Navsari : મંદિર પર બુલડોઝર ફેરવાતા સ્થાનિકો સાથે નેતાઓ પણ ઉકળ્યા, કોંગ્રેસ અને AAP એ મૌન રેલી યોજી
સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.
નવસારીમાં (navsari) રાધેકૃષ્ણ મંદિરના ડિમોલિશન (Temple Demolition)બાદ રાજકારણ ગરમાયું છે.આ મુદ્દે હવે કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાને આવી છે. સ્થાનિકો સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મૌન રેલી યોજી હતી. અને મંદિરનું ફરીથી એજ જગ્યાએ નિર્માણ અને મહિલાઓ પર અત્યાચાર કરનારા અધિકારી વિરૂદ્ધ પગલાં લેવાની માગણી કરી હતી.રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા (Gopal italia) જોડાયા હતા.
1000થી વધુ લોકોએ રાજીનામુ આપતા મામલો ગરમાયો
તમને જણાવી દઈએ કે, નવસારી શહેરના સર્વોદયનગરમાં વિવાદીત જગ્યા પર મંદિર (Radha krishna temple) તોડી પાડવા મામલે સોસાયટીના 1000થી વધુ લોકોએ પ્રાથમિક સભાપદેથી રાજીનામું આપતા ભાજપમાં હડકંપ મચ્યો છે. ત્યારે હવે આ મામલામાં રાજકીય રંગ પણ ભળ્યો છે. હવે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રસ પણ મેદાનમાં ઉતરી છે.
સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે લાઠીચાર્જ કર્યો
આપને જણાવવુ રહ્યું કે, મંદિર તોડવાના વિરોધમાં લોકોએ કેન્ડલ માર્ચ (candle March) યોજી વિરોધ વ્યકત કર્યો હતો.જેમાં મહિલાઓએ વિવાદિત જગ્યામાં બેસી રામધૂન બોલાવી હતી અને પોલીસને અંદર આવતી અટકાવી હતી. જો કે આ દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ.એટલું જ નહીં મંદિરને તોડતા સમયે પણ સ્થાનિકોએ રસ્તો રોકતા પોલીસે (navsari police) લાઠીચાર્જ કર્યો હતો.