Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી

ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ નવા જિલ્લામાં વાવ અને થરાદના 8 તાલુકાનો સમાવેશ થશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. થરાદ નવા જિલ્લાનું મુખ્ય મથક બનશે. આ ઉપરાંત, રાજ્યમાં 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બનશે.

Breaking News : ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jan 01, 2025 | 1:49 PM

ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે. બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી મળી છે. બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે. વાવ થરાદના 8 તાલુકા જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રહેશે.

નવા જિલ્લાનું મુખ્ય કેન્દ્ર થરાદ રખાશે

બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાની મંજૂરી બનાસકાંઠામાંથી વિભાજીત થઈ વાવ-થરાદ નવો જિલ્લો બનશે તેવી વિગતો મળી રહી છે.  કેબિનેટની અંદર સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. જો વાવ અને થરાદની વાત કરવામાં આવે તો વાવ-થરાદ એક જિલ્લો માનવામાં આવશે અને તેનું જે વડુમથક એ થરાદ રહેશે. આની   સત્તાવાર જાહેરાત  આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવશે.

કયા તાલુકા કયા જિલ્લામાં રહેશે ?

વાવ થરાદ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. જેમાં, થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર અને લાખણીનો સમાવેશ થશે. જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે, જેમાં, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા કાંકરેજનો સમાવેશ થાય છે. તો શક્યતાઓ સેવાઇ રહી છે કે થરાદ જિલ્લાનું નામ બદલીને,, થીરપુર જિલ્લો જાહેર કરવામાં આવે.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

કેબિનેટની બેઠકમાં મળી સૈદ્ધાંતિક મંજુરી

વાત મહત્વની એ પણ છે કે કે આજે વર્ષની પહેલી કેબિનેટ બેઠક મળી. વર્ષની પહેલી કેબિનેટ બેઠકમાં જ જે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાનો હતો, તેને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે.  કેટલીક નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળશે. જો તેની વાત કરવામાં આવે તો નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર અને આણંદ નગરપાલિકાઓ હતી. આ નગરપાલિકાઓને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે.

અલગ જિલ્લો ના થાય ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે

જો અત્યારે બનાસકાંઠાની વાત કરવામાં આવે તો બનાસકાંઠા અત્યારે એક જ જિલ્લો છે અને આગામી વર્ષે આ બે જિલ્લા તરીકે તેને કાર્યરત કરવામાં આવશે. એટલે કે બનાસકાંઠા અને ત્યારબાદ વાવ-થરાદ જિલ્લા તરીકે કાર્યરત થશે અને ત્યાં સુધી વહીવટી તંત્ર એક જ રહેશે. એટલે વધુ એક જિલ્લો અને તેની સાથે જે જે નગરપાલિકાઓ છે તેને મહાનગરપાલિકામાં અપગ્રેડેશનની જે મહત્વપૂર્ણ મંજૂરી છે તે આજે કેબિનેટમાં મળી ચૂકી છે. તેની સત્તાવાર જાહેરાત છે તે સાંજે 4 વાગ્યે થશે.

નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ

આ તરફ નવી 9 કોર્પોરેશનને પણ સત્તાવાર મંજૂરી અપાઈ છે. નવસારી, વાપી, મહેસાણા, નડીયાદ, આણંદ કોર્પોરેશન બનશે. સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબી, પોરબંદર પણ કોર્પોરેશન બનશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે.

 

મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
મદરેસામાં બાળકો સાથે શું થાય છે? વાયરલ વીડિયોમાં આ બિરાદરે ખોલ્યા રાઝ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નિવેદનથી પાટીદાર સમુદાયમાં રોષ ફેલાયો
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ બહાર ગેરકાયદે બાંગ્લાદેશીઓએ કર્યો હંગામો
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરી
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! જાણો તમારા જિલ્લાનું તાપમાન
g clip-path="url(#clip0_868_265)">