PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો

આ ઘટનાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શખ્ત શબ્દોમાં વખોડી છે.  ગુનેગારોને સખ્તમાં સખત સજા થવી જોઈએ તેવું મંત્રી પ્રદીપ પરમારનું નિવેદન છે. બાળ આયોગના ચેરપર્સને આ ઘટનાને ક્રૂરતા ગણાવી અને કડકમાં કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે.

PATAN : સાંતલપુરમાં અંધશ્રદ્ધાના નામે બાળકી સાથે ક્રૂરતા, બાળાનો હાથ ગરમ તેલમાં નાંખ્યો
PATAN: Cruelty to a child in the name of superstition in Santalpur, child's hand dipped in hot oil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 1:03 PM

એક 11 વર્ષની માસૂમ દીકરીને એક એવી કસોટીમાંથી પસાર થવું પડ્યું છે. જેમાં તેના સત્યના પારખા કરવામાં આવ્યા. માસૂમ દીકરીને ઉકળતી અંધશ્રદ્ધાની આગમાંથી પસાર થવું પડ્યું છે. જીહાં, આ નિર્મમ ઘટના પાટણના સાંતલપુરમાં બની છે. કે, જ્યાં 11 વર્ષની માસૂમ દીકરીનો હાથ ઉકળતા તેલમાં નાંખવામાં આવ્યો છે. અને આ કૃત્ય દીકરીના પાડોશમાં રહેતીએ મહિલાએ જ કર્યું છે. માસૂમ તેલની ગરમીથી તડપતી રહી. પરંતુ માસૂમની તડપ નિર્દય પાડોશી મહિલાને ન દેખાઇ.

અનૈતિક સંબંધમાં અંધ બનેલી પાડોશી મહિલાએ અંધશ્રદ્ધાનો એવો ખેલ ખેલ્યો કે, દીકરીના મનમાં તેના ઉંડા ઘા પડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પાડોશ મહિલાના અનૈતિક સંબંધ હતા. અને તેની જાણ બાળકીને થઈ ગઈ હતી. બાળકીએ આ અંગે કોઈને વાત કરી છે કે, નહીં તે મહિલાને જાણવું હતું અને એટલે જ તેને ઘરે લઈ જઈ ગરમ તેલમાં હાથ નંખાવી અને સત્યના પારખા કર્યા કે, બાળકીએ કોઈને વાત કરી છે કે, નહીં.

કહેવાય છે કે, એક પિતા માટે બાળકી વ્હાલનો દરિયો હોય છે. પરંતુ આ ઘટના જ્યારે બાળકી સાથે બની. જ્યારે પાડોશી મહિલાએ માસૂમનો હાથ જ્યારે ઉકળતા તેલમાં નાંખ્યો ત્યારે બાળકીના પિતા ગામમાં નહોંતા તે પસ્તાવો કરી રહ્યા છે કે, જો તે હોત તો પોતાની માસૂમ દીકરીને બચાવી લેત. પરંતુ તેમને પણ ગામના અન્ય લોકો તરફથી માહિતી મળી અને તે તુરંત હોસ્પિટલે પહોંચ્યા હતા.

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ ઘટનાને રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શખ્ત શબ્દોમાં વખોડી છે.  ગુનેગારોને સખ્તમાં સખત સજા થવી જોઈએ તેવું મંત્રી પ્રદીપ પરમારનું નિવેદન છે. મંત્રી વડોદરાના સાયજીબાગમાં આવેલી સંકલ્પ ભૂમિ સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તે દરમિયાન તેઓએ આ ગુનાહીત પ્રવૃતિ અંગે નિવેદન આપ્યું હતું.

તો બીજી તરફ આ મામલે TV9ની ટીમે બાળ અને મહિલા આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યા સાથે પણ વાત કરી. બાળ આયોગના ચેરપર્સને આ ઘટનાને ક્રૂરતા ગણાવી અને કડકમાં કાર્યવાહી થવી જોઈએ તેવું નિવેદન આપ્યું છે. અને ઘટનાને લઈને તપાસના આદેશ પણ આપ્યા છે.

પાટણની ઘટનાને લઇને મહિલા આયોગની એક ટીમ પહોંચી હતી. અને, પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ મામલે મહિલા આયોગે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ નારી અદાલતમાં કેસ ચલાવવાની તજવીજ પણ કરાઇ રહી છે.

હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. આરોપી મહિલા લખી મકવાણાને પકડી પાડી છે. અને તેને કડકમાં કડક સજા મળે તે માટે પોલીસ પણ ઘટનાસ્થળે સઘન તપાસ આરંભી છે. પરંતુ હાલ આ ચર્ચા આખા ગુજરાતમાં થઈ રહી છે કે, આ પ્રકારની ઘટના આપણા સમાજમાં ક્યારે અટકશે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">