રાજ્યમાં હવે વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election) લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના (AAP) રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ હવે વધવા લાગ્યા છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ જોરશોરથી પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીના મૂખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal) ફરીથી ગુજરાત આવનાર છે.આવતીકાલે બપોરે 1 વાગ્યે એરપોર્ટ પર અરવિંદ કેજરીવાલ ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ પર ઉતરાણ આવશે.પોરબંદર એરપોર્ટ થી બાય રોડ દેવભૂમિ દ્વારકા (Devbhoomi dwarka) જવા રવાના થશે.
22 ઓગસ્ટે CBIની કાર્યવાહી વચ્ચે દિલ્લીના CM કેજરીવાલ (CM Kejriwal) અને ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા (DY CM Manish Sisodia) બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અમદાવાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.ત્યારબાદ હિંમતનગર અને ભાવનગરમાં(bhavnagar) ટાઉનહોલ મીટિંગને સંબોધિત કરી હતી.આ દરમિયાન તેણે શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતી ગેરન્ટી આપી હતી. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક બનાવવામાં આવશે. દરેકની સારુ શિક્ષણ અને સારી સારવાર વિનામૂલ્યે મળશે. જેનાથી લોકોને રાહત થશે. આ મુલાકાત દરમિયાન તેઓએ યુવાનો સાથે પણ સંવાદ કર્યો હતો.ત્યારે આ વખતે કેજરીવાલ કઈ ગેરંટી આપશે તે જોવુ રહ્યુ… ?
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ગુજરાત મુલાકાત દરમિયાન ભાવનગરના યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસ ખાતે મુલાકાત કરી હતી.અરવિંદ કેજરીવાલ એરપોર્ટથી સીધા તેમને મળવા પહોંચ્યા હતા. જયારે નિલમબાગમાં કેજરીવાલ અને યુવરાજ જયરાજસિંહ ગોહિલ સાથે બેઠક યોજાઇ હતી. તેમની આ મુલાકાતના પગલે રાજકારણ ગરમાયું હતુ.
Published On - 1:39 pm, Thu, 1 September 22