Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. વડાપ્રધાન મોદી (Prime Minister Modi) ગાંધીનગરમાં GIFT સિટીની મુલાકાત લેશે. કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે.

Gujarat Election: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 10:55 AM

ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઇને કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન 15 જુલાઈથી બે દિવસના ગુજરાત આવશે. 15,16 જુલાઈના વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ (PM Modi Gujarat visit) દરમિયાન વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અલગ અલગ સ્થળે સભાઓ પણ સંબોધશે. જો કે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અન્ય કાર્યક્રમો પણ ગોઠવાઇ શકે છે.

ફરી બે દિવસના પ્રવાસે આવશે વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સતત એક પછી એક ગુજરાતના પ્રવાસ યોજાઇ રહ્યા છે. બે દિવસ પહેલા એટલે કે 4 જુલાઇએ જ ગાંધીનગરના મહાત્મા મંદિરથી તેમણે ડિજિટલ સપ્તાહનું આયોજન કર્યુ હતુ. ત્યારે હવે ફરી 15 જુલાઈએ ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે. વડાપ્રધાન 15 અને 16 જુલાઇ દરમિયાન કચ્છથી લઇને અમદાવાદ સુધી અનેક કાર્યક્રમોમાં જોડાવાના છે. વડાપ્રધાન મોદી ગાંધીનગર, કચ્છ, હિંમતનગર, અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે.

ગાંધીનગરમાં ગિફટ સિટીની મુલાકાત લેશે

વડાપ્રધાન મોદીના ગાંધીનગરના કાર્યક્રમની વાત કરીએ તો GIFT સિટીની મુલાકાત લેશે. GIFT સિટીની શરુઆત ગાંધીનગરના મહાત્મા મંદિરથી કરવામાં આવી હતી. જે પછી આખો નવો યુગ શરુ થયો છે. વડાપ્રધાન ગાંધીનગરમાં બુલિયન એક્સચેન્જની પણ મુલાકાત લેવાના છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં પણ કાર્યક્રમ યોજાવાનો છે. હિંમતનગરમાં સાબરડેરીના કાર્યક્રમમાં તેઓ હાજર રહેવાના છે. એટલે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફોકસ ઉત્તર ગુજરાત પણ હશે.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

વડાપ્રધાનના અન્ય કાર્યક્રમ ગોઠવાય તેવી પણ શક્યતા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે નવુ કેમ્પસ બન્યુ છે. તેનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરી શકે છે. તો આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કચ્છમાં જંગી જનસભા સાથેનો કાર્યક્રમ યોજાશે. તો હિંમતનગરમાં સાબર ડેરીના કાર્યક્રમમાં પીએમ હાજર રહેશે. તો હજુ પણ અન્ય કેટલાક કાર્યક્રમો ગોઠવાય તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કચ્છના લાલચોકની તેમની જનસભા ખૂબ જ ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી તેઓ કચ્છમાં જનસભા સંબોધવાના છે.

 

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">