Navsari : ગણદેવીમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગે સર્વે અને દવા વિતરણ શરૂ કર્યું, દર્દીઓની તબિયતમાં સુધારાથી તંત્રએ હાશકારો અનુભવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં મોટી સઁખ્યામા મહેમાન પધાર્યા હતા. રાત્રે ભોજન લીધા બાદ કેટલાક લોકોને ઝાડા - ઉલ્ટીની તકલીફ શરુ થઇ હતી. વહેલી સવાર સુધી બીમાર લોકોનો આંકડો ૩૧ સુધી પહોંચ્યો હતો.

Navsari : ગણદેવીમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બાદ આરોગ્ય વિભાગે સર્વે અને દવા વિતરણ શરૂ કર્યું, દર્દીઓની તબિયતમાં સુધારાથી તંત્રએ હાશકારો અનુભવ્યો
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 8:13 AM

નવસારી(Navsari)માં લગ્ન પ્રસંગમાં મહાલવા ગયેલા આમંત્રિતો હોસ્પિટલના બિછાને પહોંચી ગયા હતા. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ મહેમાનોની તબિયત લથડી હતી. સદનશીબે સમયસર સારવાર મળ્યા બાદ દર્દીઓની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો છે. લગ્નપ્રસંગમાં ભોજન બાદ ખોરાકી ઝેરની અસરના કારણે લોકોની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે. એકપછી એક 31 લોકોને ઝાડા- ઉલ્ટીની તકલીફ શરૂ થતા તમામને આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની ફરજ પડી હતી. ગામમાં લગ્ન સમારંભમાં બનેલી ઘટના બાદ આરોગ્ય વિભાગે સ્થાનિક વિસ્તારમાં ડોર ટૂ ડોર હેલ્થ સર્વેની કામગીરી શરૂ કરાવી હતી.

મળતી માહિતી અનુસાર નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં મોટી સઁખ્યામા મહેમાન પધાર્યા હતા. રાત્રે ભોજન લીધા બાદ કેટલાક લોકોને ઝાડા – ઉલ્ટીની તકલીફ શરુ થઇ હતી. વહેલી સવાર સુધી બીમાર લોકોનો આંકડો ૩૧ સુધી પહોંચ્યો હતો. ઘટનાની જાણ આરોગ્ય વિભાગને કરવામાં આવતા અધિકારીઓ દોડી આવ્યા હતા. બીમાર લોકોને સારવાર આપી ગામમાં સર્વેની કામગીરીની હાથ ધરવામાં આવી હતી. ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં બે ફળિયામાં 343 જેટલા ઘરના 77 પરિવારની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશન સાથે જરૂરી દવા આપવાની શરૂઆત કરવામાં આવી છે. બીમાર પડેલા દર્દીઓ પૈકી 5 દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની જરૂર પડી હતી. રોગચાળા નિયંત્રણ અધિકારી ભાવેશ પટેલે જણાવ્યું હતું કે બીમાર પડેલા લોકોની તબિયતમાં સુધારો દેખાઈ રહ્યો છે. ગામમાં આરોગ્ય સર્વે અને જરૂર જણાય ત્યાં દવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઉલ્લેખનીય છે કે હાલમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના કારણે કેટલાક ખોરાકની જાળવણી મુશ્કેલ બનતી હોય છે. લગ્ન પ્રસંગમાં મોટી માત્રામાં બનાવાયેલ ખોરાક પડી રહેવાથી અથવા હાઇજિનના અભાવે અખાદ્ય બની જતો હોવાની સમસ્યાઓ ઉભી થઇ હોય છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દેવસર ગામના મંદિર ફળિયામાં લગ્ન પ્રસંગમાં પણ આવીજ કોઈ સમસ્યા ઉભી થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ખરોકી ઝેરની અસરથી બીમાર પડેલા લોકોમાં ડીહાઇડ્રેશન સહિતની સમસ્યાઓ ઉભી ન થાય તેમાટે પણ આરોગ્યયવિભાગે પૂરતી તકેદારી રાખી છે. ગામમાં 5 દર્દીઓને બાદ કરતા તમામની તબિયત સામાન્ય ઈલાજ પછી સુધારા હેઠળ નજરે પડી હતી. દર્દીઓમાં રોકવરી નજરે પડતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">