વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદુક ફોડી રહ્યું છે : CM રૂપાણી
નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત […]
નવો કૃષિ કાયદો ખેડૂતોના હિતમાં છે. પરંતુ વિપક્ષ પીએમ મોદીને બદનામ કરવા ખેડૂતોના ખભે બંદૂક ફોડી રહ્યું છે. આ નિવેદન કર્યું છે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ. એક તરફ કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લી ખાતે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત સંમેલનો કરીને ભાજપ કૃષિ કાયદાના ફાયદા ગણાવી રહ્યું છે. ત્યારે કરમસદ ખાતે આયોજીત ખેડૂત સંમેલનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી. અને ખેડૂતોને કૃષિ કાયદાથી અવગત કરાવ્યા. જ્યાં મુખ્યપ્રધાને વિપક્ષ પર પ્રહારો કર્યા.