AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળે કરાયુ સ્થળાંતર

કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

Biparjoy Cyclone: વાવાઝોડાને પગલે કચ્છનું તંત્ર એક્શન મોડમાં, અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળે કરાયુ સ્થળાંતર
Biparjoy Cyclone
Jay Dave
| Edited By: | Updated on: Jun 13, 2023 | 11:03 AM
Share

Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. કચ્છમાં અત્યાર સુધી 6730 લોકોનું સલામત સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જેમાંથી 4509 અગરીયા અને 2221 દરિયા કિનારા નજીકના લોકોનું સ્થળાતર કરાયુ છે. 120 સ્થળો પર સ્થળાંતર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો : Cyclone Biparjoy Breaking: વાવાઝોડાને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત, 137 ટ્રેન પૈકી 90 ટ્રેન રદ રહેશે

સ્થળાંતર કરવામાં આવેલા તમામ લોકોને 187 સેલ્ટર હોમમા સલામત રાખવામાં આવશે. આજે બપોર બાદ અન્ય વિસ્તારોમાં સ્થળાંતર શરુ કરવામાં આવી છે. તંત્ર દ્વારા બસની વ્યવસ્થા કરી તમામ સંભવત અસરગ્રસ્ત લોકોને સલામત ખસેડવામાં આવશે. કચ્છમાં 15000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાનો અંદાજ છે. તમામ સેન્ટર પર ફુડ પેકેટ,મેડીકલ કીટ સહિતની વ્યવસ્થા 1 લાખ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.

કચ્છના 72 ગામોના 9000 લોકોનું કરાશે સ્થળાંતર

બિપરજોય વાવાઝોડાને પગલે દ્વારકાનું તંત્ર એક્શન મોડમાં છે. દ્વારકાના રૂપેણ બંદર નજીક નીચાણવાળા વિસ્તારોમાંથી 2500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને બસ દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

વાવાઝોડાની તીવ્રતાને જોતા કોઈ જાનહાનિ ન થાય તે માટેના તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. લોકોને દરિયા કાંઠે ન જવા પણ સૂચિત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠે સાઈનબોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં લોકોને કાંઠા વિસ્તાર તરફ ન આવવા માટે અપીલ કરાઈ છે.

સાગરકાંઠા વિસ્તારોમાં 16 જૂન સુધી 144 કલમ લગાવાઈ

સાગર કાંઠા વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવામાં આવી છે. સમુદ્રમાંથી ઉઠતા મોજાના દૃશ્યો ટીવી સ્ક્રીન પર જેટલા નયનરમ્ય લાગે છે જમીન પર એ એટલા જ વિનાશક સાબિત થતા હોય છે. આ સાથે દરિયામાં ભરતી ઉઠવાથી મોજાનો ઘુઘવતો અવાજ પણ વાવાઝોડાનો તાગ મેળવવા માટે પુરતો છે.

15 જૂન સુધી કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે બિપરજોય વાવાઝોડુ ટકરાવાની આશંકા

અરબ સાગરમાં આ વર્ષે ઉઠેલુ પ્રથમ વાવાઝોડુ બિપરજોય અત્યંત વિનાશક તોફાનમાં પરિવર્તિત થઈ ગયુ છે. 15 જૂન સુધી ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાંચી વચ્ચે ટકરાવાની આશંકા છે. આ દરમિયાન 125થી 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફુંકાવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે યલો એલર્ટ જારી કર્યુ છે.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">