Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર

મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

Breaking News : હવે CM કાર્યાલયમાં કરી શકાશે સીધી જ ફરિયાદ, વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે, આ રહ્યો નંબર
Follow Us:
| Updated on: Jan 10, 2023 | 3:44 PM

હવેથી CM કાર્યાલયમાં સીધી જ ફરિયાદ કરી શકાશે. મુખ્યપ્રધાન કાર્યાલય સાથે જોડાવા વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. વોટ્સએપના માધ્યમથી મુખ્યપ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાશે. વોટ્સએપ માટે એક  નંબર પણ જાહેર કરાયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.

નવી સરકારમાં જે કાર્યો છે તે સરળ બનાવવા માટે કયા નવા પ્રયોગો કરી શકાય, તેના માટે મુખ્યમંત્રી અને સરકાર કામ કરી છે. જેના ભાગ રુપે મુખ્યમંત્રી કાર્યાલય સાથે હવે સીધુ જ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઇ શકાશે.જેથી મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે એક વોટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. +91 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રકારે જુદા જુદા વિભાગોની ફરિયાદ છે, અથવા તો અમુક ફરિયાદો એવી હોય છે કે જે પ્રત્યક્ષ રીતે જઇને કરવી જરુરી નથી હોતી. સામાન્ય ફરિયાદથી જ તેને ધ્યાને લાવી શકાય છે.

જેથી તમામ પ્રકારની ફરિયાદો હવે વોટ્સએપના માધ્યમથી કરી શકાશે. સંપર્ક અરજી કરવા માટે આ વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. તો તેના જ માધ્યમથી ફરિયાદોનું નિરાકરણ લાવવા મુખ્યમંત્રી કાર્યાલય પ્રયત્નશીલ રહેશે. સરકાર દ્વારા જે વો્ટસએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ પ્રકારે અરજી કરી શકાશે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે.

બીજી તરફ શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા વિરુદ્ધ પક્ષ એક્શન લેવાની તૈયારીમાં છે. પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં આ અંગે અંદાજે 600 જેટલી ફરિયાદો મળી છે. પક્ષ વિરોધી કાર્ય અને ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા અંગેની ફરિયાદો મળ્યા બાદ પક્ષે કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે. આ ફરિયાદોની ચકાસણી કરવા વલ્લભ કાકડિયાના નેતૃત્વમાં ભાજપે ટીમની નિયુક્તિ કરી છે. આ શિસ્ત સમિતિએ ઝોન પ્રમાણે ફરિયાદો સાંભળવાનું ચાલુ કર્યું છે. આમ તો પક્ષ અત્યારે ઠપકો આપવાના જ મૂડમાં છે, પરંતુ જો ગેરશિસ્ત પક્ષને વધુ નુકસાન કરી ગયું હશે, તો જે-તે જવાબદાર સામે કડક પગલાં પણ ભરાઈ શકે છે..

 (વિથ ઇનપુટ- રોનક વર્મા, અમદાવાદ) 

Latest News Updates

વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
વ્યારાની APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 2150 રહ્યા
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે રહેશે વરસાદી માહોલ
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
હરામીનાળાથી પાસેથી ઘુસણખોર પાકિસ્તાની ધુવડ પક્ષી સાથે ઝડપાયો
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે સફળતા મળશે
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
Surat : ACBએ છટકું ગોઠવી PSIના વચેટિયાને લાંચ લેતા ઝડપ્યો
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન