Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: નગરપાલિકા પ્રમુખે પોલીસ કનડગત કરતી હોવાના કર્યાં ગંભીર આક્ષેપ, નગરપાલિકાના નિર્ણયથી માલધારીઓ ચિંતામાં, જાણો જિલ્લાના મહત્વના સમાચાર

નગરપાલિકાએ રખડતા ઢોર મામલે દંડની જાહેરાત કરતા માલધારીઓ ચિંતામાં મૂકાયા છે. માલધારીઓએ નિર્ણય કર્યો છે કે શહેરમાં રખડતા ઢોરને પકડી ઓડદર ગામે ગૌશાળામાં રાખવામાં આવશે. માલિકીના ઢોર કોઈ પણ છોડાવવા આવશે તો એક ત્રણ તબક્કામાં દંડની જોગવાઈ કરી છે.

Porbandar: નગરપાલિકા પ્રમુખે પોલીસ કનડગત કરતી હોવાના કર્યાં ગંભીર આક્ષેપ, નગરપાલિકાના નિર્ણયથી માલધારીઓ ચિંતામાં, જાણો જિલ્લાના મહત્વના સમાચાર
પોરબંદર છાંયા નગરપાલિકા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2022 | 3:01 PM

પોરબંદરના (Porbandar) રાણાવાવ પોલીસ સામે ગંભીર આરોપ લાગ્યાં છે. રાણાવાવ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઈએ પોલીસ (Police) સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઇનો આક્ષેપ છે કે રાણાવાવ પોલીસ સ્ટેશનના PSI પી.ડી.જાદવ અને કોન્સ્ટેબલ વિજય ભૂતિયા ખોટી રીતે હેરાન કરી રહ્યાં છે. તેમના પરિવારને ખોટા કેસમાં ફસાવવા માટે ધમકી આપી રહ્યાં છે. એટલું જ નહીં, રાજકારણ છોડી દેવા અનેક વખત ધમકી આપતા હોવાથી આખરે સભ્ય પદ પરથી રાજીનામું આપવું પડ્યું હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે અને ઓસમાણ નાઇએ ધારાસભ્ય કાંધલ જાડેજાને  (Kandhal Jadeja) પણ રાજીનામાની નકલ મોકલી છે. પોલીસની હેરાનગતિથી પૂર્વ પ્રમુખ ઓસમાણ નાઈ અને તેમના પત્નીના રાજીનામાંથી રાજકારણ ગરમાયું છે

રખડતા ઢોર ઉપર દંડ લેવાની જાહેરાતથી માલધારીઓમાં ફફડાટ

નગરપાલિકાએ રખડતા ઢોર મામલે દંડની જાહેરાત કરતા માલધારીઓ  ચિંતામાં  મૂકાયા છે માલધારીઓએ નિર્ણય કર્યો છે કે  શહેરમાં રખડતા ઢોરને પકડી ઓડદર ગામે ગૌશાળામાં રાખવામાં આવશે. માલિકીના ઢોર કોઈ પણ છોડાવવા આવશે તો એક ત્રણ તબક્કામાં દંડની જોગવાઈ કરી છે.  જેમાં પ્રથમ તબબકે 2000, બીજા તબક્કે  3000 અને ત્રીજી વખત 5000 સુધીનો  દંડ વસૂલવામાં આવશે. તેમજ રોજના અલગથી 100 રૂપિયા લેખે ચાર્જ વસુલ કરશે. નગર પાલિકાના આ નિર્ણયથી માલધારીઓમાં  ફફડાટ વ્યાપી ગયો છે.

ધારાસભ્ય બાબુ બોખિરયાને ધમકી આપવાનું પડયું ભારે

પોરબંદરમાં ધારાસભ્ય બાબુ બોખીરીયાને ધમકી આપવી એક્સ આર્મીમેનને ભારે પડી છે. ધારાસભ્ય વિશે ફેસબુકમાં અભદ્ર ટિપ્પણી કરનાર એક્સ આર્મીમેન લાખણશી ઓડેદરાની પોલીસે ધરપકડ કરી છે. બાદમાં આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા મારફતે એક્સ આર્મીમેને ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાર્યવાહી કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓને હીરા જડિત સોનાની વીંટીથી નવાજવામાં આવ્યા
વિરાટ કોહલીએ IPLમાં 'પ્લેયર ઓફ ધ મેચ' બની કેટલી કમાણી કરી ?
અભિનેતાએ પત્ની સામે કહ્યું મને 4 વખત લગ્ન કરવાની છૂટ છે, જુઓ ફોટો
IPLમાં ચીયરલીડર્સને કેટલો પગાર મળે છે ?
રાત્રે આ લક્ષણો દેખાય તો સમજી જાઓ વધી રહ્યુ છે BP
તુલસી પર અપરાજિતાનું ફૂલ ચઢાવાથી શું થાય છે?

પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ

porbanadar news

પોરબંદર કોંગ્રેસના સભ્યો આમ આદમી પાર્ટીમાં જોડાયા

પોરબંદર-છાયા સયુંકત નગરપાલિકાના બે સભ્યો આપમાં જોડાયા હતા.  માછીમાર આગેવાન અને બોટ એસોસિયેશન પૂર્વ પ્રમુખ તથા નગરપાલિકાના સભ્ય જીવન જુગી આપમાં જોડાયા હતા. જીવન જુગી સાથે મહિલા સભ્ય ભાનુબેન શિયાળ પણ આપમાં જોડાયા હતા.  જીવન જુગી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા અને હવે તેઓ આપમાં જોડાયા હતા. આ બંને બન્ને કોંગ્રેસ પક્ષમાંથી પાલિકા ચૂંટણી જીતી હતી આજે બન્ને સદસ્યો આપમાં જોડાયા હતા.

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
રાજકોટમાં વિધર્મીને મિલકત વેચતા હોવાથી અશાંત ધારો લાગુ પાડવા માંગ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
દાદા સરકારની વાતો કરનાર ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજીનામુ આપે-કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">