Navsari : ચીખલીની બે વિદ્યાર્થિનીઓ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો

નવસારીના બીલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ સુરક્ષિત ઘરે પરત ફરી છે. રાબીયાએ યુક્રેનની સ્થિતિ વર્ણવી હતી.તે નેશનલ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ પૂર્ણ થવામાં ફક્ત 3 મહિના જ બાકી હતા.. તેવા સમયે જ યુદ્ધ થતાં તેઓ ભયભીત થઈ ગયા હતા.

Navsari : ચીખલીની બે વિદ્યાર્થિનીઓ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો
Navsari Student Return From Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 7:20 PM

ગુજરાતના(Gujarat)  ઘણા વિદ્યાર્થીઓ યુક્રેનથી પરત ફરતાં(Russia Ukraine War) પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.. નવસારીના(Navsari)  ચીખલીની બે વિદ્યાર્થિનીઓ પણ યુક્રેનથી પરત ફરતાં પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે.. ઓપરેશન ગંગા અંતર્ગત આ વિદ્યાર્થિનીઓ હેમખેમ ઘરે પરત ફરી છે. બીલીમોરાની મેશ્વા ગજ્જર અને ચીખલીના ખેરગામ રોડ પર રહેતી 25 વર્ષીય રાબીયા શેખ સુરક્ષિત ઘરે પરત ફરી છે. રાબીયાએ યુક્રેનની સ્થિતિ વર્ણવી હતી..તે નેશનલ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. અભ્યાસ પૂર્ણ થવામાં ફક્ત 3 મહિના જ બાકી હતા. તેવા સમયે જ યુદ્ધ થતાં તેઓ ભયભીત થઈ ગયા હતા.જોકે તેમની કૉલેજના કોન્ટ્રાક્ટર અમરીન્દર ધીલ્લોને વિદ્યાર્થીઓ માટે બસની સગવડ કરી હતી.જેનો ડ્રાઈવર યુક્રેનિયન હતો. પરંતુ તેણે સલામત રીતે હંગેરી બોર્ડર પર પહોંચાડ્યા હતા.રાબિયા શેખ ઘરે પરત ફરતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.. છેલ્લા ઘણા સમયથી ચિંતામાં સરી ગયેલા પરિવારજનોને રાહતનો શ્વાસ લીધો છે..દીકરી સલામત ઘરે પરત આવતાં પરિવારજનો પીએમ મોદીનો આભાર માની રહ્યા છે.

યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા

ઉલ્લેખનીય છે કે, યુક્રેન પર રશિયાનું આક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં હજુ પણ ગુજરાત અને ભારતના કેટલાય નાગરિકો યુદ્ધ ક્ષેત્રમાં ફસાયા છે. યુક્રેનમાં અલગ-અલગ પ્રાંતમાં કુલ 1263 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. બીજી તરફ વીડિયો સંદેશ દ્વારા યુદ્યાર્થીઓ મદદ માટે ગુહાર લગાવી રહ્યા છે. કચ્છની વિદ્યાર્થિની અને બંકરમાં ફસાયેલા વિદ્યાર્થીઓએ વીડિયો વાયરલ કરી મદદ માગી હતી.

ગુજરાતના કુલ 123 વિદ્યાર્થીઓને પરત લવાયા

આ તરફ યુક્રેનથી ભારતીય નાગરિકોને પરત લાવવાનું ઓપરેશન ગંગા તેજ છે. એક બાદ એક ફ્લાઈટ યુક્રેનના પાડોશી દેશમાંથી દિલ્લી લેન્ડ થઈ રહી છે. દિલ્લી એરપોર્ટથી વિદ્યાર્થીઓને પોતાના વતન મોકલવાની વ્યવસ્થા પણ કરાઈ છે. પરિવાર સાથે બાળકોનું મિલન થતા જ લાગણીસભર દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.. અત્યાર સુધીમાં ગુજરાતના કુલ 123 વિદ્યાર્થીઓને પરત લવાયા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જ્યારથી યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા ત્યારથી પરિવાર ચિંતિત હતો. હવે ઓપરેશન ગંગા અતંર્ગત પોતાના દીકરા-દીકરીઓ પરત ફરતાં પરિવારના સ્વજનોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. દિલ્લી એરપોર્ટ પર જ માતા-પિતા પોતાની દીકરી અને દીકરાઓને ભેટી પડ્યા હતા.. દીકરા-દીકરી હેમખેમ પરત ફરતા વાલીઓએ સરકારનો આભાર પણ માન્યો હતો.

આ પણ વાંચો : રાજકોટના જાણીતા ઉદ્યોગકાર મહેન્દ્ર ફળદુ આત્મહત્યા કેસ, ઓઝોન બિલ્ડરના માલિક દિપક પટેેલે મીડિયા સામે મોંઢુ છુપાવ્યું

આ પણ વાંચો :   ધ્રાંગધ્રાના આ વ્યક્તિએ 8 વર્ષમાં લોકોને વિનામૂલ્યે આપ્યા છે 31000થી વધુ ચકલીના માળા

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">