નાખવાની તૈયારીમાં છે.

Porbandar: પાલિકા આકરા પાણીએ, શહેરીજનો મિલકતવેરો નહીં ભરે તો પાલિકા કાપી નાખશે પાણીનું કનેક્શન
પોરબંદર નગરપાલિકા ( ફાઇલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 11:22 PM
Share

પોરબંદર પાલિકા વેરા વસુલાતમાં એટલી હદે આકરા પાણીએ આવી છે કે લોકોનું પાણીનું કનેક્શન જ કાપી નાખશે. શહેરના અનેક મિલકત ધારકોએ વેરો ન ભરતા પાલિકાએ નોટિસો પણ આપી, પરંતુ લોકોએ વેરા સામે જે માગ કરી તેનાથી પાલિકા અકળાઈ ગઈ તો પોરબંદર છાયા સંયુકત નગરપાલિકાએ વેરો નહીં ભરનાર નાગરિકો સામે વેરા વસૂલાતનું અભિયાન હાથ ધર્યું છે. તેની સામે નાગરિકોએ પણ પાલિકાને સવાલ કર્યા છે. લોકોનું કહેવું છે કે વેરા ઉઘરાવવામાં ઉસ્તાદ પાલિકા શહેરની સફાઈના કામો કરવામાં પહેલાં ધ્યાન આપે.

પાલિકાએ વેરો નહીં ભરનાર 7 મિલકત કરી સીલ

એક તરફ શહેરમાં ગંદકી છે, ઠેર ઠેર તૂટેલા ફૂટપાથ અને ડિવાઈડર છે. પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. જોકે પાલિકા એ વાત કાને ધરવાને બદલે પોતાની પહેલ પર મકકમ છે. હાલમાં જ શહેરીજનો વેરો તાત્કાલિક ભરે તેના માટે 82 મિલકત માલિકોને વેરા બિલ આપ્યા હતા, જેમાંથી અનેક લોકોએ તો તરત જ વેરા ભરી દીધા છે તો કેટલાક ઉદાસીન લોકોએ વેરો નહિ ભરતાં પાલિકાએ 24000થી વધુ મિલકત માલિકોને નોટિસો ફટકારી અને 7થી વધુ મિલકતો સિલ પણ મારી દીધી છે. પાલિકાનું કહેવું છે કે આ કામગીરી ચાલુ રહેશે.

એક તરફ પાલિકા લાઈટ, પાણી, ગટર, સફાઈ, એજ્યુકેશન અને હાઉસ ટેક્સના વેરાની ઉઘરાણી કરે છે તો બીજી તરફ સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જરૂરી સુવિધા આપવામાં પાલિકા ઉણી ઉતરી છે અને ઢોલનગારા વગાડવાને બદલે સામાન્ય લોકોની મજબૂરી સમજી કોઈક વચલો રસ્તો કાઢવો જોઈએ.

આ પણ વાંચો: Video: પોરબંદરના રતનપર ગામે જુરીના જંગલમાં ફરી ભભુકી ઉઠી ભીષણ આગ, દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટેગોટા

હાલ તો પાલિકા આકરા પાણીએ વેરા વસુલાતમાં જોતરાઈ છે, પરંતુ સ્થાનિકોનું માનીએ તો પૈસાદાર લોકો અને સરકારી મિલ્કતો ક્યારેય વેરા ભરતી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી કરવામાં પાલિકા આંખ આડા કાન કરે છે. જો સરકારી મિલ્કતો અને બંધ પડેલા ઉદ્યોગોનો વેરો પાલિકા સમયસર વસુલ કરે તો લોકોને વધુ સુવિધા અને સુખાકારી મળી રહે.

ઈનપુટ ક્રેડિટ- હિતેશ ઠકરાર- પોરબંદર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">