Navsari: વાંસદાના આ ગામમાં આઝાદી બાદ આજ દિન સુધી નથી બન્યા રસ્તા! દર્દીના ઘર સુધી એમ્બ્યુલન્સ નહીં પહોંચતા થયું મોત, જુઓ Video
છેવાડાના માનવી સુધી જરૂરી સુવિધાઓ પહોંચે એને સાચા અર્થમાં વિકાસ ગણી શકાય. પરંતુ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાટા આંબા ગામે આઝાદીના 70 વર્ષ વીતી ગયા હોવા છતાં રસ્તો બન્યો નથી. રસ્તાના અભાવે સમયસર સારવારન મળતા યુવાન મોતને ભેટ્યો હતો. લાકડાં સાથે કાપડ બાંધી ઝોળી બનાવી લાશને લઇ જતો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને લઈ લોકોમાં આક્રોશની લાગણી જન્મી છે.

શિક્ષણ અને આરોગ્યએ માનવીની મૂળભૂત જરૂરિયાતો છે અને જેમાં શહેરો સાથે જોડતા માર્ગો માળખાગત સુવિધાઓનો એક ભાગ છે. ત્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના છેવાડાના ખાટા આંબા ગામના બબુનીયા ફળિયાના 30થી વધુ ઘરોના લોકો જાણે આદિકાળમાં રહેતા હોય તેવી ગંભીર હાલતમાં જીવી રહ્યા છે.
વાંસદાના મુખ્ય માર્ગથી દોઢ કિલોમીટર દૂર આવેલું આઝાદીના આટ આટલા વર્ષો વીત્યા હોવા છતાં રસ્તાથી વંચિત છે. ફળિયામાં એક સપ્તાહ પહેલા 30 વર્ષે યુવાને અંગત કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી ત્યારબાદ સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ફળિયાથી મુખ્ય માર્ગ દોઢ કિલોમીટર છે. આ માર્ગ પર પહોંચવા યુવાનને ઝોળી બનાવીને મુખ્ય માર્ગ સુધી લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ સુધી પહોંચતા સુધીમાં યુવાનનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું.
રસ્તાની ગંભીર સ્થિતિના કારણે સમયસર સારવાર ન મળતા યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આવી જ સ્થિતિ એક વર્ષ પહેલાં પણ આ ગામમાં સર્જાઇ હતી પીડાતા વ્યક્તિએ સારવારના અભાવે મોતને વાલુ કરવું પડ્યું હતું.
એક તરફ શહેરોને ગામડા સાથે જોડવાની યોજનાઓ હાથ ધરવામાં આવે છે. સાથે છેવાડાના માનવીને સરળતાથી અને નજીકના વિસ્તારોમાં સારવાર મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવાની રાજ્ય સરકાર વાતો કરે છે. પરંતુ વાંસદા તાલુકાના ગામના બાબુનીયા ફળિયાના લોકો પોતાના ગામના માર્ગને મુખ્ય માર્ગ સુધી ક્યારેય જોડવામાં આવશે?
આ વિસ્તારમાં ટુ વ્હીલર ગાડીઓ પણ જઈ શકે તેમ નથી ત્યારે ઈમરજન્સીના સમયે બાબુનીયા ફળિયાના લોકો ગંભીર સમસ્યાનો સામનો કરવા મજબૂર બન્યા છે. ગામને રસ્તો ક્યારે મળશે તેની રાહ જોઈને બેઠા છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત)