વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય. વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટનાાઓ હવે ભૂતકાળ […]

વરસાદ, વાવાઝોડાં કે કુદરતી આફતોના સમયે હવે સૌરાષ્ટ્ર પંથકમાં નહીં થાય બત્તી ગુલ, તંત્ર દ્વારા તૈયાર કરાયો ખાસ પ્લાન
Follow Us:
Gaurav Dave
| Edited By: | Updated on: Feb 03, 2019 | 7:54 AM

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટા શહેરોને વિજપોલ મુક્ત કરવાનો PGVCL દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 540 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, ભુજ અને પોરબંદર જેવા શહેરોમાંથી વિજપોલ દૂર કરવામાં આવશે. એટલે કે કુદરતી આફતો સમયે હવે તમારા ઘરની બત્તી ગુલ નહીં થાય.

વરસાદ, વાવાઝોડા જેવી કુદરતી આફતોને કારણે વિજળી ગુલ થવાની ઘટનાાઓ હવે ભૂતકાળ બની જશે. કારણ કે છેલ્લા ઘણાં સમયથી પીજીવીસીએલ દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનો IPDS પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા 540 કરોડનાં ખર્ચે રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં 9 શહેરોને વિજપોલ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

સૌરાષ્ટ્ર-કચ્છ પીજીવીસીએલ કચેરીનાં આંકડા પર નજર કરીએ તો…

શહેર અંદાજીત ખર્ચ (રૂ.માં) અન્ડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ (કિલોમીટર)
રાજકોટ  63.42 કરોડ  240
જૂનાગઢ અને વેરાવળ  8.78 કરોડ  40.04
જામનગર  8.56 કરોડ  35
ભાવનગર, પાલીતાણા, તળાજા  34.22 કરોડ  142.9
ભુજ  5.46 કરોડ  22.5
પોરબંદર  16.62 કરોડ 60

આ તમામ વિસ્તારોમાં વિજપોલ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં પવિત્ર યાત્રાધામ દ્વારકાને વિજપોલમુક્ત કરવાની કામગીરી પૂર્ણ પણ કરી દેવામાં આવી હોવાનું પીજીવીસીએલનાં એમ.ડીએ દાવો કર્યો છે.

પીજીવીસીએલનાં એમ.ડી ભાવિન પંડ્યાએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કે સૌરાષ્ટ્રનાં મોટા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ વિજપોલ દૂર કરી અન્ડરગ્રાઉન્ડ કરવાની વિચારણા ચાલી રહી છે. ગ્રાહકોને ઉત્તમ વિજ વિતરણ વ્યવસ્થાનો લાભ મળશે અને કુદરતી આફતોથી સર્જાતા વિજ વિક્ષેપો પણ ઘટશે.

ભારત સરકારે ઇન્ટીગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ શરૂ કરી છે. શહેરી વિસ્તારમાં ગ્રાહકોનું જીવન સ્તર, જીવન શૈલી અને વપરાશનાં માળખામાં સતત સુધારો કરવા માટેની આ યોજનામાં સૌરાષ્ટ્રનાં 69 જેટલા નાા મોટા શહેરોને આવરી લેવામાં આવ્યા છે.

માત્ર રાજકોટ શહેરમાંથી 4800 વિજપોલ દુર કરવા પાછળ 63.42 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટથી થશે આટલા ફાયદા

– કુદરતી આફત, વરસાદ કે વાવાઝોડામાં વીજળી નહીં જાય – મેન્ટેનન્સ કામગીરી ઘટશે જેથી કાપ નહીં આવે – ટ્રીપિંગ પ્રોબ્લેમમાં ઘટાડો થતા વિજ પૂરવઠો નહીં ખોરવાય – પાવર ચોરી ઘટી જશે – વૃક્ષોની ડાળીઓમાં વાયર ફસાવાની ઘટનાઓ નહીં બને જેથી વૃક્ષનું નિકંદન ઘટશે – સલામતી વધશે અને સલામતીમાં વધારો થશે – શહેરની સુંદરતામાં પણ વધારો થશે

[yop_poll id=1025]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">