NITIN PATELનું વડોદરામાં નિવેદન, ચર્ચા વિચારણા કરીને નાઈટ કર્ફ્યુ હટાવવામાં આવશે
ચાર મહાનગરપાલિકામાંથી નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW) જલ્દી હટાવવામાં આવી શકે છે, આ નિવેદન વડોદરા ખાતે NITIN PATEL દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂરી છૂટછાટો જનજીવનને સામાન્ય કરવા માટે આપી
ચાર મહાનગરપાલિકામાંથી નાઈટ કર્ફ્યુ (NIGHT CURFEW) જલ્દી હટાવવામાં આવી શકે છે, આ નિવેદન વડોદરા ખાતે નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને તબક્કાવાર જરૂરી છૂટછાટો જનજીવનને સામાન્ય કરવા માટે આપી છે. રાજ્યના 4 શહેરોમાં જે નાઈટ કર્ફ્યૂ છે તેના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તો આ સાથે જ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર સાથે ચર્ચા-વિચારણા કરીને નાઈટ કર્ફ્યુ હટાવવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (NITIN PATEL) પ્રજાસત્તાક દિવસે વડોદરાના પોલીસ પરેડ મેદાન ખાતે રાષ્ટ્ર ધ્વજ રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. નીતિન પટેલે જણાવ્યું હતું કે, 2020 પડકારોનું વર્ષ હતું, જયારે 2021નું વર્ષ નવી આશાઓ લઈને આવ્યું હોવાનું જણાવ્યું હતું .